Site icon Health Gujarat

ઓહ બાપ રે, 23 વર્ષની અભિનેત્રીનું મોત, પંખા સાથે લટકેલી મળી લાશ, પિતાને લિવઈન પાર્ટનર પર પુરેપુરો શક છે

ઉડિયા ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝાનું અવસાન થયું છે. રશ્મિરેખા ભુવનેશ્વરના નયાપલ્લીમાં તેના ભાડાના મકાનમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ તેનો લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રા સવાલો હેઠળ છે.

image source

રશ્મિરેખાના પિતાએ તેમની પુત્રીના મૃત્યુના મામલામાં સંતોષ પાત્રાને જવાબદાર ઠેરવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. 23 વર્ષની અભિનેત્રી 18 જૂનની રાત્રે તેના ભાડાના મકાનમાં પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેણે પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર નહોતા જણાવ્યું.

Advertisement

અભિનેત્રીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમને પુત્રીના મૃત્યુની માહિતી તેમના લિવ-ઈન પાર્ટનર પાત્રા પાસેથી મળી હતી. શનિવારે રશ્મિરેખાએ અમારા કોઈપણ કોલનો જવાબ આપ્યો ન હતો. પાછળથી અમને સંતોષ પાસેથી તેના મૃત્યુના સમાચાર મળ્યા. અમને મકાન માલિક પાસેથી જાણવા મળ્યું કે સંતોષ અને રશ્મિ પતિ-પત્ની તરીકે રહેતા હતા. અમને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. બંને પરિણીત છે તો સંતોષે મારી પુત્રીની હત્યા કરી છે. સુસાઈડ નોટમાં શું લખ્યું છે તે મને ખબર નથી.

image source

અભિનેત્રી રશ્મિરેખા ઓઝા ઓડિશાના જગતસિંહપુર જિલ્લાની હતી. રશ્મિને ઈન્ડસ્ટ્રીમાં ટીવી સીરિયલ કેમિતી કહીબી કહાથી ખ્યાતિ મળી હતી. અભિનેત્રીના મોતની તપાસમાં પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે. પોલીસ રશ્મિરેખાના લિવ-ઈન પાર્ટનર સંતોષ પાત્રાની પૂછપરછ કરી શકે છે. પોલીસ અભિનેત્રીના લિવ-ઈન પાર્ટનરને ક્લીનચીટ આપે છે કે કેમ તે જોવાનું રહેશે. કારણ કે પિતાએ સંતોષ પર જ આક્ષેપ કર્યો છે.

Advertisement
Advertisement
Exit mobile version