દૂધમાં મિક્સ કરી લો 5 ચીજો અને બનાવી લો તેને પાવરફૂલ, આયુર્વેદિક દૂધના છે અનેક ફાયદા
જો તમે તમારા રોજના દૂધના ગ્લાસમાં આ ખાસ વસ્તુઓને મિક્સ કરો છો તો તે તમારી રોગ પ્રતિકારક શક્તિની સાથે મેમરીને પણ વધારે છે. આ સાથે તમારી શીખવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.
ઈમ્યુનિટી વધારવાને માટે આયુર્વેદમાં એક ખાસ રીતે દૂધ બનાવવામાં આવે છે. તેને સવારના સમયે લેવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે અને સાથે અનેક પ્રકારના વાયરસથી પોતાને બચાવી શકાય છે. ઈમ્યુનિટીને સ્ટ્રોન્ગ કરવાથી શરીરથી થાક દૂર ભાગે છે. આ સાથે આ દૂધ પીવાથી શરીરને તાકાત મળી રહે છે. તો આ દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત તમે પણ જાણી લો તે જરૂરી છે.
આ છે આયુર્વેદિક દૂધના ફાયદા
- શરીરની રોગ પ્રતિકારક શક્તિને ઝડપથી વધારે છે.
- મેમરી એટલે કે યાદશક્તિમાં વધારો કરે છે તેનાથી શીખવાની ક્ષમતા વધે છે.
- આ પુરુષોની યૌન ક્ષમતાને વધારે છે અને સ્પર્મ કાઉન્ટ વધારે છે. તેનાથી ઇંફર્ટિલિટી દૂર રહે છે.
- મહિલાઓને હાડકામાં થતી નબળાઈ અને પીરીયડ્સના સમયે થતી સમસ્યાઓ દૂર થાય છે.
- ત્વચાની ચમક અને નિખારને વધારવામાં મદદ કરે છે.
- સ્કીનને ટાઈટ બનાવે છે અને સાથે બુઢાપાના લક્ષણ દેખાવવા દેતા નથી.
શરીરમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, બ્લડની પીએચ વેલ્યૂ, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. તેનાથી ડાયાબિટિસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોક, લોહીની બીમારી, પેટની સમસ્યા અને કિડનીની સમસ્યાની સાથે લીવરની સમસ્યામાં પણ રાહત આપે છે.
દૂધ બનાવવા જોઈશે આ વસ્તુઓ
- 10 બદામ
- 3 ખજૂર
- 1 ગ્લાસ ગાયનું દૂધ
- 4 ચપટી હળદર
- 2 ચપટી તજ પાવડર
- 1 ચપટી ઈલાયચી
- 1 ચમચી દેશી ઘી
- 1 ચમચી મધ
આ રીતે બનાવો આયુર્વેદિક દૂધ
તેના બનાવવા માટે બદામનેપાણીમાં પલાળીને રાખો. ખજૂરને સીધું ઉપયોગમાં લો. સવારે બદામને છોલી લો. ખજૂર અને બદામની પેસ્ટ બનાવીને તેમાં અન્ય ચીજોને મિક્સ કરો. તેને દૂધ સાથે મિક્સ કરીને સવારે ખાલી પેટ પીઓ.
આ વાતનું રાખી લો ધ્યાન
આ દૂધનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવું. તમે ઇચ્છો તો રાતે સૂતા પહેલા પણ તેને પી શકો છો. રાતે જમ્યા બાદ 2 કલાક બાદ દૂધ પીવું. સવારે દૂધ પીઓ તો 40 મિનિટ સુધી કંઈ ખાવું ન હીં. જો તમે ડાયાબિટિસના દર્દી છો તો આ દૂધ લેતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાયના તમામ લોકો માટે દૂધ લાભદાયી, સુરક્ષિત અને ફાયદો કરનારું છે. તેને કોઈ પણ ઉંમરના લોકો પી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત