Site icon Health Gujarat

કસૂરી મેથીનું સેવન આ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, વાંચો આ લેખ અને મેળવો માહિતી…

કસુરી મેથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે, તેમજ ખોરાક નો સ્વાદ વધારે છે. કસુરી મેથી નું સેવન કરવાથી તમને અનેક પ્રકારના રોગોથી બચાવી શકાય છે. આયુર્વેદમાં કસુરી મેથીના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદ ના નોંધેલા ડોક્ટર અબરાર મુલતાનીના જણાવ્યા અનુસાર કસુરી મેથીનું નિયમિત સેવન તમને અનેક રોગોથી બચાવે છે. તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

કસુરી મેથી શું છે ?

Advertisement
image soucre

દેશના મશુર આયુર્વેદના ડોક્ટર અબરાર મુલતાની જણાવે છે કે મેથીના પાન ને સૂકવીને કસૂરી મેથી બનાવવામાં આવે છે. મેથી નો છોડ ફેબાસી પરિવારનો છે. તેના પાન અને બીજ નો ઉપયોગ ગરમ મસાલા તરીકે થાય છે. સ્વાદની સાથે સાથે તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણ પાચન ની સમસ્યાઓને મટાડી શકે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે.

ફાયદા :

Advertisement

ચેપને અટકાવે છે :

કસુરી મેથીમાં વિટામિન સી અને આયર્ન હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે. તે ખીલની સમસ્યાઓ પેદા કરતા બેક્ટેરિયા નો પણ નાશ કરે છે.

Advertisement

એનિમિયામાં ફાયદાકારક :

image source

સ્ત્રીઓમાં ઘણીવાર એનિમિયા જોવા મળે છે. કસુરી મેથી ને તમારા ખોરાકનો એક ભાગ બનાવો. મેથી ની લીલોતરી ખાવાથી એનિમિયામાં લાભ થાય છે.

Advertisement

સ્તનપાન કરાવતી માતાઓ માટે ફાયદાકારક :

image soucre

કસુરી મેથી સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. કસુરી મેથીમાં જોવા મળતું એક પ્રકારનું સંયોજન સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે માતાના દૂધ ને વધારવામાં મદદ કરે છે.

Advertisement

પેટની ઇન્ફિનિટિસ અટકાવે છે :

image soucre

પેટ ની બિમારીઓથી બચવું હોય તો કસુરી મેથી ને ભોજન નો એક ભાગ બનાવો. કસુરી મેથી હૃદય, ગેસ્ટ્રિક અને આંતરડા ની સમસ્યાઓને પણ મટાડે છે.

Advertisement

વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

image soucre

વાળ ની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કસુરી મેથી નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જોવા મળતા પ્રોટીન, લેક્ટિન્સ અને નિકોટિન જેવા પોષક તત્વો વાળના વિકાસ તેમજ વાળ મજબૂત કરવામાં અસરકારક બની શકે છે. આ ઉપરાંત વાળના મૂળિયા મજબૂત કરવા અને વાળ ને ઘટ્ટ કરવામાં પણ ફાયદો થાય છે.

Advertisement

વજન નિયંત્રણમાં રાખે છે :

image source

જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો તમારા માટે મેથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે તમારા રોજિંદા ખોરાકમાં કસ્તુરી મેથીનો ઉપયોગ કરો. તેને બ્રેકફાસ્ટમાં સામેલ કરો. કસ્તુરી મેથી નું ખાલી પેટ સેવન કરવું વધારે યોગ્ય રહેશે.

Advertisement

બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે :

image source

કસ્તુરી મેથી ખાવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એવામાં જે લોકો ડાયાબિટીસ થી લડી રહ્યા છે, તેમણે તો કસ્તુરી મેથી નું સેવન કરવું જ જોઇએ. તેમાં રહેલ હાઇપોગ્લાઇસેમિક ગુણ બ્લડમાં શુગર ના પ્રમાણને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે રાત્રે દસ ગ્રામ મેથીને ચાલીસ મિલી પાણીમાં નાંખીને રહેવા દો. તેને સવારે ખાલી પેટ પી લો. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Advertisement
Advertisement
Exit mobile version