શુક્રવારે મુંડકામાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. ઉપરના માળે રહેતો આ બિલ્ડિંગનો માલિક ઘટના બાદથી ફરાર છે. એક સરકારી અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.
પોલીસે માલિકની ઓળખ મનીષ લાકરા તરીકે કરી છે, જોકે તે ઘટના સમયે બિલ્ડિંગમાં હાજર હતો કે કેમ તે જાણી શકાયું નથી. અધિકારીએ કહ્યું કે હાલમાં માલિકો ક્યાં છે તેની કોઈ માહિતી નથી. હાલ તેને પકડવા માટે શોધખોળ ચાલુ છે.
Advertisement
ઘટના સમયે બિલ્ડિંગના બીજા માળે મોટાભાગના લોકો હાજર હતા. આગ સૌથી પહેલા બિલ્ડિંગના પહેલા માળે લાગી હતી. પહેલા માળે સીસીટીવી અને રાઉટર બનાવતી કંપની હાજર હતી.
આ કંપનીઓના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલને પોલીસે કસ્ટડીમાં લીધા છે.જેમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement