આ આયુર્વેદિક ઉકાળો કરશે કોરોના સામે લડવામાં કરશે તમારી મદદ, સ્વામી રામદેવે આપી રેસિપી
કોરોના વાયરસથી આખી દુનિયા મુશ્કેલીમાં મૂકાઈ છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરો. આયુષ મંત્રાલયની સાથે સાથે પીએમ મોદી અનેક વાર આ ઈમ્યૂન બૂસ્ટર ઉકાળા (કાઢો)નો લાભ જણાવી રહ્યા છે. આ ઉકાળો તમને ખાંસી, શરદી, તાવ જેવી સમસ્યાઓ પણ દૂર રાખશે.
સ્વામી રામદેવના અનુસાર ઔષધિઓથી બનતો આ ઉકાળો તમને કોરોના વાયરસથી બચાવે છે અને આ સિવાય અન્ય બીમારીઓથી પણ બચાવશે. આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ સ્પેશ્યિલ ચીજોની જરૂર રહેશે નહીં. આ ઔષધીઓને તમે સરળતાથી બજારમાંથી ખરીદી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ ઉકાળો યોગ્ય રીતે બનાવી શકો છો અને તેનો લાભ કોરોનામાં લઈ શકો છો.
ઈમ્યૂનિટી બૂસ્ટર ઉકાળો બનાવવાની સામગ્રી
1 ચમચી અશ્વગંધા
8-10 તુલસીના પાન
2-4 ગ્રામ તજ
1 ઈંચ આદુ
1 ઈંચ હળદર
ગિલોયની થોડી ડંડીઓ
કાળા મરી
1 લિટર પાણી
બનાવવાની રીત
સૌ પહેલાં ખલમાં અશ્વગંધા, ગિલોય, તુલસી, કાળા મરી, તજ, આદુ, હળદરને સારી રીતે કૂટી લો. હવે 1 લિટર પાણીમાં આ તમામ ચીજો મિક્સ કરો. તેને ધીમા ગેસે સારી રીતે ઉકાળો. જ્યારે પાણી 100થી 200 ગ્રામ થાય ત્યારે તેને ગાળી લો. હવે ગાળ્યા બાદ તેનું થોડા થોડા સમયે સેવન કરો. આ ઉકાળો તમને કોરોના સામે રાહત આપશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત