બીપી વારંવાર વધઘટ થયા કરે છે? તો ઘરે બનાવેલ આ પીણું તમને મદદ કરશે..
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાના ઉપાયો
આજની ભાગદોડ ભરેલ જીંદગીમાં વ્યક્તિઓ પોતાનું ધ્યાન રાખવાનું પણ ભૂલી જાય છે, જેના કારણે તેવી વ્યક્તિઓનું શરીર કેટલાક એવા રોગોનું શિકાર થઈ જાય છે જેનાથી છુટકારો મેળવવો લગભગ શક્ય નથી.
પરંતુ આવા રોગોને યોગ્ય ખાન-પાન અને નિયમિત એકસરસાઈઝ કરીને નિયંત્રણમાં રાખી શકાય છે. આવા કેટલાક જેવા કે, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓમાં વ્યક્તિને રોજ નિયમિતપણે દવાનું સેવન કરવાની જરૂરિયાત ઉભી થાય છે.
આજે અમે આપને બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક એવા પીણાં છે જેનું સેવન કરવાથી આપની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં ખુબ જ રાહત પ્રાપ્ત થાય છે.
તેમજ જો વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા હોય તો આવી વ્યક્તિએ સોડીયમયુક્ત આહારનું સેવન કરવું જોઈએ નહી. જો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત વ્યક્તિ સોડીયમયુક્ત આહારનું સેવન કરે છે તો તેના શરીરની કેટલીક નળીઓ બ્લોક થઈ શકે છે જેની સીધી અસર બ્લડ સર્ક્યુલેશન પર જોવા મળે છે.
હવે અમે આપને કેટલાક એવા પીણાં વિષે જણાવીશું જેને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ પી શકે છે ઉપરાંત આ પીણાનું નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકો છો.
-મધનું પાણી.:
આયુર્વેદમાં કેટલીક બીમારીઓના ઉપચાર માટે મધના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આં મધનું પાણી આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ મહત્વ ધરાવે છે. કેવી રીતે બનાવવું જોઈએ મધનું પાણી ?
મધનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક કપ પાણીને ગરમ કરવું. ત્યાર પછી આ ગરમ પાણીમાં એક ચમચી મધ અને એપલ સાઈડર વિનેગરના ૫ થી ૧૦ ટીપાં નાખવા. આ રીતે બનાવેલ મધના પાણીનું નિયમિત રીતે સવારના સમયે સેવન કરવું જોઈએ.
મધનું પાણી પીવાના ફાયદાઓ.:
- -શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
- -હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓના બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ખુબ મદદ કરે છે.
-બનાના મિલ્ક શેક.:
હાઈ બ્લડ પ્રેશરથી પીડિત કેટલીક વ્યક્તિઓને વધારે પડતા વિચારો વિચારવા લાગે છે કે પછી ખુબ જલ્દી ગુસ્સે થઈ જાય છે. તેવા સમયે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત વ્યક્તિએ પોતાના આહારમાં પોટેશિયમથી ભરપુર હોય તેવા આહારનું સેવન વધારી દેવું જોઈએ. પોટેશિયમ આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઈટની જેમ કામ કરે છે. પોટેશિયમ આપણા શરીરમાં કીડની દ્વારા ઉત્પન્ન થતા સોડિયમના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે.
કેળામાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે. કેળાનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ લાભકારક સાબિત થઈ શકે છે. જે વ્યક્તિઓને કેળા એકલા ખાવા પસંદ નથી તેવા વ્યક્તિઓએ બનાના મિલ્કશેક બનાવીને પી શકે છે. તેમજ કેળાને એકલા ખાવા પણ સ્વાસ્થ્ય માટે લાભકારક છે.
કાકડીનો રસ.:
કાકડી એક એવું ફ્રુટ છે જેમાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ તત્વ મળી રહે છે. ઉપરાંત કાકડીમાં પોટેશિયમનું પુરતું પ્રમાણ હોવાથી તે મુત્રવર્ધક પણ છે. શરીરમાં પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે જેના કારણે કાકડીનું સેવન કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ અને સોડિયમનું સંતુલને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.
કાકડીનો રસ બનાવવાની રીત.:
- -સૌપ્રથમ ચપ્પાની મદદથી કાકડીની છાલ ઉતારી લેવી.
- -ત્યાર બાદ છાલ ઉતારેલ કાકડીને ઉભા બે ભાગમાં કાપી લેવી.
- -હવે કાકડીની આ ચીરીઓને મીક્સરના જ્યુસના ગ્લાસમાં નાખીને ક્રશ કરી લેવી.
- -આમ કાકડીના રસને તૈયાર કરવામાં આવે છે. કાકડીના રસમાં આપ કાળા મરીનો ભૂકો નાખીને પણ સેવન કરી શકો છો.