મોંમા દેખાતા આ લક્ષણો આપે છે કોરોના હોવાનો સંકેત, ઇગ્નોર કર્યા વગર જાણી લો તમે પણ

કોરોના વાયરસ સંક્રમણમાં વ્યક્તિને કોઈપણ પ્રકારની ગંધનો અનુભવ થતો નથી. પરંતુ કોરોના વાયરસ થવાના આ જ એક લક્ષણ નથી, ઉપરાંત કેટલાક એવા મૌખિક લક્ષણો પણ છે, જે કોરોના વાયરસથી સંક્રમિત હોવાના સંકેત આપે છે.

image source

સ્વાદ અને ગંધનો અનુભવ ના થવો કોરોના વાયરસથી સંક્રમિત થવાના સામાન્ય લક્ષણ છે. જેને મોટાભાગના દર્દીઓ દ્વારા અનુભવ કરવામાં આવ્યા છે. દર્દીના સ્વસ્થ થયા બાદ પણ આ મુશ્કેલી માંથી પસાર થઈ રહ્યા છે. અફસોસની વાત એ છે કે, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કોઈ દવા પણ નથી બની, એટલા માટે દર્દીઓને સ્વસ્થ થવા માટે લાંબો સમય લાગી શકે છે.

અધ્યયનોમાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોય છે. તેમાંથી ૬૦% કરતા વધારે દર્દીઓમાં આ સમસ્યા જોવા મળી છે. એના સિવાય બીજા પણ કેટલાક લક્ષણો હોય છે જેની તરફ લોકો ધ્યાન આપતા નથી.

શુ કહે છે રિસર્ચ?

image source

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ (National Institute of Health) દ્વારા કરવામાં આવેલ અધ્યયનને નેચર મેડીસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અધ્યયન મુજબ, કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન લગભગ અડધા દર્દીઓ મૌખિક લક્ષણોથી પીડિત હોય છે. એક્સપર્ટ જણાવે છે કે, એમાંથી ઘણા બધા લક્ષણો એવા હોય છે, જે સંક્રમણ થવાનું કારણ બને છે. પરંતુ લોકો એને હળવી સમસ્યા માનવાની ભૂલ કરી બેસે છે. અહિયાં અમે આપને કેટલાક એવા મૌખિક લક્ષણો વિષે જણાવવા જી રહ્યા છીએ, જેનાથી આપ અત્યાર સુધી અજાણ છો. આ લક્ષણ જોવા મળે તો સમજી લેજો કે, આ કોરોના વાયરસની શરુઆત છે.

દુર્ગંધ શ્વાસ:

image source

શ્વાસ માંથી દુર્ગંધ આવવી પણ ક્યારેક ક્યારેક મોઢું સુકાવાના સામાન્ય સંકેત છે, જેને વ્યક્તિ સરળતાથી સમજી શકતા નથી. એનાથી ભોજન ચાવવામાં અને બોલવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં અવ અસામાન્ય લક્ષણ જોવા મળે, તો આપે એકવાર જરૂરથી તપાસ કરાવી લેવી જોઈએ.

કોવિડ જીભ:

image source

સાર્સ કોવિડ-2 જેવા વાયરસ નિશ્ચિત રીતે જીભને પ્રભાવિત કરી શકે છે. અધ્યયન મુજબ, વાયરસથી સંક્રમિત થાય છે ત્યારે દર્દીના જીભની સ્તર પર બળતરા અને સોજાનો અનુભવ થઈ શકે છે. કેટલાક ડોક્ટર્સ આ વાત સાથે સહમત છે કે, જીભમાં અનુભવ થનાર બળતરા ત્વ્ચાર પર જોવા મળતા ચકામાં સાથે સંબંધિત હોય છે. એટલા માટે જો ત્વચા પર કોઈ કારણ વિના હળવા રૈશેઝ જોવા મળે છે તો તેને નજરઅંદાજ કરવાને બદલે એક વાર પોતાને ડોક્ટર પાસે જરૂરથી બતાવી દેવું જોઈએ.

જીભનો રંગ બદલાઈ જવો:

image source

કોરોના વાયરસનું સંક્રમણ એક અન્ય ઓરલ કૈવિટીને પ્રભાવિત કરી શકે છે અને તે છે જીભના રંગનું બદલાવવું. મોઢાની બળતરા અને સોજાની સાથે આપને વિચિત્ર લાગણી થઈ શકે છે. આ એવો સમય છે જયારે હોઠમાં ઝણઝ્ણાટી અને વ્યવહારમાં ચિડીયાપણું વધતું રહે છે. આ પણ કોરોના વાયરસ સંક્રમણના મૌખિક લક્ષણોની નિશાની છે. જો આપ ખરેખરમાં કોરોના વાયરસથી સંક્રમિત છો, તો આ દરમિયાન આપની જીભ પર સફેદ દાગ, લાલાશ અને ઘાટા રંગની જીભનો અનુભવ કરશો.

સુકાઈ ગયેલ મોઢું:

image source

ડ્રાઈ માઉથ સિન્ડ્રોમનું સીધું કનેક્શન વાયરલ સંક્રમણ, ઓટોઈમ્યુન વિકારો અને હવે કોરોના વાયરસથી છે.

સુકાઈ ગયેલ મોઢુંનો અનુભવ કરવાનો અર્થ છે કે, લાળના ઉત્પાદનમાં અછત આવવી. એનાથી મોઢાના ચીકણાપણામાં કમી આવે છે. આપને જણાવી દઈએ કે, લાળ પાચન, મોઢાને ખરાબ બેક્ટેરિયા અને રોગજનકોથી બચાવે છે. જયારે આપનું મોઢું સૂકાયેલ રહે છે તો આપે મોઢામાં સુકાપણું અને ચીકાશનો અનુભવ કરી શકો છો. એના માટે આપ કેટલું પણ પાણી લો છો તો પણ આ પરિસ્થિતિ એવીને એવી જ જળવાઈ રહે છે.

દુઃખાવાથી ભરેલ જખમ:

image source

કોરોના વાયરસથી સંક્રમિત થવાથી આપને સોજો આવી શકે છે. આવું ત્યારે થાય છે, જયારે વાયરલ ઇન્ફેકશન મસલ ફાઈબર પર એટેક કરે છે. આવામાં સંભવ છે કે, આ સોજો આપને જીભ પર જખમના રૂપમાં જોવા મળી શકે છે. જો કે, કેટલાક દર્દીઓમાં વાયરલ ઇન્ફેકશન અલ્સર, બળતરા અને એલર્જીના રૂપમાં સામે આવી શકે છે. તેમ છતાં આ જખમને ભરવાના કોઈ ઉપાય છે નહી. ભોજન કરતા સમયે આ દુઃખાવાને આપે સહન કરવો પડી શકે છે.

કોઈપણ લક્ષણને નજરઅંદાજ કરો નહી.:

image source

એક્સપર્ટસનું માનવું છે કે, એવું જરૂરી નથી કે, મોઢા અને જીભમાં આવેલ બદલાવ કોરોના વાયરસના જ લક્ષણ હોય. આપે ધ્યાન રાખવું કે, આ દરેક વ્યક્તિને પ્રભાવિત કરતા નથી. જો કે, વાયરસના બદલાતા વ્યવહાર અને કેસમાં વૃદ્ધિ થવાથી લક્ષણોને નજરઅંદાજ પણ કરવા જોઈએ નહી. જો આ દિવસોમાં આપે કઈપણ અસામાન્ય લાગે છે, તો રાહ જોયા વિના જ. સમય રહેતા તપાસ જરૂરથી કરાવી લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત