મધ સાથે તજના પાવડરનું સેવન કરવાથી મળે છે અનેક રોગોમાં રાહત, વાંચો આ લેખ અને જાણો ફાયદા…

આપણા ભારતીયમાં દરેક મસાલા ઔષધીય રીતે ઘણા મહત્વના છે. તેવી જ રીતે મધ અને તજના ઔષધીય ગુણો ઘણા સ્વાસ્થ્યવર્ધક પણ છે. કહેવાય છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે. તજ અને મધ એ બે ઔષધિ ના લિસ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે.

તે ભોજન બનાવવામાં અને એક ઔષધિ તરીકે એમ બંને રીતે ઉપયોગી છે. ઘણા લાંબા સમયથી આ બંને ઘટકો આયુર્વેદ માં પરંપરાગત દવાઓમાં વ્યાપક પણે ઉપયોગમાં લેવાય છે. તજ અને મધ નું મિશ્રણ થી આશ્ચર્યજનક આરોગ્ય લાભ થાય છે. તજ અને મધના મહત્વ ના ખુબ જ મજેદાર ફાયદાઓ જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.

શરદી :

image soucre

સામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચી હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ એકવાર સેવન કરવું જોઇએ. આ ઉપચાર શરદી, કફ અને સાયનસાઇટિસ પર ઉપયોગી છે.

કોલસ્ટ્રોલ :

સોળ ઔંસ જેટલાં ચા વાળા પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવીને કોલેસ્ટરોલના દર્દીને પીવડાવવાથી બે કલાકમાં દસ ટકા જેટલું કોલેસ્ટ્રોલ ઘટયું હતું. સંશોધનોની જર્નલમાં એવું પણ જણાવાયું હતું કે રોજ ખોરાક સાથે મધનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની તકલીફમાં રાહત મળે છે. આર્થાઇટિસથી પીડાતા દર્દીને દિવસમાં ત્રણવાર મધ અને તજ આપવાથી ઘણી રાહત મળે છે.

હૃદયરોગ :

image soucre

મધ અને તજના પાવડર ની પેસ્ટ બનાવીને તેને જામની જેમ બ્રેડ કે રોટલી પર લગાવીને રોજ ખાઓ. આ ઉપચાર કોલસ્ટરોલ ને નસોમાંથી ઘટાડીને હૃદયને રક્ષણ આપે છે. હાર્ટએટેક આવેલા દર્દીને પણ તે ફરીવારના હુમલાથી બચાવે છે. મધ અને તજનો રોજિંદો ઉપયોગ શ્વાસની તકલીફ અને હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે. અમેરિકા અને કેનેડામાં થયેલા સંશોધનો પરથી જાણવા મળ્યું હતું કે ઉંમર વધવા સાથે ઘટી જતી નસો અને ધમનીઓની સ્થિતિ સ્થાપકતા ને મધ અને તજનું સેવન પુનઃસ્થાપિત કરે છે.

આર્થ્રાઇટીસ :

એક કપ જેટલાં ગરમ પાણીમાં બે ચમચા મધ અને એક નાની ચમચી તજનો પાવડર મેળવીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવો તીવ્ર આરથ્રાઇટીસ મટી શકે છે. જે ડોકટરોએ આર્થ્રાઇટીસ ના દર્દીઓને સવારે બ્રેકફાસ્ટ પહેલાં મધ અને તજનું મિશ્રણ આપ્યા હતા. તેઓએ નોંધ્યું હતું કે એક સપ્તાહમાં ચાલીસ ટકા જેટલાં દર્દીઓને અને એક મહિનામાં બધાં જ દર્દીઓને ફાયદો થયો હતો.

મૂત્રાશયના ચેપો :

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી મધ અને બે ચમચી તજ-પાવડર ઉમેરીને પીઓ. તે મૂત્રાશયમાંના જંતુઓનો નાશ કરીને ચેપને દૂર કરે છે.

દાંતનો દુઃખાવો :

image soucre

એક ચમચી તજનો પાવડર અને પાંચ ચમચી મધ ને મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુઃખના દાંત પર લગાવો. દિવસમાં ત્રણવાર આ રીતે કરવાથી દુઃખાવો દૂર થઇ જશે.