સડસડાટ વજન ઘટાડવું છે? તો આ રીતે કરો જામફળના પાંદડાઓનો ઉપયોગ, સાથે જાણો બીજા ફાયદાઓ વિશે પણ

તમે જાણતા હશો કે જામફળના પાનથી અનેક રોગોની સારવાર કરી શકાય છે.જામફળના પાંદડાઓ માટે ઘણાં ઘરેલું ઉપાયો અને ઉપચારો છે.જામફળ તો દરેક લોકોની પસંગીનું ફળ છે,પરંતુ જામફળના પાનના ફાયદાઓ વિષે ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે.જો ધ્યાનમાં લેવામાં આવે તો તેના પાંદડા જામફળના ફળ કરતા વધારે ફાયદાકારક છે.તે ઘણા બિમારીયોને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે.તો ચાલો જાણીએ જામફળના પાંદડાથી થતા ફાયદાઓ વિશે.

(1) તમારું વજન ઘટાડશે

image source

જામફળના પાન હાર્ડ સ્ટાર્ચને ખાંડમાં ફેરવવામાં રોકે છે.જે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે.આ જ કારણ છે કે જામફળના પાંદડાઓનો ઉપયોગ વજન ઘટાડવા માટે થાય છે.

(2) સફેદ દાગથી છુટકારો મેળવો

દિવસમાં બે વખત જામફળના તાજા પાનનો રસ પીવાથી સફેદ ફોલ્લીઓ મટે છે.

(3) મોના અલ્સરથી રાહત

image source

જામફળના પાન પર કાથો લગાવીને ચાવવાથી મોના અલ્સર દૂર થાય છે.

(4) ખંજવાળ દૂર કરે છે

જામફળના પાંદડામાં એન્ટિ-એલર્જિક ગુણ હોય છે.એલર્જી એ ખંજવાળનું મુખ્ય કારણ છે.તેથી એલર્જી દૂર થવાની સાથે જ ખંજવાળની સમસ્યા દૂર થાય છે.

(5) શરીરમાં શક્તિ વધારે છે

જામફળના પાંદડા વિટામિન સીથી ભરપુર હોવાથી તેમાં વધુ પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ હોય છે.તે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને શરીરને કોઈ નુકસાન થતા અટકાવે છે,પરંતુ જામફળના પાંદડામાં રહેલા એન્ટીઓકિસડન્ટો ફ્રી રેડિકલ સાથે જોડાય છે અને સ્વસ્થ કોષોને કોઈપણ પ્રકારના નુકસાનથી સુરક્ષિત કરે છે.જેથી શરીરમાં શક્તિનો વધારો થાય છે,જેથી આપણું શરીર સ્વસ્થ રહે છે.

(6) જામફળના પાંદડા ફાઈબરથી ભરપુર હોય છે.

image source

જેમ એન્ટીઓકિસડન્ટ મદદ કરે છે,તેમ તેમાં રહેલ ડાયટ ફાઇબર પણ મદદ કરે છે,પરંતુ ફાઈબરનું સેવન કરવાથી વધુ ભૂખ નથી લગતી,કારણ કે તે પચવામાં લાંબો સમય લે છે.તેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(7) સ્વસ્થ પાચન માટે ફાયદાકારક

image source

ફાઈબરથી ભરપૂર હોવાના ઘણા ફાયદા છે.ફાઇબર ખાવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે.જામફળના પાંદડામાં ફાઇબર હોય છે જે પચવામાં વધુ સમય લે છે.આ સ્થિતિમાં પાચક તંત્રએ વધુ મહેનત કરવી પડે છે જેથી આપણું પાચન સ્વસ્થ રહે છે.

(8) આયરનની પૂરતી માત્રા શામેલ છે

આયરાનના સેવનથી ઘણા ફાયદાઓ થાય છે,જેમ કે સામાન્ય બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિનનું યોગ્ય ઉત્પાદન.હિમોગ્લોબિન લોહીનો એક કોષ છે જે આખા શરીરમાં ઓક્સિજન વહન કરવાનું કાર્ય કરે છે.આયરનની યોગ્ય માત્રાને કારણે શરીરમાં ઓક્સિજનનો અભાવ નથી રહેતો અને તમામ અવયવો સારી રીતે કાર્ય કરે છે.તે એનિમિયા થવાની શક્યતા ઘટાડે છે.

(9) બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે

image source

આયરન ઉપરાંત પોટેશિયમ પણ જામફળના પાંદડામાં જોવા મળે છે.જેમ કે પોટેશિયમ બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.આ પાછળનું કારણ એ છે કે પોટેશિયમ જેવા ખનિજોની આંતરિક રક્ત વાહિનીની દિવાલો પર એક પાતળો પ્રભાવ પાડે છે,જે વાહિનીઓને સાંકડી થવામાં રોકે છે અને તે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

(10) હૃદયને સ્વસ્થ રાખે છે

પોટેશિયમ અને ડાયેટરી ફાઇબર જેવા આવશ્યક ખનિજો હૃદય માટે સારા છે.ફિટોકેમિકલ્સ જામફળના પાંદડામાં જોવા મળે છે જે ખરાબ કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.હૃદયની સમસ્યાવાળા લોકોને જામફળના પાનનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

(11) લીવરની સમસ્યા દૂર કરે છે

લીવરના કોષને નુકસાન પહોંચાડવા માટે એસ્પરટેટ એમિનોટ્રાન્સફેરેઝ નામનું એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે. જામફળનાં પાન આ એન્ઝાઇમને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે.તમારા આહારમાં જામફળના પાન ઉમેરવાથી લીવર સારી રીતે કાર્ય કરે છે અને એન્ઝાઇમ ઉત્પન્ન થવા દેતું નથી.તેથી લીવર સ્વસ્થ રહે છે.

(12) ડાયાબીટિઝની સમસ્યા દૂર કરે છે

image source

જામફળના પાન યોગ્ય રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે.આ હોર્મોન સુગરના પરમાણુને તોડવામાં મદદ કરે છે. ઉપરાંત વર્કઆઉટ પહેલાં જામફળના પાનનું સેવન કરવામાં આવે તો તે ઘણાં ફાયદા આપે છે.

(13) ઊંઘની સમસ્યા દૂર કરે છે

બધા ફાયદાઓ ઉપરાંત જામફળના પાનનું સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.વારંવાર યુરિનની સમસ્યાના કારણે તમારી ઊંઘ બગડે છે.આ સમસ્યા દૂર કરવા માટે જામફળના પાનને પાણીમાં ઉકાળીને તેની ચા પીવાથી વારંવાર યુરિનની સમસ્યા દૂર થાય છે,જેના કારણે તમારી ઊંઘ પણ નહીં બગડે.

(14) ત્વચાની સમસ્યા દૂર કરે છે

image source

ત્વચા પર ફ્રી રેડિકલ દ્વારા કરવામાં આવતા નુકસાન ઘણા છે.તમારા આહારમાં જામફળના પાનનો સમાવેશ કરો.જામફળના પાનમાં એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ વધારે છે જે ફ્રી રેડિકલ સામે લડવામાં અને ત્વચાને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

(15) ખરતા વાળની સમસ્યા માટે રામબાણ ઈલાજ

વધતી ઉંમર સાથે વાળ ખરવા સામાન્ય થવા લાગે છે.જામફળના પાનમાં રહેલા વિટામિન અને ખનિજો આ સમસ્યાને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે.આ માટે પહેલા જામફળના પાનને પાણીમાં ઉકાળો અને ત્યારબાદ પાણીને ગાળી લો.પાણી ઠંડુ થયા પછી આ પાણીથી વાળના મૂળમાં 20 મિનિટ સુધી માલિશ કરો અને પછી તમારા વાળ ધોઈ લો.તેમાં રહેલા વિટામિન અને ખનિજો તમારા વાળને પોષણથી સમૃદ્ધ બનાવશે અને તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરશે.

(16) ચેહરા પર થતા ખીલ દૂર થાય છે

image source

જ્યારે ત્વચા બેક્ટેરિયાથી બગડે છે,ત્યારે ત્વચા પર ખીલ આવે છે જેના કારણે ચેહરા પરની બળતરા વધે છે.આ સમસ્યા દૂર કરવા માટે જામફળના પાન પીસીને તેની પેસ્ટ ચેહરા પર લગાવો.આ ઉપાય ચેહરા પરના ખીલ દૂર થાય છે અને બેક્ટેરિયા સામે લડવામાં પણ મદદ મળે છે.આ ઉપરાંત તે ત્વચા પર એક સ્તર બનાવે છે જે બાહ્ય પેથોજેન્સ સામે રક્ષણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત