નવ દિવસ બ્લેક ફૂગ અને પછી જીવનનો અંત, જાણો શું છે આ ચેપી બીમારીની વાસ્તવિકતા

કાળી ફૂગ (મ્યુકોર્મિકોસિસ) હવે કોરોનાના દર્દીઓ માટે તેમના જીવનનો દુશ્મન બની ગઈ છે. લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ) ના શ્વસન ચિકિત્સા વિભાગના વડા ડો. સૂર્યકાંત જણાવે છે કે આ ચેપ પછીના પ્રથમ નવ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો દર્દી ચેપ સાથે કાળી ફૂગની ફરિયાદ કરે છે તો તેના જીવનનું જોખમ વધે છે.

image source

આ ફૂગ ત્વચાની સાથે નાક, ફેફસાં અને મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડૉ. સૂર્યકાંતના મતે પ્રમાણે, કાળી ફૂગ પહેલે થી જ હવા અને જમીનમાં હાજર છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ તેના સંપર્કમાં આવતાની સાથે જ તે તેના જપેટમાં આવવાનું જોખમ વધારે છે.

image source

દર્દી જેટલો લાંબો સમય હોસ્પિટલમાં રહે છે, અને જેટલો લાંબો સમય સ્ટેરોઇડ્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટીફંગલ દવાઓ લેવાનું ચાલુ રાખે છે, તેનથી તેનું જોખમ વધારે થતું જાય છે. તેઓ જણાવે છે કે હવામાં ફૂગની હાજરીને કારણે તે પહેલા નાકમાં પ્રવેશે છે. ત્યાર પછી તે ફેફસાં દ્વારા લોહી થી મગજ સુધી પહોંચી શકે છે. બલ્ક ફૂગનો ચેપ જેટલો ગંભીર હશે, તેટલા જ તેના લક્ષણો વધુ ગંભીર હશે.

image source

જ્યાં ચશ્મા નાક પર હોય છે, ત્યાં તે નાક કાળું દેખાતું જોવા મળશે. કાળી ફૂગ જ્યારે મગજમાં પહોંચશે ત્યારે તે વ્યક્તિ બેભાન જ રહેશે. જો જડબા અને દાંતમાં ચેપનું સ્તર ગંભીર હોય તો ઓપરેશનની પણ જરૂર પડી શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને દિલ્હીમાં તેના કેટલાક દર્દીઓ મળી આવ્યા છે.

એક્સ-રે અથવા સીટી સ્કેનમાં આ કાળાશ દેખાય છે :

image source

ડૉ. સૂર્યકાંત સમજાવે છે કે જ્યારે કાળી ફૂગના લક્ષણો જોવા મળે પછી દર્દીની છાતી અથવા માથા પર એક્સ-રે કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ પણે કાળાશ દર્શાવે છે. ચેપને કારણે મૃત્યુદર પચાસ ટકા છે. સૌથી વધુ જોખમ એ છે કે જે વ્યક્તિ ડાયાબિટીસના દર્દીઓ, કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા ત્રણ સો થી પાંચ સો સુધીની ખાંડનું સ્તર ધરાવતા લોકો સમય જતાં મૃત્યુનું જોખમ વધારે છે.

હોસ્પિટલમાં દરરોજ ખતરનાક દિવસ :

image source

લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેતા કોરોના સંક્રમિત લોકો માટે ફંગલ ચેપનું જોખમ વધુ હોય છે. આઈસીયુ અને વેન્ટિલેટર યુનિટમાં દાખલ દર્દીઓને વિવિધ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. આ બધી દવાઓ આપણા શરીરને નબળું પાડે છે. તેનાથી હવામાં રહેલી કાળી ફૂગ સરળતાથી આપણા શરીરમાં પ્રવેશી રહી છે અને દર્દીના જીવનનો દુશ્મન બની રહી છે. તેથી તમારે બધા લોકોએ કોરોના સંક્રમણ દ્વારા બચવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત