ખાટા ફળો ખાવાથી થાય છે પથરી, તમે પણ આ 6 ફળો ખાવાનું ટાળો નહિં તો…
https://akm-img-a-in.tosshub.com/aajtak/images/photo_gallery/202012/water_1_1200.jpgમિત્રો, તમને ખ્યાલ જ હશે કે, કિડની સ્ટોન એ ખૂબ જ જોખમી સમસ્યા છે. આ સમસ્યાની પીડા એટલી અસહ્ય હોય છે કે, તે કોઈપણ માનવીની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. જ્યારે નમક અને શરીરના અન્ય ખનિજો એકબીજાના સંપર્કમા આવે છે ત્યારે કીડની સ્ટોનનુ જોખમ વધે છે અને તેનુ કોઈપણ નિશ્ચિત કદ હોતુ નથી.
ડોકટરોના મત મુજબ મનુષ્યના શરીરમા ચાર પ્રકારના કોઈપણ પથ્થરો હોય શકે છે. આ ચાર પ્રકારો એટલે કેલ્શિયમ સ્ટોન , સ્ટ્રુવાઇટ સ્ટોન , યુરિક એસિડ સ્ટોન અને સિસ્ટાઇન સ્ટોન છે. તો ચાલો જાણીએ કે, એવી કઈ ચીજવસ્તુઓ છે કે, જેનુ સેવન કરવાથી તમને આ પથરીની સમસ્યા થઇ શકે છે.
એનિમલ પ્રોટીન :
પ્રાણીઓના માંસનુ સેવન કરવાથી જે પ્રોટીન મળે તે શરીરમા કેલ્શિયમ ઓક્સાલેટ , કેલ્શિયમ ફોસ્ફેટ અને યુરિક એસિડ સ્ટોન થવાનુ જોખમ વધારી દે છે. તેથી, આપણે આપણા ભોજનમા એનિમલ પ્રોટીનનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો. જો તમે પ્રોટીન મેળવવા ઈચ્છતા હોવ તો ફળો, શાકભાજી, દાળ, મગફળી, સોયાફૂડ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
વધુ પડતુ સોડિયમ :
જો તમારા ખાદ્યપદાર્થોમા સોડિયમની માત્રા વધુ પડતી હોય તો તે તમારા માટે જોખમકારક સાબિત થઈ શકે છે. બહારના ભોજન સાથે વધુ પડતુ નમકનુ સેવન ટાળવુ જોઈ
ઓક્સાલેટ વસ્તુઓનુ સેવન :
પથરીની સમસ્યાથી પીડાતા લોકોને ડોકટરો ઓક્સલેટ વસ્તુઓના ખાવાની સલાહ આપે છે. પાલક, ક્રેનબરી, આખા અનાજ, શક્કરીયા તથા ચોકલેટ વગેરેમા ઓક્સેલેટ પૂરતા પ્રમાણમા મળી આવે છે. કેટલાક લોકો ટામેટા ખાવાની પણ ના પાડે છે કારણકે, ટામેટાંમા પણ અમુક અંશે ઓક્સાલેટ જોવા મળે છે.
વિટામિન સી :
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો હવે વિટામિન-સી અથવા સાઇટ્રિક ફળ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. કદાચ તમે ભૂલી રહ્યા છો કે વિટામિન-સી નુ વધુ પડતુ સેવન એ પથરી ની સમસ્યા ઉદ્ભવવા માટેનુ કારણ બને છે. તેથી જ લોકોને નારંગીથી બનેલા ઉત્પાદનો ઓછા ખાવાની સલાહ આપવામા આવે છે.
સબ્જીઓનુ સેવન ટાળો :
પથરીનુ જોખમ વધવાની સ્થિતિમા આપણે અમુક સબ્જીઓ જેમકે, ટામેટા ના બીજ, રીંગણ ના બીજ , કાચા ચોખા, અડદ અને ચણાનુ સેવન ટાળવુ જોઈએ.
કોલ્ડડ્રિંક્સ નુ સેવન ટાળવુ :
જ્યારે આપણે પથરીની સમસ્યાથી પીડાતા હોઈએ છીએ ત્યારે શક્ય તેટલુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે પરંતુ, આ સમયે આપણે કોલ્ડડ્રીન્કસ નુ સેવન ટાળવુ જોઈ કારણકે, તેમાં હાજર ફોસ્ફોરિક એસિડ પથરીનુ જોખમ વધારે છે.
હવે જો તમે આ પથરીની સમસ્યાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો ડિટોક્સિફિકેશન અત્યંત આવશ્યક છે. કિડનીને પ્રાકૃતિક રીતે ડિટોક્સિફાય કરવા માટે તમારે વધારે પાણી પીવું જોઈએ અને તે સિવાય આમળા, દાડમ અને સફરજનના સરકો જેવી ચીજવસ્તુઓનુ સેવન કરવુ જેથી, તમને આ પથરીની સમસ્યામા રાહત મળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત