કેન્સર જેવા રોગમાંથી જલદી સાજા થવા માટે તમારા ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

તમે બધા જાણો છો કે કેન્સર એ એક ખતરનાક રોગ છે અને દર્દીની બેદરકારીને લીધે તે જીવલેણ પણ બની શકે છે.કેન્સરના દર્દીઓએ ખૂબ કાળજી લેવી પડે છે જેના કારણે તેઓએ તેમની જીવનશૈલીની સાથે તેમની જીવનશૈલીના ડાયટમાં ઘણો બદલાવ કરવો પડે છે.આમાં આહાર સૌથી અગત્યની બાબત છે,આહાર એ એવો એકમાત્ર રસ્તો છે જેના દ્વારા દર્દીને સ્વસ્થ રાખી શકાય છે.મોટાભાગે લોકોને આ સવાલ થાય છે કે જો તેઓ કેન્સરથી પીડિત છે તો તેમનો આહાર શું હોવો જોઈએ.તો ચાલો આજે અમને તમને જણાવીએ કે કેન્સરના દર્દીઓએ શું આહાર લેવો જોઈએ.

ઇંડા

image source

જો તમે કેન્સર જેવી બિમારીથી પીડિત છો,તો તમારે ગભરાવાની જરૂર નથી,તમે તમારા આહારને વધુ સારું અને પૌષ્ટિક બનાવીને સ્વસ્થ રહી શકો છો.તમારે તમારા આહારમાં ઇંડા શામેલ કરવા જોઈએ,ઇંડામાં વિટામિન બી, ડી,ઇ અને પ્રોટીન ઘણી માત્રામાં જોવા મળે છે.ઇંડામાં જોવા મળતું સેલેનિયમ કીમોથેરેપીની આડઅસરો ઘટાડવા માટે પણ જાણીતું છે.કીમોથેરેપી પછીની સમસ્યાઓ ઘટાડવા માટે ઇંડા નિયમિતપણે આહારમાં લેવા જોઈએ.તે ઉલ્ટી,વાળ ખરવા,પેટમાં દુખાવો અને નબળાઇ ઘટાડવા જેવી તકલીફો માટે કામ આવે છે.

લીલી શાકભાજી

image source

તમારે લીલા પાંદડાવાળા શાકભાજી નિયમિતપણે ખાવા જોઈએ.તેમાં પુષ્કળ પ્રમાણમાં ફોલિએટ અને વિટામિન બી હોય છે.તેઓ કેન્સરથી થતાં નુકસાન સામે લડવાની સારવારમાં ખૂબ અસરકારક છે.આ ઉપરાંત લીલા શાકભાજીમાં ખૂબ કેલ્શિયમ હોય છે,જે તમારા શરીર અને હાડકાને મજબૂત બનાવે છે.ડોકટરો તમને નિયમિતપણે લીલી શાકભાજી ખાવાની પણ સલાહ આપે છે.એ એટલા માટે છે કે કેન્સર જેવા રોગો સામે લડવા માટે તમારા શરીરને લીલી શાકભાજી દ્વારા સરળતાથી વિટામિનો મળે છે જે તમને બીમારીઓથી પણ દૂર રાખે છે.

ફળ

image source

તમારે તમારા રોજિંદા આહારમાં જેટલી જરૂર લીલી શાકભાજીની છે તેટલું જ મહત્વ તમારી શરીરને રોગમુક્ત કરવા માટે ફળોનું પણ છે,જે તમને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે.તમારે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો જ જોઇએ.તમારે વધારેમાં વધારે નારંગીનું સેવન કરવું જોઈએ,તેમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું હોય છે જે તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.તેથી વિટામિન્સ અને ફાઇબર માટે,તમારે કેળા,કિવિ,આલુ,કેરી,પેરુ અને સ્ટ્રોબેરી જેવા ફળો ખાવા જોઈએ.લાંબા સમય સુધી તમારી જાતને સક્રિય રાખવા માટે, તમારે એવોકેડો, જામફળ,જરદાળુ,અંજીર અને કિસમિસ પણ ખાવા જોઈએ.જેથી તમારું શરીર રોગમુક્ત રહે અથવા જો તમે કેન્સર જેવી બીમારીથી પીડિત છો,તો તેની સારવારમાં તમને મદદ મળે.

પ્રોટીન આહાર

image source

તમારા શરીરને મજબૂત રાખવા માટે કેટલાક પોષણ ખૂબ મહત્વના છે,તેથી તમારા માટે પ્રોટીન યુક્ત આહાર લેવો એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારે તમારા આહારમાં પુષ્કળ પ્રોટીન શામેલ કરવું જોઈએ અને પ્રોટીનયુક્ત આહાર જરૂર લેવો જોઈએ.આ માટે,તમારે તમારા આહારમાં ડેરી ઉત્પાદનો,બદામ,સૂકા કઠોળ, દાળ અને ચણાનો સમાવેશ કરવો જોઈએ.જેથી તમને તમારા શરીરમાં પૂરતું પોષણ મળે અને તમે પુરી રીતે સ્વસ્થ રહો.

કાર્બોહાઇડ્રેટ

image source

કાર્બોહાઇડ્રેટ તમારા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ બને છે,તેથી તમારે કાર્બોહાઇડ્રેટેડ આહાર લેવો જોઈએ.આ માટે,તમારે તમારા આહારમાં ચોખા,નૂડલ્સ,રોટલી,પુરી અને પાસ્તા,બટાકા,કઠોળ અને ડેરી ઉત્પાદનો અને મધનો સમાવેશ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત