રફ વાળ+ વાળનો ગ્રોથ તેમજ વાળને લગતી આ અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા આ ઉપાય છે ખૂબ જ અસરકારક
મિત્રો, તમે તમારા વાળને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે. વાળમાં ક્યારેક લીંબુ તો ક્યારેક નાળિયેરનુ ઓઈલ પણ લગાવ્યુ હશે પરંતુ, શું ક્યારેય વાળના સ્વાસ્થ્ય માટે નાળિયેર અને લીંબુના મિશ્રણનો ઉપયોગ કર્યો છે?
વાસ્તવમા આ બંને વસ્તુઓ પોતાના સ્તરે વાળને અનેકવિધ પ્રકારના લાભ આપે છે પરંતુ, જ્યારે તેને એક સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે આ મિશ્રણ વાળ માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે. અહીં અમે લીંબુ અને નાળિયેર તેલ મિક્સ કરીને ફાયદા વિશે વાત કરી રહ્યા છીએ.
ખોડાને કારણે માથામાં ખંજવાળ અને પોપડાની સમસ્યા નાળિયેર તેલ અને લીંબુના મિશ્રણના ઉપયોગથી પણ દૂર થઈ શકે છે. તેને લાગુ કરવાથી માથાની ત્વચાની રફનેસ પણ દૂર થાય છે. વાળમાં નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ લગાવો તો વાળ ખરવાની સમસ્યા પણ જડમુળથી દૂર થઇ જાય છે અને ખોડાની સામ્સ્યા સામે પણ તમને રાહત મળે છે.
આ ઉપરાંત આ મિશ્રણને વાળમાં લગાવો તો વાળની વૃદ્ધિ પણ થાય છે અને તેની લંબાઈ પણ વધે છે. નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ વાળમાં ચમક વધારવામાં મદદ કરે છે. આ મિશ્રણને વાળમાં લાગુ કરવાથી રફનેસ દૂર થાય છે અને તેજસ્વીતા વધે છે. નાળિયેર તેલ અને લીંબુ બંનેની એસિડિક અસર હોય છે જે વાળની તેજસ્વીતા વધારવામાં મદદ કરે છે.
વાળમાં તાકાતના અભાવને કારણે વાળ પણ વચ્ચેથી તૂટી જાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળમાં લીંબુ અને નાળિયેર તેલના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ વાળને અકાળે સફેદ થતા પણ અટકાવે છે. તે તમારા વાળના કુદરતી રંગને પ્રોત્સાહન આપવાનો ગુણ પણ ધરાવે છે. બંને સાથે મળીને વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.
સૌથી પહેલા તો તમે પાંચ ચમચી નાળિયેર તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને તમારા માથાની ત્વચા અને વાળમાં સારી રીતે લગાવો. લગભગ દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને ત્યારબાદ તેને વાળમા અડધો કલાક માટે લગાવેલુ રહેવા દો. ત્યારબાદ તેને તમે શેમ્પૂ કરો. અઠવાડિયામા બે વખત આ પ્રક્રિયાનુ પુનરાવર્તન કરો. તમને ફરક અવશ્યપણે જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત