ચ્યુઇંગમ ચાવવાથી મળે છે આ અનેક બીમારીઓમાં રાહત, શું તમે જાણો છો બીજા આ ફાયદાઓ વિશે?

ચ્યુઇંગમ ગમ માત્ર મોંને જ તાજું નથી કરતું,પરંતુ ચ્યુઇંગમ ચાવવાથી પણ ઘણા આરોગ્ય લાભ થાય છે.તમને જાણીને આશ્ચર્ય રહશે,કારણ કે અત્યાર સુધી આપણે માત્ર ચ્યુઇંગમના ગેરફાયદાઓ વિશે જ સાંભળ્યું છે,પરંતુ એક સંશોધન મુજબ ચ્યુઇંગમ ચાવવાથી સ્વાસ્થ્ય પર ઘણી સકારાત્મક અસરો પડે છે.ચ્યુઇંગમ ચાવવાથી વજન ઓછું થાય છે અને દાંતની પણ ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે.આજે અહીંયા અમે તમને ચ્યુઇંગમના ફાયદાઓ વિશે જણાવીશુ….

વજન ઘટાડવામાં ચ્યુઇંગમ

image source

ચ્યુઇંગમ ચાવવાથી વજન ઓછું થાય છે.ઓછી કેલરીવાળું ચ્યુઇંગમ ચરબી રહિત હોય છે,જે ચરબી બર્નનું કારણ બને છે.આ ચાવવાથી તમારા જડબાના સ્નાયુઓ પર અસર થાય છે.આટલું જ નહીં તમને વારંવાર લગતી ભૂખ પર પણ કાબૂ રહે છે સાથે મીઠાઇ ખાવાની તીવ્ર ઇચ્છા પણ ઓછી થઈ છે.આ ઉપરાંત,ચ્યુઇંગમ દિવસ દરમિયાન પ્રતિ કલાકમાં 11 કેલરી ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

પાચન માટે ચ્યુઇંગમ

image source

ચ્યુઇંગમ આંતરડાની ગતિને સુધારે છે.જ્યારે તમે તેને ચાવો છો,તે દરમિયાન મોંમાં વધુ લપસણો બને છે,જે પાચન એસિડને પેટમાંથી મોંમાં આવતા અટકાવે છે.તેથી ખોરાક આરામથી પચે છે અને પાચન શક્તિમાં સુધારો થાય છે.

ચ્યુઇંગમ મોંની બીમારીઓથી બચાવે છે

image source

જ્યારે પણ તમે ચ્યુઇંગમ ચાવતા હોવ તો તે મોમાં વધુ લપસણું બની જાય છે.દાંતના સડો,દાંતમાં પોલાણ જેવા મોંના રોગોથી બચાવે છે. તમારા મોમાં આવતી ખરાબ વાસ પણ ચ્યુઇંગમ ચાવવાથી દૂર થાય છે.હા,જો તમે વિચારી રહ્યા છો કે તમે તમારી મરજી મુજબની ચ્યુઇંગમ ખાઈ શકો છો,તો એવું નથી.તમારે ખાંડ વગરની ચ્યુઇંગમ ખાવી જોઈએ,જેથી તમારા દાંત સાડવાની બીક ન રહે.કૃત્રિમ મીઠાસવાળી ચ્યુઇંગમ ચરબી વધારવા ઉપરાંત દાંત પણ ખરાબ કરી શકે છે.

ડબલ ચિન દૂર કરવા માટે ચ્યુઇંગમ અસરકારક છે

image source

ડબલ ચિન,એટલે કે,જો તમારા ગળા પર ચરબી જમા થવા લાગે છે,તો ચ્યુઇંગમ ચાવવાથી સારી કસરત થઈ શકે છે.તેને ચાવવાથી દાંત પર પીળા ડાઘ પણ સાફ થઈ જાય છે અને તમારા દાંત ચમકવા લાગે છે.જો શ્વાસની ગંધ આવે તો ચ્યુઇંગમ ચાવવાથી દૂર થાય છે.

મગજની તંદુરસ્તી માટે ચ્યુઇંગમ ચાવવી જરૂરી છે

image source

જ્યારે તમે ચ્યુઇંગમ ચાવતા હો,ત્યારે હિપ્પોકેમ્પસ વધુ સક્રિય બને છે.હિપ્પોકેમ્પસ મગજના તે ભાગ છે જે યાદશક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.વધતી યાદશક્તિ સાથે,ચ્યુઇંગમ મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે.જ્યારે તમે ચ્યુઇંગમ ચાવતા હો ત્યારે તમારા હૃદયના ધબકારા વધે છે અને મગજને વધારે ઓક્સિજન મળે છે.

ચિંતા દૂર કરવા માટે ચ્યુઇંગમ

image source

ચ્યુઇંગમ ચિંતા અને અસ્વસ્થતાને દૂર કરવામાં મદદ કરે છે.સંશોધન દર્શાવે છે કે જે બાળકો પરીક્ષા દરમિયાન ચ્યુઇંગમ ચાવતા હતા તેઓ વધુ સજાગ હતા.કદાચ ચ્યુઇંગમ માત્ર તણાવ દૂર કરવામાં જ નહીં,પરંતુ જ્યારે પણ તમને તમારો સ્વભાવ ચિડચિડો લાગે,ત્યારે પણ તમે ચ્યુઇંગમ ચાવી શકો છો.આ જલ્દીથી તમારો સ્વભાવ બદલી દેશે.જેથી તમે ચિંતા મુક્ત અને સ્વસ્થ રેહશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,