શું તમે જાણો છો કે ચણાના લોટમાં આવી રીતે થાય છે ભેળસેળ, ચેક કરવા માટે કામની છે આ ટિપ્સ
આપણામાંથી મોટાભાગના લોકો રોજ બેસન ખાવાનું પસંદ કરે છે. પછી તે મિઠાઈના રૂપમાં હોય, શાકના રૂપમાં હોય કે નમકીનના રૂપમાં. તે ખાવાનાનો સ્વાદ વધારવાની સાથે સાથે હેલ્થને પણ ફાયદો આપે છે. પણ શું તમે એ વાતની જાણકારી ધરાવો છો કે તે મિલાવટી એટલે કે નકલી કે ભેળસેળ વાળું પણ હોઈ શકે છે. આજકાલ બજારમાં મળતી દરેક ચીજ મિલાવટી જોવા મળે છે. તેમાં બેસનનો એટલે કે ચણાના લોટનો પણ સમાવેશ થાય છે. માર્કેટમાં અનેક બ્રાન્ડનું બેસન મળે છે. દરેક કંપની તેની શુદ્ધતાની ગેરેંટી પણ આપે છે. આ સમયે ગ્રાહક મુશ્કેલીમાં રહે છે કે કઈ કંપનીનું બેસન ખરીદવું યોગ્ય છે. ખાસ કરીને ગ્રાહકોએ સતર્કતા રાખવાની જરૂર છે. જો તેઓ કેટલીક નાની વાતોને જાણી લે છે તો તેઓ અસલી અને ભેળસેળ વાળા એટલે કે મિલાવટી બેસનની ઓળખ ફટાફટ જાતે જ કરી શકે છે.
આ રીતે કરાય છે મિલાવટ
સૌ પહેલા વાત કરીએ કે આખરે બેસનમાં મિલાવટ કેવી રીતે કરવામાં આવે છે. અસલી બેસનને માટે ચણાની દાળનો ઉપયોગ કરાય છે. નકલી બેસન તૈયાર કરવા માટે નફાખોરો 25 ટકા ચણાની દાળ લે છે અને આ સિવાયના 75 ટકામાં રવો, વટાણા દાળ, ચોખાનો પાવડર, મકાઈ અને ખેસારીનો લોટ તથા કૃત્રિમ રંગનો ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો અનેક લોકો ઘઉંના લોટમાં પણ કૃત્રિમ રંગ મિક્સ કરીને બેસન તૈયાર કરે છે.
આ 2 રીતે સરળતાથી ઓળખી શકાય છે નકલી કે મિલાવટી ચણાના લોટને
1. હાઈડ્રોક્લોરિક એસિડની મદદથી કરો ઓળખ
- જો તમે મિલાવટી અને અસલી બેસનની ઓળખ કરવા ઈચ્છો છો તો તમે હાઈડ્રોક્લોરિક એસિડની મદદ લઈ શકો છો.
- એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો અને તેમાં 2 ચમચી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- હવે તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ નાંખો અને 5 મિનિટ માટે આમ જ રહેવા દો.
- થોડી વાર બાદ બેસન જો લાલ રંગનું દેખાય તો સમજો કે બેસનમાં ભેળસેળ કરવામાં આવી છે.
2. લીંબુની મદદથી કરો મિલાવટી ચણાના લોટની ઓળખ
બેસનમાં મિલાવટ છે કે નહીં તે જાણવા માટે તમે 2 ચમચી ચણાનો લોટ લો.
તેમાં 2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો.
સાથે તેમાં 2 ચમચી હાઈડ્રોક્લોરિક એસિડ પણ મિક્સ કરી લો.
તેને થોડી વાર રહેવા દો.
જો તમને બેસન લાલ કે ભૂરા રંગનું દેખાય છે તો તેનો અર્છ એ છે કે તે ચણાનો લોટ નકલી છે.
આ માટે જરૂરી છે યોગ્ય ચણાના લોટની ઓળખ
મિલાવટી અને નકલી કે ભેળસેળ વાળા ચણાના લોટનો ટેસ્ટ કરવો જરૂરી છે કેમકે તે તમારી હેલ્થને બગાડવાનું કામ પણ કરી શકે છે. તેને ખાવાથી સાંધાના દર્દ, વિકલાંગતા અને પેટની બીમારીઓ સહિત અનેક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત