Site icon Health Gujarat

ડોક્ટરોનો દાવો – સિંગર કેકેના હૃદયમાં 80 ટકા બ્લોકેજ, શોમાં એક્સાઇટમેન્ટના કારણે ગયો જીવ

બોલિવૂડ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથ કેકેનું કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન અવસાન થયું હતું. જે બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યારે કેકેના મૃત્યુ અંગે નવી માહિતી બહાર આવી રહી છે.

image source

હકીકતમાં, ઑટોપ્સી રિપોર્ટ વિશે માહિતી આપતા, ડૉક્ટરોએ કહ્યું કે કેકેની ડાબી કોરોનરી ધમનીમાં ઘણો અવરોધ જોવા મળ્યો છે. બાકીની ધમનીઓ અને પેટા ધમનીઓમાં કેટલીક જગ્યાએ બ્લોકેજ જોવા મળ્યા છે. લાઈવ શોમાં પરફોર્મ કરતી વખતે એક્સાઈટમેન્ટના કારણે ધમનીઓ વહેતી બંધ થઈ ગઈ હતી જેના કારણે તેની તબિયત લથડી હતી અને તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.

Advertisement
image source

ડૉક્ટરોનું કહેવું છે કે જો તે દરમિયાન સિંગરને CPR આપવામાં આવ્યું હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત. ડૉક્ટરે વધુમાં કહ્યું કે સિંગર કેકેને ડાબી કોરોનરી ધમનીમાં 80 ટકા બ્લોકેજ છે, જોકે 100 ટકા બ્લોકેજ ક્યાંય જોવા મળ્યું નથી.

 

Advertisement
Advertisement
Exit mobile version