ભારતના લોકો આજે પણ ઉધરસ તેમજ શરદી માટે ઘરગથ્થુ ઉપાયો પર વિશ્વાસ કરે છે તેમજ તેના પર નિર્ભર પણ છે. આ ઘરગથ્થુ ઉપાયો સામાન્ય શરદી અને ઉધરસને અસરકાર રીતે ઠીક તો કરે જ છે પણ તેની ખાસ બાબત એ છે કે તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આજના આ લેખમાં અમે તમારા માટે એવા જ કેટલાક ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ જે તમને સામાન્ય શરદી તેમજ ઉધરસમાં રાહત આપશે.
આદુની ચા/ઉકાળો
આદુની ચા માત્ર સ્વાદે સારી નથી હોતી પણ તે તમને સામાન્ય શરદી તેમજ ઉધરસમાં પણ રાહત આપશે. આ ચા તમને વહેતા નાક માં મદદ કરશે અને સાથે સાથે તમારા ગળામાંથી કફને પણ સાફ કરશે. આદુની ચાના વિવિધ ફાયદાઓની સાથે સાથે તે સામાન્ય શરદીમાં ઝડપી રાહત આપે છે.
લીંબુ, તજ અને મધનું મિશ્રણ
લીંબુ, તજ અને મધનું મિશ્રણ પણ સામાન્ય શરદી અને ઉધરસમાં રાહત આપે છે. આ સીરપ અસરકારક રીતે શરદી અને ઉધરસમાં રાહત આપે છે.
સીરપ કેવી રીતે બનાવવુઃ અરધી ચમચી મધમાં લીંબુના રસના ચાર-પાંચ ટીપા અને ચપટી તજનો પાવડર ઉમેરવો. આ સીરપને દીવસમાં બે વાર લેવું. તેનાથી શરદી અને ઉધરસમાં રાહત થશે.
હુંફાળુ પાણી
જો તમને શરદી તેમજ ઉધરસ થયા હોય તો તમારે દિવસ દરમિયાન હુંફાળુ પાણી પીતા રહેવું જોઈએ. તેનાથી તમારા ગળાને રાહત મળશે. હુંફાળુ પાણી ગળાની ખરાશને દૂર કરશે અને શરીરમાંના કફ તેમજ ચેપને દૂર કરશે.
હળદરવાળુ દૂધ
હળદર એ ભારતીય રસોડામાં ખુબ જ સરળતાથી મળી આવતો પદાર્થ છે, હળદર એક તીવ્ર એન્ટીઓક્સીડન્ટ છે જે ઘણી બધી સાવ્સ્થ્યલક્ષી સમસ્યાઓમાં મદદ કરે છે. હળદરવાળુ હુંફાળુ દૂધ તમને શરદી-ઉધરસમાં રાહત આપે છે. સુતા પહેલાં હળદરવાળુ દૂધ પીવાથી શરદી-ઉધરસમાં ઝડપી રાહત મળે છે.
મીઠા વાળા પાણીના કોગળા કરવા
આ સદીઓ જુનો ઉપચાર છે જે અસરકારક રીતે ઉધરસ-શરદીને દૂર કરે છે. તેમાં હળદર ઉમેરવાથી તે વધારે અસરકારક બને છે.
મધ અને બ્રાન્ડી
બ્રાન્ડી તમારા શરીરના તાપમાનને વધારીને તમારી છાતીને ગરમ રાખે છે અને બ્રાન્ડીમાં થોડું મધ ઉમેરવાથી તમને ઉધરસમાં રાહત થાય છે. માત્ર એક ટી સ્પુન બ્રાન્ડીમાં મધના થોડા ટીપા તમારા શરદી-ઉધરસને દૂર કરી શકે છે.
ઉકાળો
તુલસી, આદુ અને મરીને પાણીમાં ઉકાળી તેનો ઉકાળો બનાવી તેને પીવાથી તમને શરદી-ઉધરસમાં રાહત મળે છે. આ ત્રણ સામગ્રીઓ સામાન્ય શરદી-ઉધરસમાં અસરકારક ભાગ ભજવે છે.
મધ-લીંબુ અને હુંફાળુ પાણી
મધ-લીંબુ-હુંફાળા પાણીનું મિશ્રણ તમારા પાચન તેમજ તેના પરિભ્રમણ તંત્રને સુધારે છે. હુંફાળા પાણીમાં મધ ઉમેરી તેને પીવાથી તમારી સામાન્ય શરદી તેમજ ઉધરસ અંકુશમાં આવે છે.
આંબળા
આંબળા એક તીવ્ર ઇમ્યુનોમોડ્યુલેટર છે જે ઘણા બધા રોગો સામે રાહત આપે છે. સિઝનમાં રોજનું એક આંબળુ ખાવાથી તમને ઘણાબધા સ્વાસ્થ્યવર્ધક લાભ પ્રાપ્ત થાય છે અને તેમ કરવાથી તમારું લીવર સુચારુ રીતે કામ કરે છે તેમજ રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.
આદુ-તુલસીનું મિશ્રણ
આદુના રસમાં તુલસીના વાટેલા પાન ઉમેરી તેમાં થોડું મધ ઉમેરી તેનુ સેવન કરવાથી તમને ઉધરસમાં રાહત મળે છે.
અળશી
અળશી પણ તમને સામાન્ય શરદી-ઉધરસમાં રાહત આપે છે. તમે અળશીના બીજને તે જાડા થાય ત્યાં સુધી ઉકાળો અને તેનું પાણી ગાળી લો. તેમાં થોડાં ટીંપા લીંબુનો રસ અને મધ નાખી તેનું સેવન કરવાથી તમને શરદી-ઉધરસમાં રાહત મળે છે.
આદુ અને મીઠું
આદુંને ઝીણુ સમારી તેમાં મીઠું ઉમેરો. આ ટુકડાને ચાવવાથી તમને શરદી-ઉધરસ અને ગળાની ખરાશમાં રાહત મળે છે.
સાંતળેલું લસણ
લસણની થોડી કળી લઈ તેને ઘીમાં સાંતળી તે હળવું ગરમ હોય ત્યારે જ ચાવી જવું. તે સ્વાદે ભલે ભાવે તેવું ન હોય પણ તે તમને શરદી અને ઉધરસમાં રાહત આપશે.
ગોળનો ઉકાળો
પાણીમાં મરી, જીરુ અને ગોળ ઉમેરી તેને ઉકાળો. આ ઉકાળાનું ગરમ હોય ત્યારે જ સેવન કરવાથી તમને છાતીમાં ભરાયેલા કફમાં રાહત મળશે.
ગાજરનો રસ
આ અસામાન્ય ઘરગથ્થુ ઉપચાર તમને શરદી-ઉરસ સામે લડવામાં મદદ કરે છે. તે કદાચ તમને વિચિત્ર લાગે પણ આ પીણું તમને સામાન્ય શરદી-ઉધરસમાં રાહત આપશે. અને તે સિવાયના ગાજરના જ્યુસના ફાયદા તો તમે જાણતા જ હશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત