જો તમે કરશો આ એક કામ, તો જલદી નહિં થાય તમારા વાળ સફેદ
ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે મોટાભાગના લોકો અજમાનો ઉપયોગ કરે છે. અજમામાં કેટલાક પોષક તત્વો હોય છે જે આપના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને પાચનને સંબંધિત સમસ્યાઓને દુર કરવા માટે અજમાનું સેવન કરવામાં આવે છે. આ સાથે જ એસીડીટીને દુર કરવા માટે પણ અજમાનું સેવન કરવું ફાયદાકારક હોય છે. અજમામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખનીજ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોવા ઉપરાંત વિટામીન એ, વિટામીન બી અને વિટામીન ઈ પણ હોય છે. જે આપની ત્વચાની સાથે જ વાળ માટે પણ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીશું કે, આપને અજમાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
પેટ ખરાબ થવું કે પછી ભોજનને પચાવવામાં આવતી સમસ્યાને દુર કરવા માટે અજમાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. અજમામાં રહેલ એંજાઈમ ગેસ્ટ્રીક જ્યુસને રીલીઝ કરીને પાચન કાર્યને સારું બનાવવામાં મદદ કરે છે. એના માટે આપે એક નાની ચમચી જીરા પાવડર, એક નાની ચમચી અજમો અને અડધી ચમચી સુંઠનો પાવડર ભેળવીને સેવન કરો.
અજમામાં થોઈમોલ રહેલ હોય છે જે આપની ત્વચાના ઇન્ફેકશન કે પછી ઘાવને દુર કરવામાં મદદ કરે છે. ઘાવને જલ્દીથી મટાડવા માટે અજમાને પીસીને ઘાવ પર લગાવો.
અજમો સમય કરતા પહેલા સફેદ થઈ રહેલ વાળને અટકાવે છે. અજમાનો ઉપયોગ કરવા માટે મીઠો લીમડો, સુકી દ્રાક્ષ અને અજમાને એક પાણીમાં ભેળવી ઉકાળી લો. હવે આ પાણીને આપે રોજ પીવું જોઈએ.
અજમાના પાણીનું રોજ નિયમિત રીતે સેવન કરવાથી જે વ્યક્તિઓ પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેવી વ્યક્તિને વજન ઘટાડવા માટે ખુબ મદદગાર સાબિત થાય છે.
પેટને સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જેવી કે, અપચો, કબજિયાત, પેટમાં દુઃખાવો થવો આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ અજમાનું સેવન કરવું જોઈએ.
જો આપને વારંવાર માથામાં દુઃખાવો થાય છે તો આવા માથાના દુઃખાવામાં રાહત મેળવવા માટે આપે નિયમિત રીતે અજમાના પાણીનું સેવન કરવું જોઈએ.
સામાન્ય રીતે અજમો દરેક ઘરના કિચનમાં સરળતાથી મળી જાય એવો મસાલો છે ઉપરાંત ઉપરોક્ત જણાવવામાં આવેલ અજમાના પાણીના ફાયદા વધુ સારી રીતે મેળવવા માટે અજમાના પાણીને યોગ્ય રીતે બનાવવું જોઈએ. ચાલો જાણીએ અજમાનું પાણી બનાવવાની રીત.:
એક ચમચી અજમાને આપે બે ગ્લાસ પાણીની સાથે ગેસ પર ઉકાળવા માટે મૂકી દેવું જોઈએ. ત્યાર પછી આપે ગેસ પર ગરમ કરવા માટે મુકેલ પાણી જ્યાં સુધી અડધું બળી ના જાય ત્યાં સુધી ગરમ કરવું. જયારે એક ગ્લાસ જેટલું પાણી રહી જાય ત્યારે આપે ગેસ બંધ કરી દેવો અને આ પાણીને ઠંડું થવા દેવું ત્યાર બાદ આપે આ અજમાના પાણીનું સેવન રોજ તાજું બનાવીને જ કરવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત