Site icon Health Gujarat

કપિલ દેવઃ ‘જ્યારે જરૂર પડે ત્યારે આઉચ થઈ જાય, કપિલ દેવે રોહિત-રાહુલ-કોહલી પર કર્યા આકરાં પ્રહારો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ખતમ થયા બાદ હવે તમામની નજર દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પર છે. પરંતુ આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના ટોપ-2 બેટ્સમેન એટલે કે કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નહીં પરંતુ કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે. આ દરમિયાન હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના ટોપ-3ના ફોર્મ પર મોટો સવાલ ઉઠાવ્યો છે.

કપિલ દેવનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાના આ ત્રણેય ખેલાડીઓની વિશ્વસનીયતાના દાવ પર છે, ત્રણેય દબાણમાં છે પરંતુ આ ચિંતાનો વિષય ન હોવો જોઈએ. તમારે ડર્યા વગર ક્રિકેટ રમવું પડશે, આ ત્રણ ખેલાડીઓ એવા છે જે 150-160ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શકે છે.

Advertisement
image source

પૂર્વ કેપ્ટને કહ્યું કે જ્યારે પણ રન બનાવવાની જરૂર પડે છે ત્યારે તેઓ આઉટ થઈ જાય છે. જ્યારે પણ દાવને ઝડપી બનાવવાનો હોય છે ત્યારે તેઓ આઉટ થઈ જાય છે. આના કારણે ટીમ પર દબાણ વધે છે, તમે કાં તો સ્ટ્રાઈકરની ભૂમિકા ભજવો અથવા તો એન્કરની ભૂમિકામાં રહો.

કપિલ દેવે કેએલ રાહુલ વિશે પણ વાત કરી અને કહ્યું કે તેની ભૂમિકા વિશે સ્પષ્ટ હોવું જરૂરી છે. જો ટીમ તેમને કહે કે તમારે 20 ઓવર રમવાની છે અને તમે 60 રન બનાવીને નોટઆઉટ આવો છો, તો તમે યોગ્ય નથી કરી રહ્યા. તમારે તમારો અભિગમ બદલવો પડશે, જો આમ નહીં થાય તો તમારે પોતે જ ખેલાડી બદલવો પડશે.

Advertisement
image source

ખરાબ ફોર્મ વચ્ચે કોહલી-રોહિતને આરામ

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્માને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આઈપીએલ 2022 સીઝન બંને માટે સારી રહી ન હતી, આ સિવાય બંનેને આગામી વ્યસ્ત શેડ્યૂલ પહેલા થોડો આરામ આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. KL રાહુલે IPL 2022 માં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું હતું અને તે બેટ્સમેન તરીકે શાનદાર ફોર્મમાં હતો. કેએલ રાહુલે સિઝનમાં 600થી વધુ રન બનાવ્યા હતા.

Advertisement
Advertisement
Exit mobile version