શું તમે જાણો છો મોંમાથી આવતી વાસ પાછળ કયા કારણો છે જવાબદાર?

રોજ સવારે અને સાંજે બ્રશ કર્યા પછી પણ મોમાંથી દુર્ગંધ આવે છે ? માઉથવોશના નિયમિત ઉપયોગથી લઈને દાંતની સફાઈ સુધી બધી યુક્તિઓ અજમાવો, પરંતુ તો પણ કોઈ ફાયદો થતો નથી ? જો હા,તો સમજો કે તમારા ખોરાકમાં કંઇક ખોટું છે.અથવા તમારે પાણીનો વપરાશ વધારવાની જરૂર છે. બ્રિટિનની જાણીતી દાંતની હોસ્પિટલમાં લંડન હાઇજીનિસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં આવું જ કંઈક કહેવામાં આવ્યું છે.તો ચાલો જાણીએ મોમાં આવતી દુર્ગંધ કેવી રીતે દૂર થાય છે.

1.ઓછું પાણી ન પીવું જોઈએ

image source

સંશોધનકર્તાના કહેવા પ્રમાણે,પાણી ઓછું પીવાથી મોમાં લાળનું ઉત્પાદન ઘટે છે.આનાથી ખોરાકના કણો દાંત અને દાંત વચ્ચે ફસાઈ જાય છે અને સડો થાય છે.આટલું જ નહીં સૂકા મોમાં સૂક્ષ્મજંતુઓની સંખ્યા પણ સરળતાથી વધે છે.

શું કરવું જોઈએ

image source

દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પીવું જોઈએ.જમ્યા પછી કોગળા કરો,કોગળા કરવા સમયે હાથની આંગળીઓથી દાંતને સાફ કરવાનું ભૂલશો નહીં.

2.કાર્બોહાઇડ્રેટ્સથી બચવું

image source

વજન ઘટાડવાની પ્રક્રિયામાં લોકોની ચરબી તો ઘટે જ છે,પરંતુ કાર્બોહાઇડ્રેટ્સથી પણ દૂર રહે છે.આ શરીરને ઉર્જા માટે પહેલેથી જ સંરક્ષિત ચરબીનો ઉપયોગ શરૂ કરવાની મંજૂરી આપે છે.ચરબીને ઉર્જામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં, ‘કીટોન’ ઉત્પન્ન થાય છે,જે મોંથી દુર્ગંધ લાવી શકે છે.

શું કરવું જોઈએ

image source

દૂધ-દહીં,ચીઝ,પનીરને સંપૂર્ણપણે ખાવાનું છોડો નહીં.મેંદાનો લોટ ખાવાનું ટાળો,પરંતુ ઘઉં,બાજરી,જવનો લોટ ખાઓ.સફેદ બ્રેડ,નૂડલ્સ,પાસ્તા ન ખાશો.

3.ડિપ્રેશન અને અનિંદ્રાને દૂર કરે છે

image source

શંસોધનમાં જણાવ્યા અનુસાર ડિપ્રેશન અને અનિદ્રાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓથી મોમાં દુર્ગંધ આવે છે.જ્યારે બ્લડ પ્રેશરની ગોળીઓ ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.આ દવાઓના ઉપયોગથી સુકા મોંની સમસ્યા થવી એ મુખ્ય કારણ છે.

શું કરવું જોઈએ

image source

દિવસ દરમિયાન ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવો.નાળિયેર પાણી અથવા લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે છે.

4. કોફીનો વધુ પડતો ઉપયોગ

image source

કોફીમાં હાજર કેફીન શરીરમાંથી પાણી છોડવાની પ્રક્રિયાને વેગ આપે છે .એટલું જ નહીં,વધારે કોફી પીવાથી મોમાં લાળનું ઉત્પાદન પણ ઓછું થાય છે,જે સૂક્ષ્મજંતુઓને વધારવામાં મદદ કરે છે.ફૂલ ક્રીમ દૂધ મિક્સ કોફીનું સેવન કરવાથી દુર્ગંધની સમસ્યા વધી શકે છે.

શું કરવું જોઈએ

કોફી કરતાં ચા પીવી જોઈએ.જો તમે કોફી વિના જીવી ન શકો,તો કોફીમાં દૂધ કરતા પાણીનો વપરાશ વધારવો.સુગર ફ્રી ફુદીનાવાળી ચ્યુંગમ પણ ચાવવી.

5.સિગારેટનું વ્યસન

image source

તમાકુ માત્ર દાંત સડવાનું કારણ જ નહીં,પરંતુ મોંનો સ્વાદ પણ છીનવી લે છે.આ જ કારણ છે કે જે લોકોને ધૂમ્રપાનનો શોખ હોય છે તેઓ વધુ ખાટા ખોરાક કે તીખા મરચાંને સહન કરી શકતા નથી.તેવા લોકોને નાકમાં સોજો આવવાની પણ ફરિયાદ છે.સોજાવાળા દાંતની વચ્ચે સૂક્ષ્મજંતુઓ સરળતાથી વિકસે છે.

શું કરવું જોઈએ
સિગારેટના વ્યસનથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરો.તમાકુના વ્યસનને શાંત કરવા લવિંગ,એલચી અને સુકા નાળિયેર પણ ખાઈ શકાય છે.

6.આલ્કોહોલનું સેવન

image source

આલ્કોહોલ શરીરમાંથી પાણી છોડવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. આલ્કોહોલનું વધુ પડતા સેવનને કારણે એસિડિટીની સમસ્યા પણ ઉભી થાય છે. જ્યારે પેટમાં હાજર એસિડ ગળા સુધી પહોંચે છે,ત્યારે તમારા મોંમાંથી ગંધ આવે છે.એટલું જ નહીં,આલ્કોહોલ દ્વારા દાંત અને પેઢામાં સડો થવાની ફરિયાદો પણ થઈ શકે છે.

શું કરવું જોઈએ

અઠવાડિયામાં એક કે બે દિવસ કરતા વધારે આલ્કોહોલ ન પીવું.વાઈટ વાઇનની તુલનામાં રેડ વાઇનનો વપરાશ કરો,જ્યાં રેવાસ્ટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત