બાળકને દૂધથી કરાવો સ્નાન, ક્યારે નહિં થાય ખીલથી લઇને આવી અનેક સમસ્યાઓ

સદીઓથી ભારતમાં દૂધથી સ્નાન કરવાની પ્રથા ચાલે છે. મહિલાઓ તેમની સુંદરતા વધારવા માટે દૂધથી નહાતી હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે દૂધથી બાળકને સ્નાન કરાવવાના પણ ઘણા ફાયદા થાય છે. દૂધ સ્નાન એટલે કે દૂધથી નવડાવવું. દૂધ સ્નાનથી ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચાનો રંગ પણ સુધરે છે. જો કે, તમે બાળકને ફક્ત દૂધથી જ નહીં, પરંતુ સ્તનના દૂધથી પણ સ્નાન કરી શકો છો. માતાના સ્તનના દૂધમાં એવા ગુણો છે જે શિશુને અને બાહ્ય અને આંતરિક રીતે પોષણ, સુરક્ષા અને ઉપચાર પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ દૂધથી તમારા બાળકને સ્નાન કરાવવાથી થતા ફાયદાઓ વિશે.

દૂધના સ્નાનથી શું થાય છે

image source

માતાના દૂધમાં હાજર ન્યુટ્રિઅન્ટ્સ, ફેટ અને ઘણા બધા વિટામિનની અસર બાળકની ત્વચા પર પણ પડે છે. માતાના દૂધમાં 0.8 થી 0.9 ટકા પ્રોટીન, 3 થી 5 ટકા ચરબી, 6.9 થી 7.2 ટકા કાર્બોહાઇડ્રેટ અને વિવિધ પ્રકારના વિટામિન, ખનિજો અને બાયોએક્ટિવ ઘટકો હોય છે જે બાળકની ત્વચાને ફાયદો પહોંચાડે છે.

દૂધથી સ્નાન કરવાના ફાયદા

તમારા બાળકને માતાના દૂધથી અથવા દૂધ સ્નાન કરાવવાથી ઘણા ફાયદા થાય છે, જે નીચે મુજબ છે:

ખરજવું

image source

માનવામાં આવે છે કે સ્તન દૂધ હાયડ્રોક્ટોરીઝનની જેમ ખરજવાની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.

ખીલ

image source

એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મવાળા લૌરિક એસિડ શિશુમાં ખીલની સારવાર કરવામાં ખૂબ અસરકારક છે. માતાના દૂધથી નાવડાવવાથી બાળકના શરીર પર થતા ખીલ અને ફોલ્લીઓ દૂર થઈ શકે છે.

ડાયપર ફોલ્લીઓ

image source

ડાયપર ફોલ્લીઓ નવજાત શિશુઓ અને બાળકોમાં ખૂબ જ સામાન્ય સમસ્યા છે. તે 7 થી 35% શિશુઓને અસર કરે છે. વર્ષ 2013 માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, માતાના દૂધથી બાળકને સ્નાન કરાવવાથી ડાયપરથી થતી ફોલ્લીઓમાં હાઈડ્રોકોર્ટિસોન જેવી અસર થાય છે.

મચ્છરના કરડવાથી

માતાના દૂધમાં એન્ટિબેક્ટેરિયલ એન્ટિબોડીઝ હોય છે જે મચ્છરના કરડવાથી થતા દુખાવામાં રાહત આપે છે.

દૂધથી સ્નાન કેવી રીતે કરાવવું જોઈએ –

image source

ચાલો અમે તમને જણાવીએ કે બાળકને દૂધથી સ્નાન કરાવવાની પદ્ધતિ શું છે:

– બાળકને દૂધથી સ્નાન કરાવવા માટે સૌથી પેહલા ડોલ અથવા ટબમાં નવશેકું પાણી ભરો.

– હવે તેમાં 150 થી 300 મીલી માતાનું દૂધ ઉમેરો. તમારે પાણીમાં એટલું જ દૂધ ઉમેરવું પડશે કે તે પાણીમાં ફીણ થઈ જાય.

– બાળકને 5 થી 15 મિનિટ સુધી આ પાણીમાં બેસાડો અને તેના આખા શરીરમાં દૂધનું પાણી રેડવું.

– આ પછી, બાળકને પાણીની બહાર કાઢો અને તેના શરીરને સ્વચ્છ ટુવાલથી સાફ કરો.

– બાળકના હાથ અને પગ પર બેબી મોઇશ્ચરાઇઝર લગાવો જેથી દૂધમાંથી મળેલા હાઇડ્રેટીંગ તત્વો ત્વચામાં જ રહે.

કેટલી વાર દૂધથી સ્નાન કરાવવું યોગ્ય છે-

image source

હવે તમે વિચારતા જ હશો કે દરરોજ કે અઠવાડિયામાં કે મહિનામાં કેટલીવાર બાળકને દૂધથી સ્નાન કરવું યોગ્ય છે. તો અમે તમને જણાવી દઈએ કે અઠવાડિયામાં એક કે બે વાર બાળકને માતાના દૂધથી સ્નાન કરાવવાથી તમારા બાળકની ત્વચા સ્વચ્છ, નરમ અને નિરોગી બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત