Site icon Health Gujarat

જો તમે પણ ઝડપથી ખરતા વાળથી પરેશાન છો તો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાયો ફટાફટ કરી લો ટ્રાય

જો તમારા વાળ પણ ઝડપથી ખરતા હોય તો આ લેખ તમારી આ સમસ્યા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ દોડધામ ભરેલી જિંદગીમાં વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ ક્યારેક હોર્મોનના સ્તરમાં અચાનક ફેરફાર, બાળજન્મના પછીથી થતી નબળાઈ, સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ અને કેટલાક રોગને કારણે આ સમસ્યા ઘણી વખત વધી જાય છે.

image source

જ્યારે વાળ ઝડપથી ખરવા લાગે છે, ત્યારે કેટલાક લોકો ટાલ પડવાનો શિકાર પણ થાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમે અહીં જણાવેલા કેટલાક ઉપાયો અપનાવી શકો છો. તો ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ……

Advertisement

ટાલ પડવાથી કેવી રીતે છુટકારો મેળવવો

ડુંગળીનો ઉપયોગ કરો.

Advertisement
image source

સૌથી પહેલા ડુંગળીને છોલીને તેને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે આ ડુંગળીને માથા પર હળવા હાથે રોજ પાંચ-સાત મિનિટ સુધી તે જગ્યા પર ઘસો જ્યાંથી વાળ વધુ પડતા હોય. તેનાથી વાળ ખરતા બંધ થશે અને નવા વાળ પણ આવવા લાગશે.

આમળા અને લીમડાનો આ રીતે ઉપયોગ કરો

Advertisement
image soucre

આમળા અને લીમડાની મદદથી તમે વાળ પાછા મેળવી શકો છો. આ માટે થોડો આમળાનો પાવડર અને લીમડાના પાનને પાણીમાં સારી રીતે ઉકાળો. હવે આ પાણીથી માથું ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ પાણીથી માથું ધોઈ શકો છો. આ વાળ ખરવાનું બંધ કરશે અને તમને નવા વાળ પણ આવશે.

આ રીતે મુલેઠીનો ઉપયોગ કરો

Advertisement
image source

વાળ પાછા લાવવા અને ટાલની સમસ્યા દૂર કરવા માટે તમે મુલેઠીનો ઉપયોગ કરી શકો છો. આ માટે, તમે મુલેઠી લો અને તેમાં થોડા ટીપાં દૂધ, એક ચપટી કેસર મિક્સ કરો. હવે આ ચીજો પીસીને બારીક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા તમારા માથાની ચામડી પર લગાવો અને સવારે શેમ્પૂ કરો. આ ઉપાય તમારી ટાલની સમસ્યા દૂર કરશે અને તમારા માથા પર નવા વાળ આવશે.

કોથમીરનો ઉપયોગ કરો

Advertisement
image source

તમે નવા વાળ ઉગાડવા માટે કોથમીરનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે પહેલા કોથમીરને બારીક પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો અને તેને આ રીતે થોડા કલાકો સુધી રહેવા દો અને પછી શેમ્પૂ કરો. થોડા દિવસોમાં નવા વાળ આવવા લાગશે.

કલોંજીનો ઉપયોગ કેવી રીતે કરવો

Advertisement
image soucre

કલોંજી વાળ ખરતા અટકાવે છે. આનો ઉપયોગ કરીને તમે નવા વાળ ઉગાડી શકો છો. સૌ પ્રથમ, વરિયાળીના દાણાને પીસીને પાવડર બનાવો. આ પાવડરને પાણીમાં મિક્સ કરો અને આ પાણીથી માથું ધોઈ લો. આવું નિયમિત રીતે કરવાથી થોડા દિવસોમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે અને માથા પર નવા વાળ પણ આવવા લાગશે.

એલોવેરા જેલ

Advertisement
image soucre

એલોવેરા જેલ એ એક બહુમુખી ઘટક છે જે આપણા શરીર, વાળ અને ત્વચાની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી છે. તે આપણા વાળના મૂળને મજબૂત કરે છે અને તમારા માથા પરની ચામડી પરના બેક્ટેરિયા સામે લડે છે. આટલું જ નહીં એલોવેરા ટાલ પડવાની સમસ્યા પણ દૂર કરે છે. આ માટે ધીમે ધીમે તમારા માથા પરની ચામડી પર તાજા એલોવેરા જેલની માલિશ કરો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તમારું માથું ધોઈ લો અને સારી રીતે સુકવી લો.

દહીંની પેસ્ટ

Advertisement
image soucre

દહીં એ કુદરતી વાળ માટેનું કન્ડિશનર છે. તે ખોળાની સમસ્યા દૂર કરે છે, સાથે માથા પરની ખંજવાળને મટાડે છે અને વાળ ખરતા અટકાવે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ તમારા માથા પરની ચામડી પરના બધા બેક્ટેરિયાને દૂર કરે છે. આ માટે દહીં તમારા માથા પરની ચામડી પર લગાવો અને તેને 45 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તમારા વાળ ઠંડા પાણીથી ધોઈ લો. ઝડપી પરિણામો માટે દર 10 દિવસમાં 1 વાર આ ઉપાય અજમાવો.

લવંડર તેલ મસાજ

Advertisement
image soucre

લવંડર તેલ તમારા વાળ અને માથા પરની ચામડીને ચમકદાર બનાવે છે. લવંડરના એન્ટિસેપ્ટિક અને એન્ટિફેંગલ ગુણધર્મો તમારા વાળ માટે જાદુ જેવું કામ કરે છે. તમારા વાળ પડતા અટકાવવા સિવાય લવંડર તેલ તમારા વાળ ચમકદાર બનાવે છે. ઝડપી અસર જોવા માટે દર અઠવાડિયે એક વાર ગરમ લવંડર તેલની તમારા વાળ પર મસાજ કરો.

Advertisement
Advertisement
Exit mobile version