ઘણા લોકોને શેવિંગ કરાવ્યા પછી ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા હોય છે. અયોગ્ય શેવિંગને કારણે કેટલાક લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રેઝર અથવા બ્લેડને કારણે ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે સંવેદનશીલ ત્વચા, રેઝર અથવા બ્લેડ, શેવિંગ ક્રીમ અને ફોમ વગેરે. શેવિંગ કર્યા પછી થતી ખંજવાળ અને બળતરા ખૂબ જ તકલીફ આપે છે અને મોટાભાગના પુરુષોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. સંવેદનશીલ ત્વચાવાળા લોકો માટે આ સમસ્યા અવગણવી મુશ્કેલ બને છે. શવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરની સમસ્યા દૂર કરવા અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, પરંતુ આ ટિપ્સ પેહલા અમે એ જણાવીશું કે શેવિંગ કર્યા પછી ચેહરા પર ખંજવાળ અને બળતરા શા માટે શરુ થાય છે.
શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવાના કારણો.
શેવિંગ કર્યા પછી પુરુષોને ઘણીવાર ખંજવાળ અને બળતરા થવાની સમસ્યાઓ થાય છે, ઘણી વખત લોકો આ સમસ્યા દૂર કરવા માટે કેમિકલવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, જે આપણી ત્વચા માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સમસ્યાનું કારણ સંવેદનશીલ ત્વચા, રેઝર અથવા બ્લેડ, શેવિંગ ફોમ અથવા ક્રીમ અને ખોટી રીતે શેવિંગ કરવાનું માનવામાં આવે છે. શેવિંગ કર્યા પછી વારંવાર ખંજવાળ અને બળતરા થવાના આ મુખ્ય કારણ માનવામાં આવે છે.
- – સંવેદનશીલ ત્વચા
- – ખોટી રીતે શેવિંગ કરવું
- – શુષ્ક ત્વચા
- – શેવિંગ ક્રીમ અને ફોમ
- – રેઝર અને શેવિંગ બ્લેડ
- – આલ્કોહોલિક શેવિંગ પ્રોડક્ટ્સ
શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરાની સમસ્યા દૂર કરવા માટેની ટિપ્સ –
1. આલ્કોહોલ મુક્ત શેવિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો
શેવિંગ માટે ઉપયોગમાં લેવાતા ઉત્પાદન શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવાનું સૌથી મુખ્ય કારણ હોઈ શકે છે. ખંજવાળ અને બળતરાની સમસ્યાને ટાળવા માટે તમે આલ્કોહોલ વગરના ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો. જો કે ચેપથી બચવા માટે લોકો આલ્કોહોલિક શેવિંગ ક્રીમનો ઉપયોગ કરે છે, તે સંવેદનશીલ ત્વચાવાળા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ખંજવાળ અને બળતરા, તેમજ ત્વચા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓ ટાળવા માટે, આલ્કોહોલ મુક્ત શેવિંગ પ્રોડક્ટનો ઉપયોગ કરો. જો તમને વધુ મુશ્કેલી થાય છે તો તમે નિષ્ણાત અથવા ત્વચારોગ વૈજ્ઞાનિકની સલાહ લઈ શકો છો.
2. શેવિંગ માટે નવું અને સારું રેઝર પસંદ કરો.
સંવેદનશીલ ત્વચાવાળા લોકોને શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવાની સમસ્યા હોય છે. રેઝરને કારણે આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. શેવિંગ કરવા માટે સારા રેઝરનો ઉપયોગ કરવો જરૂરી છે. ખોટું રેઝર અથવા બ્લેડનો ઉપયોગ ત્વચા પર ખંજવાળ અને બળતરા થવાનું કારણ હોઈ શકે છે, આ સાથે ત્વચાની ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી શેવિંગ કરતા પહેલા, કોઈએ ત્વચા અનુસાર સારી બ્લેડ અથવા રેઝર પસંદ કરવું જોઈએ. સારા રેઝરના ઉપયોગથી શેવિંગ પણ યોગ્ય રીતે થશે અને ત્વચા કોઈપણ પ્રકારનો ચેપ પણ નહીં થાય. જુના રેઝર અથવા શેવિંગ બ્લેડનો ઉપયોગ પણ બળતરા અને ખંજવાળનું કારણ બની શકે છે.
3. શેવિંગ કરતા પહેલા ચહેરો સારી રીતે સાફ કરો
શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, શેવિંગ કરતા પહેલા તમે તમારી ત્વચાને સારી રીતે સાફ કરો તે સૌથી મહત્વનું છે. શેવિંગ કરતા પહેલા ચહેરો સારી રીતે સાફ કરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે. ચહેરાને સારી રીતે સાફ કર્યા પછી, શેવિંગ કરવામાં પણ સરળતા રહે છે અને શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવાની સંભાવના ઓછી રહે છે. શેવિંગ કરતા પહેલા ચહેરો સાફ કરવા માટે સારા અને હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો.
4. શેવિંગ કર્યા પછી તમારી ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરો
સ્વચ્છ અને ચેપ મુક્ત ત્વચા મેળવવા માટે, શેવિંગ કર્યા પછી ચહેરો હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. ચહેરાને પિમ્પલ્સથી બચાવવા માટે સારા મોઇશ્ચરાઇઝ પસંદ કરો. શેવિંગ કર્યા પછી જે ઉત્પાદનોનો ઉપયોગ ત્વચા પર થાય છે એ ત્વચાને હાઇડ્રેટેડ રાખવાનું કામ કરે છે. આફ્ટરશેવનો ઉપયોગ ત્વચાને સરળ અને સુંદર બનાવે છે.
5. ખોટી શેવિંગ કરવાનું ટાળો
શેવિંગ કર્યા પછી, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓથી બચવા માટે યોગ્ય રીતે શેવિંગ કરવી જરૂરી છે. શેવિંગ કર્યા પછી પુરુષોની ત્વચા પર બળતરા, ખંજવાળ અથવા ફોલ્લીઓની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાથી બચવા માટે, શેવિંગ કરવાની યોગ્ય પદ્ધતિ અપનાવી જોઈએ. વાળની દિશા અનુસાર શેવિંગ કરવી જોઈએ. કેટલાક લોકો ઘણીવાર વિરુદ્ધ દિશામાં શેવિંગ કરતા હોય છે, આવા લોકોને ત્વચા સાથે સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
6. શેવિંગ કર્યા પછી બરફના ટુકડાનો ઉપયોગ કરો
શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાથી બચવા માટે બરફના ટુકડાનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શવિંગ કર્યા પછી બરફના ટુકડાનો ઉપયોગ કરીને ત્વચાની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. આ માટે એક બરફનો ટુકડો લો અને આ ટુકડાથી ચેહરા પર હળવી મસાજ કરો. આ ઉપાયથી તમારા ચેહરાની બળતરા અને ખંજવાળની સમસ્યા ઓછી થશે સાથે તમારો ચેહરો નરમ બનશે.
આ પદ્ધતિઓ અપનાવવાથી, તમે શેવિંગ કર્યા પછી થતી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. શેવિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા ખુબ તકલીફ આપે છે, જેના કારણે ત્વચા સાથે સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે. જો શેવિંગ કર્યા પછી ત્વચાની સમસ્યા હોય તો, સૌ પ્રથમ નિષ્ણાત અથવા ત્વચારોગ વૈજ્ઞાનિકની સલાહ લેવી જોઈએ. આ સિવાય તમે ખંજવાળ અને બળતરાની સમસ્યાથી બચવા માટે થોડા દિવસો માટે શેવિંગ કરવાનું ટાળી શકો છો, વચ્ચે થોડા દિવસ શેવિંગ ન કરવાથી ત્વચામાં ઘણો ફાયદો થાય છે. ભૂલથી પણ આ સમસ્યાઓને અવગણવી જોઈએ નહીં,નહીંતર ત્વચામાં ઘણી ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત