જો તમે શિયાળામાં આ રીતેે હૃદયની લેશો કાળજી, તો ક્યારે નહિં થાય હાર્ટ સંબંધિત તકલીફો

શિયાળાની ઋતુમાં ઠંડી વધવાથી હૃદય નબળું પડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.તેથી શિયાળાની ઋતુમાં હૃદયની વિશેષ કાળજી લેવી જોઈએ.તો ચાલો જાણીએ આ ઋતુમાં હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખવું:

જો તમે બ્લડ પ્રેશર અને હ્રદયરોગનો શિકાર છો,તો તમે સવારે અને સાંજે ચાલવાનું ભૂલશો નહીં.તડકો નીકળ્યા પછી જ ફરવા જવું.જેથી તમે સ્વસ્થ રેહશો.

image source

શિયાળાની ઋતુમાં હૃદયના ગંભીર ચેપ,શ્વાસ અને શ્વાસનળીની સમસ્યાઓની શક્યતા વધે છે.જો તમે હૃદયના દર્દી છો,તો શરદી અને પ્રદૂષણથી બચવા માટે શક્ય તેટલું બધું કરો.શરીરને ગરમ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ઉનના કપડાં પહેરો.

image source

આ ઋતુમાં ઘણા પ્રકારના ચેપ લાગે છે.ઈન્ફલ્યુએન્ઝા અને ન્યુમોકોકલ ચેપ મુખ્ય છે.તેથી આ ચેપ અને ઠંડીથી બચવા માટે તમારા ડોક્ટરની સલાહ લો.
માત્ર શિયાળાની ઋતુ દરમિયાન જ નહીં પરંતુ દરેક ઋતુમાં અને અત્યારે ચાલતા કોરોનાના સમયમાં એક નિત્યક્રમ બનાવો અને તે જ નિત્યક્રમને અનુસરો.આ નિત્યક્રમમાં સમયસર ઉઠવું,સૂવું,ખાવાનું દરેક કાર્ય શામેલ હોવા જોઈએ.સાથે તમારે પર્યાપ્ત માત્રામાં આરામ પણ કરવો જોઈએ.આ હૃદયને સ્વસ્થ રાખે છે.

image source

આહાર હૃદય આરોગ્યને સ્વસ્થ રાખવા માટે સારી વસ્તુ છે.તમારે જંક-ફૂડનું સેવન બંધ કરી અને લીલા શાકભાજીઓનું સેવન કરવું જોઈએ.શરીરના પાણીની ઉણપ થવા ન દેવી જોઈએ અને લાલ માસના સેવનથી પણ બચવું જોઈએ.

સ્વસ્થ શરીરની રચનાઓ તમારા હૃદયને તપાસવામાં અને અન્ય રોગોની શક્યતાને ઘટાડવામાં મદદરૂપ છે. તેથી વજન વધવા ન દો અને આહારની યોગ્ય કાળજી લો.

image source

આરોગ્યની સમસ્યાઓ થતાંની સાથે જ બેદરકારી ન રાખશો.જેમ કે છાતીમાં દુખાવો,ખરાબ શ્વાસ,પગમાં સોજો અને ચક્કર આવે છે,પછી તે રક્તવાહિની રોગો હોઈ શકે છે.આવી સમસ્યાનો અનુભવ થતા તરત જ ડોક્ટરોની સલાહ લો.

અશ્વગંધાનું સેવન કરવાથી હૃદયને લગતા રોગોનું જોખમ ઓછું થાય છે કારણ કે તેમાં મળતા એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદગાર છે.અશ્વગંધાનું સેવન કરવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

image source

બટેટા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તે શરીરમાંથી કોલેસ્ટ્રોલ દુર કરે છે,તેથી તેનો ઉપયોગ હૃદયને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે.એક અહેવાલ મુજબ શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર વધવાથી હૃદયને ખરાબ અસર થઈ શકે છે.તેથી બટેટાનો રસ હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે.આ ઉપરાંત બટેટા ફાઇબરથી ભરપૂર હોય છે,જે વજનને નિયંત્રણમાં રાખે છે.એક અહેવાલ મુજબ વધતું વજન બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે.બટેટામાં પોટેશિયમ જેવા તત્વો પણ જોવા મળે છે,જે હૃદયને સ્વસ્થ રાખે છે.એક અહેવાલ મુજબ પોટેશિયમયુક્ત ખોરાકનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે અને બ્લડ પ્રેશર સાથે સંકળાયેલ હૃદયના રોગોના જોખમ સામે રક્ષણ આપી શકે છે.

image source

ધાણાનું જ્યુસ પણ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે.શિયાળાની ઋતુ દરમિયાન દરેક જગ્યાએ એકદમ તાજા ધાણા સરળતાથી મળે છે.તેથી તમારા હૃદયને મજબૂત રાખવા માટે દરરોજ તાજું ધાણાનું જ્યુસ પીવો.

image source

કોલેસ્ટેરોલનો વધારો તમારી ધમનીઓમાં એકઠા થાય છે અને ધમનીઓને અવરોધિત કરી શકે છે,જેના કારણે લોહી હૃદય અને મગજમાં પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી.આ કારણોસર કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટ એટેક,હાર્ટ ફેઇલર તેમજ સ્ટ્રોક જેવા હૃદય રોગો પણ વધી શકે છે.તેથી આ દરેક સમસ્યાને દૂર કરવા માટે લસણ એ એક રામબાણ ઈલાજ છે.તમારે દરરોજ સવારે એક કળી લસણનું સેવન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત