સવારમાં કરેલી આ ભૂલો તમારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણો અને બદલો તમારી આ આદતોને…
બધા એવું ઇચ્છતા હોય છે કે તે એક સ્વસ્થ જીવન જીવી શકે. તેના માટે તે ઘણા પ્રયાસ કરે છે તે સવારે નિયમિત કસરત કરતાં હોય છે અને તેના ખાવા પીવામાં પણ તે ખૂબ ધ્યાન રાખતા હોય છે પરંતુ તે કેટલીક વાર એવી ભૂલ કરી બેસે છે કે તેનાથી તેમણે સ્વાસ્થ્યને લગતું ઘણું નુકશાન થઈ શકે છે. જ્યારે આપણને કોઈ બીમારી થયા ત્યારે સૌથી વધારે જવાબદાર આપની જીવનશૈલી હોય છે.
ડોક્ટરના કેવા પ્રમાણે આપણે સવારે ઊઠીને કેટલાક એવા કામ કરવા જોઈએ કે તેનાથી આપણને ઘણા લાભ મળી શકે તેનાથી આપણે આપનું આખું જીવન નિરોગી વિતાવી શકીએ છીએ. સવારનો સમય આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ સમય છે. તેમાં જો સવારે કસરત, સવારનો નાસ્તો જેવા મુખ્ય કામ ન કરવામાં આવે તો આપના શરીરને બીમારીઓ ઘેરી શકે છે. તેનાથી આપણે હમેશા માટે બીમાર રહીએ છીએ. તેથી આજે આપણે એવા કેટલાક કામ વિષે જાણીએ કે તેને આપણે અવશ્ય કરવું જોઈએ.
સવારે ઊઠીને પાણી ન પીવું જોઈએ :
દુનિયાના ઘણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોના માટે આપણે હમેશા માટે સવારે ઊઠીને હુંફાળું પાણી અથવા સાદું પાણી પીવું જોઈએ. આનાથી આપણે હમેશા માટે સ્વસ્થ રહી શકીએ છીએ અને તેની સાથે આપનો વજન પણ નિયંત્રણમાં રહે છે. સવારે ઊઠીને પાણી પીવાથી બોડીમાં જે ટોક્સિંસ રહેલું છે તેને બહાર કાઢવામાં મદદ મળે છે તેનાથી આપનું મેટાબોલીઝમ પણ સારું રહે છે. તેનાથી તમારા શરીરની આંતરિક સિસ્ટમ ચોખ્ખી થાય છે. તેનાથી તમને ઓછી ભૂખ લાગે છે અને તેનાથે કેલેરી ઇંતેક ઘરે છે. તેથી રોજે સવારે નિયમિત રીતે પાણી પીવું જોઈએ.
સવારે નાસ્તો ન કરવો :
સવારનો નાસ્તો આખા દિવસ માથી સૌથી મહત્વનો ગણવામાં આવે છે. આખી સૂતા પછી જ્યારે સવારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપનું પેટ ખાલી થઈ જાય છે. તેનાથી ઉરજાનું સ્તર ઘટી જાય છે. સવારનો નાસ્તો તમારા માટે ઉર્જાનો સારો સ્ત્રોત છે. સવારે નાસ્તો ન કરવાથી મેટાબોલીઝમ નું સંતુલન ખરાબ થઈ જાય છે. સવારે નાસ્તો ન કરવાથી આખો દિવસ ગમે તે ખાવાનું મન થાય છે અને ભૂખ શાંત થતી નથી. આવા કારણોથી તમારે વજન વધવા લાગે છે તેનાથી બીમારીઓ થવાનો ખતરો વધારે રહે છે.
પ્રોસ્ટેડ ફૂડ :
જો તમારે સવારની ભાગદોડના સમયમાં બચવવા માટે પ્રોસટેડ ફૂડ અથવા પેકિંગ વાળો ફ્રોઝન નાસ્તો ખાતા હોય છે. તો આ વજન વધવા પાછળનું મુખ્ય કારણ થઈ શકે છે. આ પ્રકારનો સવારે નાસ્તો કરવાથી તમારા આપનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી તમારે સવારનો નાસ્તો પૌષ્ટિક કરવો જોઈએ. તેમાં તમે કુદરતી ફૂડ, ફળ, સુકામેવા, ઓટ્મિલ, પૌયા, ફળનો રસ જેવો આહાર લેવો જોઈએ.
એકસરસાઈઝ ન કરવી :
તમારે સવારે ખાલી પેટ કસરત કરવાથી સૌથી વધારે ચરબો ઓગળે છે. તેનાથે ખૂબ જલ્દી વજન ઘટે છે. તેની સાથે આપણને ઉર્જા અને સ્ફૂર્તિ પણ મળે છે. તમારે કસરત કરવા માટે જિમમાં જવાની જ જરૂર નથી તેના માટે તમે ચાલવું, દોડવું, સાઈકલિંગ તરવું જેવી ઘણી રીતો અપનાવી શકો છો.
તડકો ન લેવો જોઈએ :
સવારે સૂર્યના તાપમાં આપણે રહેવાથી તેની અલ્ટ્રા વાયોલેટ કિરણો આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેથી રોજે સવારે તમારે ૭ થી ૮ વાગ્યા સુધી તડકામાં ૧૦ થી ૧૫ મિનિટ બેસવું જોઈએ તેનાથી તમને રોગો સામે લાડવામાં પણ મદદ મળે છે. શરીરમાં ઉર્જા પણ રહે છે અને આનાથી મેટબોલીઝમમાં સુધારો થાય છે. તેનાથી વજન નિયંત્રણમાં રાખવામા મદદ મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત