વધારે નહિં, પણ માત્ર 4 જ દિવસ જીરું પાણીમાં ઉકાળીને પીવો, 100 વર્ષ સુધી તમારા શરીરમાં નહિ આવવા દે એકપણ બીમારી
મિત્રો, જીરુ એ આપણા રસોઈઘરમા સૌથી મહત્વપૂર્ણ મસાલો છે. જીરા વિના કોઈપણ વાનગી સ્વાદિષ્ટ બની શકતી નથી. આ મસાલામા અનેકવિધ પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા શરીરમા પ્રવર્તતી અનેકવિધ બીમારીઓ સામે રાહત આપે છે.
આ જીરા મસાલામા ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન અને વિટામિન જેવા અનેકવિધ તત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આપણે જીરાનુ સેવન કરવાની યોગ્ય રીત અને તેના ફાયદા વિશે માહિતી મેળવીશુ.
સૌથી પહેલા તો એક પાત્રમા એક ગ્લાસ પાણીને ગ્રામ કરવા માટે મુકો. ત્યારબાદ આ પાણીમા જીરુ ઉમેરી તેને થોડા સમય માટે ઉકળવા માટે રાખી દો. આ પાણી ૧/૩ જેટલુ ના રહે ત્યા સુધી તેને ઉકાળો. તે ઉકળી જાય એટલે ત્યાર પછી તેમા અડધી ચમચી સફરજનનો સરકો અને મધ મિક્સ કરીને તેનુ સેવન વહેલી સવારે ભૂખ્યા પેટે કરો. આ ઉપાય અજમાવવાથી તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ મળી શકે છે, તો ચાલો જાણીએ.
ફાયદા :
મોટાપાની સમસ્યાથી રાહત મળે :
જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો તેના માટે જીરા પાણીનુ સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા રહેલી વધારાની ચરબીને માખણની જેમ ઓગળે છે. જો તમે નિયમિત ભૂખ્યા પેટે આ ઉપાય અજમાવો તો તમને આ મોટાપાની સમસ્યાથી રાહત મળી શકે છે.
પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય :
આ જીરામા પુષ્કળ માત્રામા ફાઈબર સમાવિષ્ટ હોય છે, જે તમારી પાચકશક્તિને મજબુત બનાવે છે અને ભોજનનુ યોગ્ય રીતે પાચન કરવામા પણ સહાયરૂપ થાય છે. જો તમે ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ જીરાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
કોલેસ્ટરોલનુ પ્રમાણ નિયંત્રિત રહે :
જો તમે નિયમિત ભૂખ્યા પેટે જીરા પાણીનુ સેવન કરો તો તમારુ કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે.
એનિમિયાની સમસ્યા નિયંત્રિત રહે છે :
જો તમે પણ લોહીની ઉણપની સમસ્યાથી પીડાતા હોવ તો તેના નિદાન માટે પણ આ જીરા પાણીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
આંખો માટે ફાયદાકારક સાબિત થાય :
જીરુ એ આપણી આંખોની નબળાઇને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તે આપણી આંખોનો તેજ વધારે છે અને આપણી આંખો પરના ચશ્માને દૂર કરે છે. જો તમને આંખો સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો આ જીરા પાણીનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત