Site icon Health Gujarat

લ્યો સાંભળો વાત, લગ્ન થયા નથી કે જોરુ કા ગુલામ થઈ ગયો, નીતુ કપૂરને 5 દિવસમાં એક જ વાર ફોન કરે છે રણબીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નથી નીતુ કપૂર સૌથી ખુશ વ્યક્તિ છે. જ્યારથી આલિયા ભટ્ટે નીતુ કપૂરના ઘરમાં પુત્રવધૂ તરીકે પગ મૂક્યો છે ત્યારથી અભિનેત્રી આલિયાના વખાણ કરતાં થાકતી નથી. નીતુ કપૂર તેના પુત્ર સાથે ખૂબ જ મજબૂત બોન્ડ શેર કરે છે. ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે રણબીર લગ્ન પછી માતા અને પત્ની વચ્ચેના સંબંધોને સંતુલિત કરી રહ્યો છે.

image source

નીતુ કપૂરે આલિયા અને રણબીરના લગ્ન અંગે ઘણી ખુશી વ્યક્ત કરી હતી. નીતુ કપૂરે કહ્યું કે તે આલિયા સાથે એ જ બોન્ડ શેર કરે છે જેટલો તેની સાસુ સાથે હતો. નીતુ કપૂરે કહ્યું- હું માનું છું કે સાસુ અને વહુ વચ્ચેના સંબંધો માટે પતિ જવાબદાર છે, કારણ કે તમે તમારી માતાને ખૂબ પ્રેમ કરો છો. પણ જ્યારે તમે જોરુના ગુલામ બનો છો, ત્યારે માતાને પણ કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

Advertisement

નીતુ કપૂરે આગળ કહ્યું- જો તમે હંમેશા તમારી માતા અને પત્ની વચ્ચેના પ્રેમમાં સંતુલન રાખો છો તો સારું છે. આ સ્થિતિમાં તમારી માતા તમને વધુ પ્રેમ કરશે. પરંતુ જ્યારે તમારો ઝુકાવ પત્ની તરફ વધુ થાય છે, ત્યારે માતાને તેનો અહેસાસ થવા લાગે છે.

image source

નીતુ કપૂરે કહ્યું કે રણબીર તેને આવો અહેસાસ કરાવતો નથી, કારણ કે રણબીર ખૂબ જ બુદ્ધિશાળી છે અને તે જાણે છે કે તેના પ્રેમમાં સંતુલન કેવી રીતે રાખવું. નીતુ કપૂરે કહ્યું કે રણબીર આખો સમય ‘મૉમ મૉમ મૉમ’ નથી કરતો. તેણીના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે તે 5 દિવસમાં એકવાર તેણીને ફોન કરે છે અને નીતુ કપૂર માટે આ પૂરતું છે. નીતુ કપૂરે એ પણ કહ્યું કે તે રણબીર અને આલિયાને લગ્ન જીવન અંગે સલાહ નથી આપતી.

Advertisement
Advertisement
Exit mobile version