સ્કીન અને વાળને હેલ્ધી રાખવા માટે નારિયેળ તેલનો આ છે ખાસ ઉપયોગ, તમે પણ કરી લો ટ્રાય
નારિયેળ તેલ સ્કીન અને વાળની સાથે કમાલનો ફાયદો આપે છે. નારિયેળ તેલમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સીડન્ટ અને ફેટી એસિડ હોય છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. અનેક વાર મોંઘા પ્રોડક્ટસની પણ આવી અસર જોવા મળતી નથી. જો તમે વાળ અને સ્કીનની સમસ્યાથી પરેશાન છો તો નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. તો જાણો કઈ સમસ્યામાં તે તમારી મદદ કરી શકે છે.
સ્કીન માટે ફાયદારૂપ છે નારિયેળ તેલ
નારિયેળ તેલમમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ડ્રાય સ્કીનમાં પોષણનું કામ કરે છે. આ સ્કીનમાં કોલેજનનું પ્રમાણ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ સિવાય કરચલીઓ અને ફાઈન લાઈન્સને ઘટાડે છે. નારિયેળ તેલમાં એન્ટી ઓકસીડન્ટની સાથે વિટામીન ઈ અને કે ખૂબ જ વધારે હોય છે સ્કીનને ટાઈટ કરવામાં મદદ કરે છે.
મેકઅપ હટાવવામાં કરે છે મદદ
નારિયેળ તેલનો ઉપયોગ તમે મેકઅપને હટાવવા માટે કરી શકો છો. નારિયેળ તેલ એક સારા મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. જો તમે સ્કીનને નરિશ અને મોઈશ્ચરાઈઝ્ડ કરવા ઈચ્છો છો તો રોજ મેકઅપ કરવો જોઈએ.
કેવી રીતે કરશો ઉપયોગ
રાતે સૂતા પહેલા નારિયેળ તેલ લો અને ચહેરા પર ડાઘ ધબ્બા પર લગાવો. આ સિવાય તમે નારિયેળ તેલથી આખા ફેસ પર પણ મસાજ કરી શકો છો. આ પછી સવારે ચહેરો હૂંફાળા પાણીથી ધોઈ લો. તમને ફરક દેખાશે.
વાળ માટે કેવી રીતે કરે છે ફાયદો
નારિયેળ તેલમાં ફેટી એસિડ હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ સ્કેલ્પ અને હેર ફોલિકલના પોષણને ઘટાડે છે. તેનાથી તમે વાળ લાંબા અને મજબૂત કરી શકો છો.
કેવી રીતે કરશો ઉપયોગ
5-7 મિનિટ સુધી નારિયેળ તેલથી વાળને સારી રીતે માલિશ કરો. હંમેશા મૂળથી શરૂ કરો. પછી છેડા સુધી જાઓ. વાળને ઓઈલિંગ કર્યા બાદ લગભગ પોણો કલાક રહેવાજો. પછી માઈલ્ડ ક્લીંઝરના રૂપમાં તમે તેને ઉપયોગ કરી શકો છો. તમે વાળને પોષણ આપવા માટે તેને ધોયા બાદ સ્પ્રે બોટલની મદદથી થોડું તેલ છાંટો. તેનાથી વાળ મોઈશ્ચરાઈઝ્ડ અને નરિશ જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત