ગર્ભ નિરોધક ગોળી લેવાથી શરીરમાં થાય છે આવી ખતરનાક અસર, જાણો તમે પણ આ વિશે

કેટલી ખતરનાક છે ગર્ભ નિરોધક ગોળીઓ. જાણી લો એકવાર.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે આખી દુનિયામાં 10 કરોડથી વધુ મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. જોકે 1960ના દશકમાં ગર્ભનિરોધક ગોળીઓની શરૂઆત થયા પછીથી જ એના ઉપયોગને લગતા અલગ અલગ પ્રકારના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા છે. હમણાં કરેલા એક અભ્યાસ અનુસાર ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગથી હતાશાનું જોખમ વધે છે. આ અભ્યાસ થયો છે ડેનમાર્કમાં.

image source

ડેનમાર્કના અનુસંધાનકર્તાઓએ લગભગ દસ લાખ સ્ત્રીઓના મેડિકલ રિકોર્ડસના અભ્યાસને સામેલ કર્યો. 15થી 34 વર્ષની આ સ્ત્રીઓમાંથી કોઈનામાં પણ પહેલેથી ડિપ્રેશનના લક્ષણો નહોતા.

image source

અભ્યાસમાં એમને જોયું કેં જે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે એમને પછીથી હતાશાની ગોળીઓ લેવી પડે છે કે પછી હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. આ અભ્યાસને મીડિયા દ્વારા ખૂબ જ હાઇલાઇટ કરીને બતાવવામાં આવ્યો હતો.મીડિયામાં આ ખબરને કઈક આવી રીતે દર્શાવવામાં આવી હતી-તમે ગર્ભનિરોધક ગોળીઓ લો છો તો હતાશાની ઝપેટમાં અવવા માટે તૈયાર રહો. ગર્ભનિરોધક ગોળીઓ લેનારી 70 તક સ્ત્રીઓ હતાશામાં.

image source

ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગથી ફક્ત હતાશાનું જ જોખમ નથી. એના ઉપયોગથી લોહીના ગઠ્ઠા થઈ જવાની પણ શક્યતાઓ છે , અને એ ખૂબ જ ઘાતક બની શકે છે. એ પણ હકીકત છે કે જો આ સાઈડ ઇફેક્ટને હળવાશથી લેવામાં આવે તો એ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

image source

બર્લિનના એક અભ્યાસ અનુસાર” બ્રિટનમાં ઘણી બધી પરંપરા રહેલી છે અને એમાંથી એક છે ગર્ભનિરોધક ગોળીઓ લઈને બધામાં રહેલો ડર. 1960ના દશકથી જ ગર્ભનિરોધક ગોળીઓ લેનારી સ્ત્રીઓ આના કારણે ચિંતિત છે. એના કારણે લોહીના ગઠ્ઠા થવા કે પછી થ્રોમ્બોસીસ થઈ શકે છે.” એક અભ્યાસ અનુસાર ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી હવે થ્રોમ્બોસીસ થવાનું જોખમ બે ગણું થઈ ગયું છે.ગર્ભનિરોધક ગોળીઓના ઉપયોગ બંધ કરી દેવાથી ગર્ભવતી થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

image source

પણ સૌથી મોટો સવાલ એ છે કે ગર્ભનિરોધક ગોળીઓનું જોખમ કેટલું છે અને સ્ત્રીઓ એને લઈને કેટલી અશાંકિત છે? હાલમાં જ એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે એ સ્ત્રીઓ પર જેમનું મૃત્યુ લોહીમાં ગાંઠો થવાથી થયું હતું અને એ બધી જ સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હતી.

image source

આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જો સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળીઓથી થનાર મૃત્યુદરને સમજી જાય તો એ આ ગોળીઓનો ઉપયોગ નહિ કરે.જોકે એ જાણવું પણ ઘણું રસપ્રદ છે કે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ન કરવામાં આવે તો ગર્ભવતી થવાની શક્યતાઓ વધી જાય છે અને ગર્ભાવસ્થા દરમિયાન લોહીની ગાંઠો થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,