વજન ઘટાડવાથી લઈને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ખુબ ફાયદાકારક છે કસૂરી મેથી.

વજન ઘટાડવાથી લઈને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં ખુબ ફાયદાકારક છે કસૂરી મેથી.

મેથી એક અદ્દભુત ઔષધી છે. મેથીના બીજ, મેથીના પાંદડા અને સુકી મેથીના પાંદડા કે પછી કસૂરી મેથી જેવા સ્વરૂપોમાં ઉપલબ્ધ છે. મેથીના ઉપચારોથી માનવ સ્વાસ્થ્ય માટે જરૂરી પોષકતત્વોની સાથે લાભકારક છે. વજન ઘટાડવાથી લઈને બ્લડ સુગર નિયંત્રણ કરવાના ફાયદાની સાથે આ ફૂડને પોતાના આહારમાં જરૂર સામેલ કરવું જોઈએ, ખાસ કરીને મહિલાઓએ.

-પેટનું સ્વાસ્થ્ય:

image source

પીરીયડ્સ શરુ થવાથી મેનોપોઝ સુધી મહિલાના શરીરને કેટલાક બદલાવનો સામનો કરે છે. જો કે, એમાંથી મોટાભાગે પેટને લગતી હોય છે, એટલામાટે આ પાચન સ્વાસ્થ્યને ખરાબ કરે છે. પોતાના ભોજનમાં મેથીના સુકા પાંદડાને સામેલ કરવા એક સારો વિકલ્પ છે. કબ્જથી છુટકારો મેળવવા માટે કસૂરી મેથીને પાંચ મિનીટ માટે ઉકાળી લે. આ પાણીને ગાળવાની જરૂર નથી. તેને ઠંડુ કરીને, થોડું મધ ભેળવો. ક્બ્જથી છુટકારો મેળવવા માટે આ રસનું સેવન દિવસમાં બે વાર કરો.

-ગર્ભાવસ્થા પછી ફાયદાકારક.:

કસૂરી મેથીનું સેવન ગર્ભાવસ્થા પછી કરવાથી લાભકારક સાબિત થાય છે. સ્તનપાન કરાવતી માતાઓને કસૂરી મેથીનું સેવન કરવું. કસૂરી મેથીમાં મળેલ ડાયોસિજ્નીન કંપાઉંડ સ્તનના દુધમાં વધારો કરે છે. જે સ્ત્રીઓને દૂધ ઓછું બને છે તેમને બાળકોને સરળતાથી સ્તનપાન કરાવવામાં મદદ મળે છે.

-સંક્રમણોથી લડે છે.:

સંક્રમણથી દુર રહેવા ઈચછીત મહિલાએ દરરોજ કસૂરી મેથીનું સેવન કરવું જોઈએ. કસૂરી મેથીનું પ્રતિદિન સેવન કરવાથી હ્રદય, ગૈસ્ટ્રીક અને આંતરડાની સમસ્યા નથી થતી. જો પેટની સમસ્યા છે, તો પાંદડાઓને સુકવીને પીસી લો, તેમાં કેટલાક ટીપાં લીંબુનો રસ ભેળવો. તેને ઉકાળેલ પાણીની સાથે લો.

-એનીમીયાનો ઉપચાર.:

image source

ભારતમાં ત્રણથી ચાર મહિલાઓ એનીમિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં સ્ત્રીઓ માટે મેથીનું સેવન કરવું લાભકારક રહે છે, એમાં ખુબ જ વધારે પ્રમાણમાં આયર્ન હોય છે, જે શરીરમાં હિમોગ્લોબીનનું સ્તરને વધારે છે. એટલા માટે જો આપ એનીમિયાથી પીડાઈ રહ્યા છો, તો આહારમાં મેથીના પાંદડાને સામેલ કરવી જોઈએ.

હોર્મોનલ બદલાવ.:

ઉમર વધવાની સાથે પીરીયડ્સ, ગર્ભાવસ્થા અને મેનોપોઝના કારણે શરીરમાં હોર્મોનલ બદલાવ થાય છે. કસૂરી મેથીનું સેવન હોર્મોનલ બદલાવના કારણે થનાર લક્ષણો અને સમસ્યાઓનો સામનો કરવા માટે હોર્મોનલ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે.

બ્લડસુગરને નિયંત્રિત કરે છે.:

ડાયાબીટીસથી પીડિત મહિલાઓને વધારે સંભાળની જરૂર હોય છે. દિવસ દરમિયાન કઈપણ ખાવાથી મોટાભાગે શરીરમાં બ્લડસુગરનું સ્તર વધી જાય છે. મેથીમાં એંટી-ડાયાબીટીસ ગુણ હોય છે જે બ્લડસુગરને નિયંત્રિત કરે છે. ટાઈપ-૨ ડાયાબીટીસ થવાની સંભાવનાને પણ ઘટાડે છે. ડાયાબીટીસના દર્દી મેથીનું નિયમિતપણે સેવન કરવાથી બ્લડસુગર કંટ્રોલમાં રહેશે.

વજન ઘટાડવામાં મદદગાર.:

કસૂરી મેથીના પાંદડાને ચાવીને ખુબજ ઓછા સમયમાં વજન ઘટાડી શકો છો. મેથીનું સેવન ખાલી પેટે સેવન કરો. એમાં ઉપલબ્ધ ઘુલનશીલ ફાઈબરથી પેટ જલ્દી ભરાઈ જાય છે અને વારંવાર ભૂખ નથી લાગતી.