આકાશ અંબાણીએ આપી આલિયા રણબીરના લગ્નમાં હાજરી, નીતુ સિંહે ઉતારી લાડકાની નજર
હાલ આલિયા અને રણબીરના લગ્નની ભારે ચર્ચા ચાલી રહી છે. રણબીર-આલિયાની મહેંદી સેરેમની 13 એપ્રિલના રોજ યોજાઈ હતી. આજે એટલે કે 14 એપ્રિલના રોજ કપૂર પરિવાર સૌ પહેલા પિતૃપૂજા કરી હતી.
તમને જણાવી દઈએ કે આજે વૈશાખી એટલે કે પંજાબીઓનું નવું વર્ષ પણ છે. વાસ્તુ એપાર્ટમેન્ટમાં રણબીરની માતા નીતુ સિંહ, આલિયાની માતા સોની તથા બહેન શાહીન પીઠીની વિધિ કરી હતી. એ બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
વાસ્તુ અપાર્ટમેન્ટના 11મા માળે લગ્ન થઈ રહ્યા છે. અને આ જ બિલ્ડિંગના સાતમા માળે રણબીર તથા પાંચમા માળે આલિયા રહે છે. બપોરથી જ મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે.
નીતુ સિંહ અને સોની રાજદાને લગ્નમાં આવનાર મહેમાનોનો આદર સત્કાર કર્યો હતો. અયાન મુખર્જી અને કરણ જોહર આલિયા ભટ્ટને દુલહનને કપડામાં જોઈને રડી પડ્યા હતા. આ ઉપરાંત માતા નીતુ સિંહે પોતાના લાડકા દીકરાની નજર પણ ઉતારી હતી
મળેલી માહિતી અનુસાર લગ્નના ભોજન માટે દિલ્હીથી શૅફ બોલાવવામાં આવ્યા છે. ભોજનમાં ચિકન, મટન, દાલ મખની, પનીર ટિક્કા, રોટલી તથા તંદૂરી ડિશ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આલિયા માટે વીગન બર્ગરનો અલગ સ્ટોલ રાખવામાં આવ્યો છે. આલિયા તથા ફ્રેન્ડ અનુષ્કા રંજન વીગન બર્ગરના બહુ મોટા ફૅન છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ભટ્ટ તથા કપૂર પરિવારના ફક્ત 50 સભ્યો જ હાજર રહ્યા છે. આ લગ્ન અંગેના લગભગ બધા જ નિર્ણયો રણબીરે જ લીધા છે. રણબીરને વધુ પડતી ધામધૂમ પસંદ નથી અને તેની પસંદ-નાપસંદને ધ્યાનમાં લઈને લગ્નના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ભટ્ટ પરિવાર આલિયા અને રણબીરના ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છા હતા, પરંતુ રણબીરના શરમાળ સ્વભાવને કારણે તેમણે નિર્ણય બદલ્યો હતો. આલિયાએ જ પરિવારને સાદગીથી લગ્ન કરવા માટે મનાવ્યા હતા.
મળેલી માહિતી અનુસાર જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીને 14મીએ જ વિદેશ જવાનું હતું, પરંતુ રણબીરના લગ્ન માટેનું આમંત્રણ એમને ખુદ રણબીરે આપ્યું હતું અને એટલે આકાશે વિદેશ જવાનો પ્લાન કેન્સલ કરીને પત્ની શ્લોકા સાથે લગ્નમાં હાજરી આપી.
એક એક્ટરના મિત્રે કહ્યું હતું કે રણબીર પોતાની પબ્લિક ઇમેજની જેમ જ પોતાના લગ્નને પણ ખાનગી તથા સિમ્પલ રાખવા માગે છે. રણબીર પરંપરા સાથે જોડાયેલો રહેવા માગે છે. તે તમામ વિધિઓ હાઇલાઇટ ના થાય તેનું ધ્યાન રાખવા માંગે છે અને એટલે જ લગ્નમાં બહુ મહેમાનોને બોલાવવામાં નથી આવ્યા
મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ, રિદ્ધિમા-ભરત-સમારા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન, અરમાન-અનીસા જૈન, મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ તથા રાહુલ ભટ્ટ, કરન જોહર, આર્યન મુખર્જી જોવા મળ્યાં હતાં. આરતી શેટ્ટી પણ આવી હતી.