જો તમે ચહેરા પરથી ડેડ સ્કિન દૂર કરવા માંગો છો, તો આ લેખ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આરોગ્ય નિષ્ણાતોના મતે, ચામડીની ઉપરની સપાટીના દર 30 દિવસે જૂના મૃત કોષોને બદલે છે, પરંતુ ક્યારેક પરસેવો અને મેકઅપ વગેરેના કારણે મૃત ત્વચા નવા કોષો પર અટકાઈ જાય છે. આ કિસ્સામાં, મૃત કોષોને દૂર કરવું જરૂરી બને છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે આ જૂના કોષોને સ્નાન વગેરે દ્વારા દૂર કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તેમને દૂર કરવા માટે સ્ક્રબની જરૂર પડે છે. એટલા માટે અમે તમારા માટે કેટલાક સ્કિન ફ્રેન્ડલી હોમમેઇડ સ્ક્રબ્સ લાવ્યા છે, જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા ચહેરાના ડાઘ અને મૃત ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ સ્ક્રબના નિયમિત ઉપયોગથી, તમે સ્વસ્થ-તેજસ્વી ત્વચા મેળવી શકો છો અને ત્વચા પરની અનેક સમસ્યા દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ આ સ્ક્રબ વિશે.
ચહેરા પરની મૃત ત્વચા દૂર કરવાના ઉપાયો
1. એલોવેરા સ્ક્રબ
- – આ સ્ક્રબ બનાવવા માટે, તમારે એલોવેરા જેલ, ચોખાનો લોટ અને મધની જરૂર પડશે.
- – આ માટે સૌપ્રથમ તાજું એલોવેરા જેલ કાઢીને તેને એક બાઉલમાં રાખો.
- – હવે તેમાં 1 ચમચી ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરો.
- – હવે આ સ્ક્રબથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરો.
- – 5 મિનિટ પછી તમારા ચેહરાને સાફ પાણીથી ધોઈ લો.
2. અખરોટ સ્ક્રબ
- – મુઠ્ઠીભર અખરોટ અને મધ લો અને તેને બ્લેન્ડરમાં પીસી લો.
- – હવે તેમાં થોડું મધ ઉમેરો અને મિક્સ કરો. તમારું સ્ક્રબર તૈયાર છે.
- – આ સ્ક્રબથી તમારા ચહેરાને થોડીવાર માટે મસાજ કરો.
- – સારી રીતે મસાજ કર્યા પછી, તમારા ચહેરાને પાણીથી ધોઈ લો
3. કોફીનું સ્ક્રબ
- – તમે સ્ક્રબ માટે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો.
- – આ સ્ક્રબ બનાવવા માટે તમારે 1 ચમચી કોફીની જરૂર પડશે
- – હવે એક ચમચી બ્રાઉન સુગર અને એક ચમચી મધ લો.
- – ત્યારબાદ આ ત્રણ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
- – પછી આ મિક્ષણ ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.
- – મસાજની લગભગ 5 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
- – આ મિક્ષણનો ઉપયોગ નિયમિત રીતે કરવાથી દાગ અને મૃત ત્વચા દૂર થઈ શકે છે.
તમે તમારી ત્વચા પરની સમસ્યા દૂર કરવા અહીં જણાવેલા સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ ચીજો તમારી ત્વચા માટે કોઈપણ આડઅસર વગર ફાયદાકારક છે. તેથી તમે આ ચીજોનો ઉપયોગ કરીને તમારી ત્વચાને સુંદર, બેદાગ અને સ્વસ્થ બનાવી શકો છો.