પેટમાં થતી ગેસની તકલીફથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરવા દહીંમાં નાખીને ખાઓ આ વસ્તુઓ, થઇ જશે મોટી રાહત
દહીંનું સેવન તો દરેક ઘરમાં દરરોજ થાય જ છે,સાથે તમે દહીં ખાવાના ફાયદાઓ પણ જાણતા જ હશો.પરંતુ તમને જણાવી દઇએ કે દહીંમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાવાથી શરીરના અનેક રોગોમાં રાહત મળે છે.તો ચાલો અમે તમને જણાવીએ કે દહીંમાં કઈ ચીજો નાખીને તેનું સેવન કરવું જોઈએ,જેથી દહીંના ફાયદાઓ ડબલ થઈ જશે.
દહીંનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે.પરંતુ શું તમે જાણો છો કે દહીંમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે,જેથી દહીંનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે.દહીંમાં કેલ્શિયમ,પ્રોટીન અને વિટામિન જોવા મળે છે.દૂધ કરતાં દહીં સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે.દરેક લોકો દહીંમાં ખાંડ અથવા મીઠું ભેળવીને તેને ખાવાનું પસંદ કરે છે.પરંતુ દહીં સાથે અન્ય કેટલીક ચીજોનું મિશ્રણ ખાવાથી અનેક રોગોથી રાહત મળે છે.તો ચાલો આજે તમને જણાવી દઈએ કે કઈ સમસ્યા દૂર કરવા માટે દહીમાં શુ નાખીને ખાવું જોઈએ.
ખાંડ અને ડ્રાયફ્રુટ
પાતળા લોકોએ દરરોજ 1 વાટકી દહીંમાં સાકર અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ખાવું જોઈએ.આ મિક્ષણ ખાવાથી તમારો વજન યોગ્ય રીતે વધશે.તે વધતા જતા વજનની સાથે થાક અને નબળાઇને દૂર કરવામાં પણ મદદ કરે છે.
વરિયાળી
જે લોકોને સ્વસ્થ અને ઊંડી ઊંઘ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તે લોકોએ 1 વાટકી દહીંમાં 1/2 ટીસ્પૂન વરિયાળી નાખીને તેનું સેવન કરવું જોઈએ.સારી ઊંઘ લેવાની સાથે આ મિક્ષણ ગેસ અને બળતરાની સમસ્યામાં પણ રાહત આપે છે.
શેકેલું જીરું અને કાળું મીઠું
જો તમને પાચનની સમસ્યા હોય તો તમારે 1 વાટકી દહીંમાં સ્વાદ મુજબ કાળા મીઠું અને એક ચપટી શેકેલું જીરું નાખું આ મિક્ષણને ખાવું જોઈએ.આ મિક્ષણ ખાવાથી ભૂખને વધે છે અને તમારું પાચન મજબૂત થાય છે.
કેળા
કેળામાં વિટામિન,કેલ્શિયમ,આયરન વગેરે જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે.આવી સ્થિતિમાં જો તમને પેટને લગતી સમસ્યા કોઈ હોય તો કેળાને દહીંમાં મિક્ષ કરીને ખાવાથી રાહત મળે છે.તેમજ આ મિક્ષણનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
ઈસબગોલ
જો કોઈની ડાયરિયાની સમસ્યા થઈ છે,તે તે લોકોએ દહીંમાં ઈસબગોલ નાખી તેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.આ મિક્ષણ પેટને યોગ્ય રાખીને કોલેસ્ટરોલ ઘટાડે છે.
અહીં જણાવેલી બાબતોની જરૂરથી કાળજી લો
જાણો દહીં ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ ?
નાસ્તામાં દહીં ખાવું એ સૌથી ફાયદાકારક છે.સવારે દહીંનું સેવન કરવાથી પેટની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.દહીંથી બનેલી લસ્સી અને છાસ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જાણો દહીં ક્યારે ન ખાવું જોઈએ.
રાત્રે દહીં ખાવાથી પાચનમાં મુશ્કેલી થઈ શકે છે.આ પ્રકારના ખોરાકને પચવા માટે ઉર્જા બર્ન કરવાની જરૂર હોય છે.દહીં ખાધા પછી તરત જ સૂવું એ પાચનતંત્રને નબળું પાડે છે,તેથી રાત્રે દહીં ખાવાથી પેટમાં બળતરા વધે છે,તેથી જો શરીરમાં સોજો આવે છે.તેથી રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ.
દહીં ખોટા સમયે મોટી મુશ્કેલી થઈ શકે છે
રાત્રે દહીં ખાવાથી કફ,શરદી,સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.તેથી જો શક્ય હોય તો રાત્રે દહીં ખાવાનું ટાળવું વધુ સારું છે.દહીં રાત્રે તેમજ વસંત ઋતુમાં પણ ન ખાવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત