Site icon Health Gujarat

આસામમાં ‘જલ પ્રલય’થી મચ્યો હાહાકાર, દરેક જગ્યાએ દેખાય છે ફક્ત તબાહી, જુઓ તસવીર

આસામમાં ભારે વરસાદના કારણે પૂરના કારણે સર્જાયેલી તબાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. રાજ્યના 26 જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો લાપતા છે. સેના અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

image source

પૂરના કારણે આસામના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ પ્રાણીઓની સુરક્ષા માટે સરકારે 40 હાઈલેન્ડ બનાવ્યા છે, જ્યાં તમામ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે.

Advertisement

આસામમાં પૂરના કારણે અનેક રેલવે પુલને નુકસાન થયું છે. બોગાઈગાંવમાં પણ પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીં કમર સુધી પાણી ભરાયેલું છે. લોકો બોટનો સહારો લઈ રહ્યા છે. તો સાથે જ કેન્દ્ર સરકાર પણ આસામની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્રએ આસામ સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

image source

 

Advertisement

કછાર જિલ્લામાં સ્થિતિ વણસી જતાં ભારતીય સેનાને બચાવ કામગીરી માટે બોલાવવામાં આવી હતી. આર્મી અને આસામ રાઈફલ્સની ટીમોએ કછાર જિલ્લાના જુદા જુદા ભાગોમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. સંરક્ષણ વિભાગના PROએ જણાવ્યું હતું કે બચાવમાં મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, એકલા કચર જિલ્લામાં કુલ 96,697 લોકો પ્રભાવિત થયા છે. આ પછી, હોજઈમાં 88,420, નગાંવમાં 58,975, દરંગમાં 56,960, વિશ્વનાથમાં 39,874 અને ઉદલગુરી જિલ્લામાં 22,526 લોકો પ્રભાવિત થયા છે.

Advertisement
image source

67 મહેસૂલ વિભાગના 1,089 ગામો પૂરના આ મોજાથી પ્રભાવિત છે અને 32944.52 હેક્ટર પાકની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રે 89 રાહત શિબિરો અને 89 વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે જ્યાં 39,558 પૂર પ્રભાવિત લોકોએ આશ્રય લીધો છે.

જિલ્લા વહીવટીતંત્રે 55 રાહત શિબિરો અને 12 વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે. જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.

Advertisement
image source

ન્યુ કુંજંગ, ફ્યાંગપુઈ, મૌલહોઈ, નામજુરાંગ, દક્ષિણ બાગેતર, મહાદેવ ટીલા, કાલીબારી, ઉત્તર બાગેતર, સિયોન અને લોડી પંગમૌલ સહિત અનેક ગામોમાં ભૂસ્ખલન પણ થયું છે. ભૂસ્ખલનને કારણે જતિંગા-હરંગાજાઓ અને માહુર-ફિડિંગમાં રેલ્વે લાઇન ખોરવાઈ ગઈ હતી.

Advertisement
Advertisement
Exit mobile version