ફોલો કરો આ ટિપ્સ, અને માત્ર અઠવાડિયામાં જ કરી દો તમારા ખરતા વાળને બંધ, સાથે વધારી દો વાળનો ગ્રોથ પણ

વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે,આવી સ્થિતિમાં થોડી સાવચેતી રાખવી અને કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય છે.અત્યારના સમયમાં આ સમસ્યાનો ભોગ બનેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે ઘણા લોકોમાં આ સમસ્યા આનુવંશિક હોય છે, અથવા ઘણા લોકોને કોઈ ગંભીર રોગને કારણે વાળ ખરવા લાગે છે.ઘણી સ્ત્રીઓને સગર્ભાવસ્થા પછી અથવા તાત્કાલિક વજનમાં ઘટાડો થવાને કારણે પણ વાળ નબળા થવાની સમસ્યા થાય છે.તે જ સમયે,ઘણા અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે કે તાણ અથવા મૂંઝવણના કારણે લોકોના વાળ ખરવા લાગે છે.વળી વાળમાં ડેન્ડ્રફ અથવા કોઈ ઇન્ફેક્સન થવાના કારણે પણ વાળ ખરવું એ એક સમસ્યા બની જાય છે.

image source

આયુર્વેદ મુજબ વાળ ખરવાની સમસ્યા મુખ્યત્વે શરીરમાં વાત અને પિત્તની વધારે માત્રાને કારણે છે.પિત્તમાં એસિડ હોય છે અને જો તે વધારે હોય તો તે વાળમાં ડેન્ડ્રફ થવાનું કારણ બની શકે છે.તે જ સમયે વાત વધારેતાને કારણે વાળ ખુબ જ સુકાઈ જાય છે.વાળ ખરવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ હોવાથી,કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે અને કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.વાળ ખરવાના કેટલાક કિસ્સામાં આ ટીપ્સ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વાળને ખરતા અટકાવવા માટે આ ટિપ્સ અપનાઓ

-ઓલિવ તેલ સાથે બદામનું તેલ મિક્સ કરો અને તેમાં થોડા ટીપાં લીંબુ નાખો.તેને માથામાં લગાડી અને આખી રાત રહેવા દો અને બીજા દિવસે સવારે ધોઈ લો.

image source

-દરરોજ પાંચ બદામ,અનાજના દાણા,એક અખરોટ અને અંજીર ખાઓ.

-બ્રહ્મામી તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે.આ તેલની મદદથી વાળનો વિકાસ પણ ઝડપથી થાય છે.

– પ્રોટીનનું સેવન ફાયદાકારક છે.

– ઝીંક સપ્લિમેન્ટ્સ લેવાથી વાળની ​​વૃદ્ધિ થાય છે.

image source

-મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.તેને હેર પેકની જેમ વાળમાં લગાવો.આ વાળની ​​મૂળ મજબૂત બનાવે છે.

– ગાજર,આમળા, આદુ,ટમેટાનું મિક્ષણ પીવો.

– મેંદો અને અન્ય ખરાબ તેલથી દૂર રહેવું.

– તમારા વાળ ખરવાના નુકસાનને ઘટાડવા માટે તમે તમારા માથાની ચામડીને તેલથી માલિશ કરો.વાળ અને માથાની ઉપરની ચામડીને યોગ્ય રીતે માલિશ કરવાથી વાળની ​​રોમિકામાં લોહીનો પ્રવાહ વધે છે અને તમારા વાળના મૂળની શક્તિમાં વધારો થાય છે.તે તણાવથી દૂર રાખે છે અને આ માલિશ કરવાથી તમને ખુબ જ આરામ મળશે. તમે વાળની માલિશ કરવા માટે નાળિયેર અથવા બદામ તેલ,ઓલિવ તેલ,એરંડા તેલ,આમળા તેલ અથવા અન્ય તેલનો ઉપયોગ પણ કરી શકો છો.વધુ સારા અને ઝડપી પરિણામો માટે રોઝમેરી આવશ્યક તેલના થોડા ટીપાં તમારા તેલમાં ઉમેરો.

image source

તમારી આંગળીઓથી હળવા દબાણનો ઉપયોગ કરીને વાળ અને માથાની ચામડી ઉપર તમને જણાવેલ તેલમાંથી એક સાથે તમારા વાળની ​​માલિશ કરો.અઠવાડિયામાં ઓછામાં ઓછું બેવાર આ કરો.

image source

-ડુંગળીના રસમાં સલ્ફરની વધુ માત્રા હોય છે,જે વાળના કોશિકાઓમાં રક્ત પરિભ્રમણને સુધારે છે,વાળની ​​ફોલિકલ્સને ફરીથી બનાવવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે જે વાળ ખરતા ઘટાડે છે.ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે સૂક્ષ્મજંતુઓ અને પરોપજીવીઓને મારવામાં મદદ કરે છે જે વાળ ખરવા માટેનું કારણ બને છે અને માથાની ઉપરની ચામડીના ચેપનો ઉપચાર કરે છે.

image source

– એલોવેરામાં એન્ઝાઇમ હોય છે જે વાળના સ્વસ્થ વિકાસ માટે મદદગાર છે.ઉપરાંત તેના આલ્કલાઇન ગુણધર્મોને લીધે એલોવેરા વાળના પીએચને યોગ્ય સ્તરે લાવવામાં અને વાળના વિકાસને વધારવામાં મદદ કરી શકે છે.એલોવેરાના નિયમિત ઉપયોગથી માથાની ચામડીની ખંજવાળ દૂર થાય છે,માથાની ચામડીમાં થતી લાલાશ અને સોજો ઓછો થાય છે,વાળ મજબૂત થાય છે અને વાળની ચમક પણ વધે છે.એલોવેરાના ઉપયોગથી તમારા વાળમાં થતું ડેન્ડ્રફ ઓછું થાય છે. એલોવેરા જેલ અને એલોવેરાનો રસ બંને આ કાર્યમાં અસરકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત