Breast Feeding And Periods: શું ખરેખર સ્તનપાનને કારણે પિરીયડ્સ અનિયમિત થઇ જાય છે? જાણો આ વિશે તમે પણ
ગર્ભાવસ્થા પરિક્ષણ નકારાત્મક આવ્યું છે પરંતુ તો પણ તમે પીરિયડ્સમાં નથી થયા,આવી સ્થિતિમાં તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું પડે છે સાથે સાથે એ બાબત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે તમે બાળકને સ્તનપાન તો નથી કરાવી રહ્યાને ?જો હા તો આ કારણ પણ હોય શકે છે પીરિયડ્સની અનિયમિતતાનું … જો સ્થિતિ આવી છે તો ચિંતા કરવાની જરૂર નથી.તમારા બધા ડરને દૂર કરવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે માત્ર એક વાર તમારા ગાયનેકની જરૂર મળો…
ગર્ભાવસ્થાથી લઈને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી મહિલાઓને પીરિયડ્સ આવતા નથી.પરંતુ બાળજન્મ પછી પણ,પીરિયડ્સનું ચક્ર ફરી શરૂ થવામાં 1 થી 6 મહિનાનો સમય લાગી શકે છે.કોઈ સ્ત્રીને ડિલિવરી થયાના 2 મહિના પછી અને કોઈને ડિલિવરી થયાના 6 મહિના પછી પીરિયડ્સ શરૂ થઈ શકે છે. પરંતુ પીરિયડ્સની શરૂઆત અને પીરિયડ્સના ચક્રને નિયમિત કરવું એ બંને જુદી જુદી બાબતો છે …
જોકે પીરિયડ્સને કારણે મહિલાઓને લાખો સમસ્યાનો સામનો કરવો પડે છે.પરંતુ જો પીરિયડ્સ નિયમિત ન હોય અને પ્રવાહ યોગ્ય રીતે ન થઈ રહ્યો હોય,તો તે તેમના માટે એક મોટી સમસ્યા બની જાય છે.કારણ કે પીરિયડ્સની અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર જરૂર પડે છે.તેથી,તંદુરસ્ત જીવન માટે નિયમિત પીરિયડ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.તો ચાલો આજે વાત કરીએ કે બાળજન્મ પછી પીરિયડ્સ ફરી શરુ થવા માટે અથવા પીરિયડ્સ નિયમિત થવા માટે કેટલો સમય લાગે છે.ઉપરાંત,ડિલિવરી પછી પણ પીરિયડ્સમાં શા માટે ગડબડ થવાનું ચાલુ રહે છે…
સ્વસ્થ્યને લગતા પ્રશ્નો
જ્યારે બાળકના જન્મ પછી પીરિયડ્સ ફરી શરૂ થઈ જાય છે,ત્યારે સ્ત્રીઓ સામાન્ય રીતે આ સમસ્યાનો સામનો કરે છે કે તેઓને નિયમિતરૂપે પીરિયડ્સ નથી આવતા અથવા તેમને પીરિયડ્સનું ચક્ર બરાબર રીતે ચાલતું નથી.જો તમને સિઝરિયન ડીલેવરી થઈ છે,તો તમારે ચોક્કસપણે તે વિશે તમારા ડોક્ટર સાથે વાત કરવી જોઈએ.
ઘણી વાર મહિલાઓના બાળજન્મ પછી નિયમિત પીરિયડ્સ ન આવવાની કારણ એ પણ હોય છે કારણ કે સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય છે.ખરેખર,સ્તનપાન અને પીરિયડ્સ વચ્ચેનો સીધો જોડાણ હોર્મોન્સને કારણે થાય છે.
બાળકને સ્તનપાન કરાવતા સમયનો તમારા પીરિયડ્સ પર ખૂબ પ્રભાવ પડે છે.માની લો કે ડિલિવરી પછી તમારા પીરિયડ્સ ફરી શરૂ થાય છે અને પછી અચાનક લોહીનો પ્રવાહ ઓછો થાય છે અથવા વધે છે.અથવા પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે …જો આવું થાય છે,તો તમારે ડોક્ટર પાસે તપાસ કરાવી પડશે કે તમારા બાળકના સ્તનપાનના સમયમાં અથવા અવધિમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં.
કેમકે બાળક જેમ જેમ મોટા થાય છે તેની સાથે તેઓની માત્રા પણ વધે છે.આવી સ્થિતિમાં,તે વધુ સ્તનપાન કરે છે.આ શરીરમાં દૂધની રચનાને અસર કરે છે અને સ્ત્રીના હોર્મોન્સને પણ અસર કરે છે.આને લીધે,કેટલીક સ્ત્રીઓમાં પીરિયડ્સની અનિયમિતતા રહે છે,અને ઘણી સ્ત્રીઓને પીરિયડ્સ ઓછું પણ આવે છે.
ગર્ભાવસ્થા પરિક્ષણ નકારાત્મક આવે છે
ડિલિવરીના કેટલાક મહિનાઓ પછી,પીરિયડ્સ આવાનું ચાલુ થઈ જાય છે અને થોડા સમય પછી પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય છે,ત્યારે સ્ત્રીઓ તેમના ગર્ભાવસ્થાનું પરીક્ષણ કરે છે.આવું કરવું ખોટું નથી,કારણ કે ફરીથી ગર્ભાવસ્થા શક્ય છે.પરંતુ જ્યારે ગર્ભાવસ્થા પરિક્ષણ નકારાત્મક આવે છે,ત્યારે સમજો કે તે સ્તનપાનને કારણે થઈ રહ્યું છે.
પણ હજી સલામતીને ધ્યાનમાં રાખીને,તમારે ગાઈનેકને એકવાર મળવું જ જોઇએ.જેથી કોઈ અન્ય સમસ્યાની સંભાવના તમારા મગજમાં ન આવે અને ગાયનેક તમને તમારી રૂટિન અને સમયપત્રકને ધ્યાનમાં રાખીને સ્વસ્થ કેવી રીતે રહેવું તે કહી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત