તમારી ઉંમરને વધારે છે નિયમિત રીતે ખવાતું આ 1 ડ્રાયફ્રૂટ, આપે છે અનેક અન્ય ફાયદા પણ
ઘણીવાર સાદામાં સાદી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. અખરોટ ને પણ આપણે હેલ્થની દૃષ્ટિએ ખાસ મહત્વ નથી આપતા. પરંતુ રિસર્ચ મુજબ તમે અખરોટ ખાવ તેના ચાર જ કલાકની અંદર તમારા શરીરના કોલેસ્ટ્રોલ લેવલ અને રક્તવાહિનીઓની ફ્લેક્સિબિલીટી વધી જશે. જી હા, અખરોટમાં રહેલું તેલ કોલેસ્ટ્રોલ અને રક્તવાહિનીઓ પર ફક્ત ચાર જ કલાકની અંદર અસર કરવા માંડે છે. અખરોટ નું સેવન કરવાથી આપણું આયુષ્ય પણ વધી જાય છે.
અખરોટ એક શ્રેષ્ઠ ડ્રાયફ્રુટ છે. અખરોટ નું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે. ભારત દેશમાં અખરોટ નું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. અખરોટ માં ફાઇબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
અઠવાડિયામાં એકસો પચાસ ગ્રામ અથવા તેથી વધુ અખરોટ ખાવા થી મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. વરિષ્ઠ સંશોધકે સમજાવ્યું છે કે દર અઠવાડિયે ફક્ત મુઠ્ઠીભર અખરોટ ખાવાથી જીવનને લંબાવવામાં મદદ મળે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ના એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે અખરોટ નું નિયમિત સેવન મૃત્યુનું જોખમ ઘટાડે છે, અને લાંબા આયુષ્ય માટે ફાયદાકારક છે.
ન્યુટ્રિઅન્ટ્સ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર, અઠવાડિયામાં એકસો પચાસ ગ્રામ અથવા તેથી વધુ અખરોટ ખાવાથી મૃત્યુનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. અમેરિકા ની હાર્વર્ડ ટીએચ ચેઇન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ના સિનિયર રિસર્ચર યાનપિંગ લીએ જણાવ્યું હતું કે, દર અઠવાડિયે માત્ર ગણ્યા ગાંઠ્યા અખરોટ ખાવા થી આયુષ્ય લંબાવવામાં મદદ મળે છે.
સંશોધન મુજબ અઠવાડિયામાં પાંચ કે તેથી વધુ વખત અખરોટ નું સેવન મૃત્યુ નું જોખમ ચૌદ ટકા સુધી ઘટાડી શકે છે. સાથે જ તેને ખાવાથી હૃદયરોગ ના મૃત્યુનું જોખમ પચીસ ટકા ઓછું થઈ ગયું હતું. જ્યારે આ લોકો અખરોટ ન ખાતા લોકો કરતા 1.3 વર્ષ મોટા હોવાનું જાણવા મળ્યું હતું.
20 વર્ષનું સંશોધન સમાપ્ત થાય છે
આ તારણો સડસઠ હજાર મહિલાઓ અને છવીસ હજાર પુરુષો પર હાથ ધરવામાં આવેલા અભ્યાસ પર આધારિત છે. તેમાં જાણવા મળ્યું છે કે જે સહભાગીઓ વધુ અખરોટ નું સેવન કરે છે, તેઓ નિયમિત પણે તેનું સેવન ન કરતા લોકો કરતા શારીરિક રીતે વધુ સક્રિય હતા. આ અભ્યાસ ૧૯૯૮ થી ૨૦૧૮ સુધી હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં સામેલ લોકો ની સરેરાશ ઉંમર ત્રેસઠ વર્ષ હતી.