કેમ ભાઈ આટલો બધો શું વાંધો છે? શૈલેષ લોઢા વિશે સવાલ પૂછતાં પ્રેસ કોન્ફરન્સ અડધેથી છોડીને ઉભી પૂંછડીએ ભાગ્યા જેઠાલાલ

‘વાગલે કી દુનિયા’માં શ્રીનિવાસ વાગલેનો રોલ કરતાં એક્ટર અંજન શ્રીવાસ્તવનો 2 જૂનનાં 74મો બર્થ ડે હતો. તેમનાં જન્મ દિવસની પાર્ટી ઉજવવામાં આવી હતી. જેમાં ટીવીની દુનિયાનાં મોટા મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. તેમાં અંજન શ્રીવાસ્તવનાં જન્મ દિવસે ખાસ બનાવવાં દિલીપ જોશી એટલે કે જેઠાલાલે પણ હાજરી આપી હતી.

image source

ટીવી શો ‘તારક મેહતા’ હજુ પણ દર્શકોના પસંદનો શો છે. નાના બાળકોથી લઇ મોટેરા સૌ કોઇ તેને જોવાનું પસંદ કરે છે ત્યારે હવે આ શોમાંથી ‘તારક મેહતા’ એટલે કે શૈલેષ લોઢા શૉ છોડીને જઇ રહ્યાં છે શું આ ખબર પાક્કી છે..આ સવાલનો જવાબ આપવાની જગ્યાએ દિલીપ જોશી પ્રેસ છોડીને ચાલ્યા જાય છે.

આ સમયે જેઠાલાલને પ્રેસ દ્વારા કેટલાંક સવાલ કરવામાં આવ્યાં હતાં. સૌ પહેલાંતો અંજન શ્રીવાસ્તવનાં 74માં જન્મ દિવસ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જવામાં દિલીપ જોશીએ કહ્યું હતું કે, જુઓ ઉંમર તો માત્ર એક આંકડો છે. તેઓ આજે પણ વાગલે કી દુનિયાથી લોકોનું મનોરંજન પુરુ પાડી રહ્યાં છે.

શું તમે અને અંજન શ્રીવાસ્તવ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું છે તેનાં જવાબમાં દીલિપ જોશીએ કહ્યું હતું કે, અમે બંનેએ સાથે એક ફિલ્મ કરી હતી. જેનું નામ હતું ‘દિલ હૈ તુમ્હારા’ અને જેને કુંદન શાહે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમે આઉટડોર શૂટિંગ માટે ઘણાં દિવસો સાથે હતાં અને અમે ખુબજ મસ્તી કરી હતી.

image source

તેમની બર્થ ડે પાર્ટીમાં ‘વાગલે કી દુનિયા’ સીરિયલના હાલના કલાકારો અને 80ના દશકામાં પ્રસારિત થયેલી આ જ નામની સીરિયલના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં સતીશ કૌશિક, દિલીપ જોષી સહિતના જૂના મિત્રોને મળીને અંજન શ્રીવાસ્તવ ખુશ જણાઈ રહ્યા હતા. સાથે જ પોતાના શોને મળેલી સફળતા અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પાર્ટીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોષી પણ ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે અંજન શ્રીવાસ્વને શુભકામના આપી હતી. આ સિવાય અન્ય વાતો પણ કરી હતી પરંતુ એક્ટર શૈલેષ લોઢાના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાનો સવાલ પૂછાતા જ દિલીપ જોષી ઊભા થઈને જતા રહ્યા હતા.