ચહેેરાની ડલનેસ દૂર કરે છે ચંદન, આ રીતે ઉપયોગ કરો તમે પણ

આપ સૌ જાણો છો એમ ચંદનનો ઉપયોગ વર્ષોથી પૂજા પાઠમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ચંદનનો ઉપયોગ ચહેરાની સુંદરતા વધારવા માટે પણ લોકો ઘણા વર્ષોથી કરતા આવ્યા છે. પ્રાકૃતિક ઔષધીય ગુણોથી ભરપૂર ચંદનનો ઉપયોગ ચહેરાની નિસ્તેજતાથી લઈને ખીલ, ટેનિંગ, એજિંગની તકલીફોને પણ દૂર કરવા માટે કરવાંમાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે ચંદનનો ઉપયોગ કરીને તમે તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.

image source

સામગ્રી:

ચંદન- અડધી ચમચી

મધ- અડધી ચમચી

ગુલાબજળ- એક ચમચી.

કેવી રીતે બનાવશો આ ફેસપેક

image source

એક બાઉલમાં ઉપર જણાવેલ ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. જો તમારા ચહેરાને મધ કે ગુલાબજળ માફક ન આવતું હોય તો તમે ચંદન સાથે દૂધ ભેળવીને ફેસપેક બનાવી શકો છો.

image source

કેવી રીતે કરશો આ ફેશપેકનો ઉપયોગ?

સૌથી પહેલા ચહેરાને સારી રીતે પાણીથી ધોઈ લો. પછી તૈયાર કરેલા પેકની મદદથી ચહેરા પર 5 મિનિટ સુધી મસાજ કરો. હવે એ પેકનો એક જાડો થર ચહેરા પર લગાવીને એને 30 મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યાર બાદ તાજા પાણીથી તમારો ચહેરો ધોઇ લો.

કેટલી વાર કરશો આ ફેશપેકનો ઉપયોગ?

તમે આ પેકનો ઉપયોગ રોજ પણ કરી શકો છો. આનાથી કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી પણ જો તમારી પાસે સમયનો અભાવ હોય તો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર તો આ પેક અચૂક લગાવો. એ વાતનું હંમેશા ધ્યાન રાખજો કે આ પેક લગાવ્યા પછી તમારે ચહેરા પર કોઈપણ મેકઅપ કે પછી ફેશવોશ કે સાબુનો ઉપયોગ નથી કરવાનો.તમે ઇચ્છો તો આ પેકને આખા શરીર પર પણ લગાવી શકો છો. એ માટે નહાવાના 5 મિનિટ પહેલા આ પેક આખા શરીરે લગાવી લો અને પછી નાહી લો.

image source

ક્યાં લોકો એ કરવો જોઈએ આ પેકનો ઉપયોગ.

. આ પેક સ્કિન પરથી ધૂળ-માટી હટાવીને સ્કિન પરથી નિસ્તેજતા દૂર કરે છે અને સ્કિન પર ગ્લો લાવે છે.

. જો તમારી સ્કિન પર ખીલ હોય તો તમે આ પેકનો ઉપયોગ કરી શકો છો.

image source

. એ સિવાય ડ્રાય સ્કિન માટે પણ આ પેક સૌથી શ્રેષ્ઠ છે.

. આ પેક લગાવવાથી ખીલની તકલીફ દૂર થઈ જાય છે.

.આ પેકની મદદથી તમારી ચામડીમાં પડેલી કરચલીઓ કે પછી લચી પડેલી ચામડીમાં પણ સુધારો થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત