Site icon Health Gujarat

સામંથા સાથે ડિવોર્સ પછી થોડા જ મહિનામાં લગ્ન માટે તૈયાર છે નાગા ચૈતન્ય, જલ્દી ચડશે ઘોડી

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ્સમાંથી એક નાગા ચૈતન્ય અને સામંથા રુથ પ્રભુને ચાહકોએ પસંદ કર્યું હતું. જો કે, ગયા વર્ષે દંપતીના અચાનક છૂટાછેડાએ બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. બંને કલાકારોએ તેમના 4 વર્ષના લાંબા લગ્નજીવનના અંતની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. આ સમાચાર સાંભળીને ઘણા ચાહકો દુઃખી થયા હતા, તો કેટલાક માટે તેના પર વિશ્વાસ કરવો અશક્ય હતો. આ કપલને અલગ થયાને ઘણો સમય થઈ ગયો છે. આ દરમિયાન હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

image soucre

વાત જાણે એમ છે કે હાલમાં જ સામે આવી રહેલા અહેવાલો અનુસાર, સાઉથ એક્ટર ગાના ચૈતન્ય છૂટાછેડાના થોડા મહિનાઓ પછી ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. સમાચાર મુજબ, અભિનેતા હવે તેના જીવનમાં આગળ વધી ગયો છે અને ફરીથી લગ્ન કરવા માટે તૈયાર છે. જો કે, આ વિશે હજી સુધી કોઈ અભિનેતા અથવા તેના સંબંધિત કોઈ સ્ત્રોત તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Advertisement
image soucre

રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નાગા ચૈતન્ય સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુથી છૂટાછેડા લીધા બાદ એકદમ તૂટી ગયો હતો. આ જ કારણ છે કે હવે તે કોઈ અભિનેત્રી સાથે ફરીથી લગ્ન કરવા નથી માંગતો. આ સમાચાર સાંભળ્યા પછી, નાગાના ચાહકો ચોક્કસ આશ્ચર્ય પામશે પરંતુ સાથે જ તેઓ તેમના ફેવરિટ સ્ટાર માટે ખુશ પણ થશે. આવી સ્થિતિમાં હવે આ સમાચાર પર જલ્દી મોહર લગાવવાની સૌ રાહ જોઈ રહ્યા છે

image soucre

સામંથા પહેલા નાગા ચૈતન્યનું નામ અભિનેત્રી શ્રુતિ હાસન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. એવું કહેવાય છે કે અભિનેતા પણ શ્રુતિ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ કોઈ કારણસર બંને અલગ થઈ ગયા. આ પછી સામંથાએ તેના જીવનમાં પ્રવેશ કર્યો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. જો કે લગ્નના ચાર વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા હતા. નાગા અને સામંથાએ સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન જારી કરીને તેમના અલગ થવાની માહિતી આપી હતી

Advertisement
Advertisement
Exit mobile version