કોલેસ્ટ્રોલથી લઇને લીવરને લગતી અનેક બીમારીઓ માટે કાચી કેરી છે અક્સીર, જાણો તમે પણ આ ફાયદાઓ વિશે
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે કાચી કેરી, જાણો એના કેટલાક ફાયદા.
આજે અમે તમને કાચી કેરી વિશે જણાવવા જઈ રહ્યા છે. કાચી કેરીનું નામ પડતા જ એનો એ ખાટો સ્વાદ યાદ આવી જાય અને મોઢામાં પાણી પણ આવી જાય.આમ તો તમને ખાવામાં સ્વાદિષ્ટ અને પાકેલી કેરી બહુ જ ભાવતી હશે પણ પાકી કેરી કરતા કાચી કેરી તમારા સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી છે. તો ચાલો જાણી લઈએ કઈ રીતે?.
ગેસ એસીડીટી.
જે લોકોને એસીડીટી અને પેટમાં બળતરાની તકલીફ રહેતી હોય એવા લોકોને કાચી કેરી ખાવી જોઈએ. એમની આ તકલીફ થોડા જ દિવસમાં દૂર થઈ જશે.
લીવર.
જે લોકોનું લીવર કમજોર હોય તેમને ડોકટર પણ કાચી કેરી ખાવાની સલાહ આપણે છે. કાચી કેરી ખાવાથી આંતરડા બરાબર સાફ થઈ જાય છે. જેના લીધે લીવરમાં બનતા રસનું ઉત્પાદન વધી જાય છે. એ સિવાય કાચી કેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને કેન્સરથી અને હાર્ટ અટેકથી બચાવવામાં મદદ કરે છે.
મેદસ્વીતા.
જો તમે ઘણા જ જાડા છો અને તમે તમારું આ જાડાપણું ઓછું કરવા માંગતા હોય તો તમારે કાચી કેરી ખાવી જોઈએ.
કોલેસ્ટ્રોલ.
જે લોકોનું કોલેસ્ટ્રોલ બહુ જ વધેલું રહેતું હોય એ લોકોએ કાચી કેરી ખાવી જોઈએ. કાચી કેરી ખાવાથી એમનું કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ ઝડપથી કાબુમાં આવી જશે.
આ સિવાય કાચી કેરીના બીજા પણ ઘણા ફાયદા છે જેમકે
-ઉલટી જેવું થવું કે જીવ ગભરાતો હોય તો કાચી કેરીને સંચળ સાથે ખાવાથી તમને રાહત મળે છે. થોડી જ વારમાં તમને સામાન્ય ફિલ થવા લાગશે.
– કાચી કેરીને નિયમિત રૂપે ખાવાથી તમે તમારા વાળનો કાળો રંગ જાળવી રાખી શકો છો. એટલું જ નહીં તમે ડાઘ વગરની અને ચમકતી સ્કિન પણ મેળવી શકો છો. એનાથી ચામડીમાં કસાવ જળવાઈ રહે છે.
-સુગરની તકલીફ હોય તો કાચી કેરી ખાવાથી તમારું સુગર લેવલ ઓછું થઈ શકે છે. કાચી કેરીનો ઉપયોગ કરી તમે શરીરમાં આર્યનની પૂરતી પણ સરળતાથી કરી શકો છો.
– કાચી કેરીમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે, જે તમારી સુંદરતાનું ધ્યાન રાખે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આનો ઉપયોગ આંખો માટે પણ ઘણો ફાયદાકારક નીવડે છે.
– જો તમને ખૂબ જ પરસેવો થતો હોય તો કાચી કેરીનું સરબત કે પછી બીજી કોઈ રીતે એનો ઉપયોગ કરવાથી તમને આ તકલીફમાંથી સરળતાથી છુટકારો મળી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત