શું તમે પણ પીડાવો છો આ ગંભીર રોગથી? તો ચેતી જજો, જાણી લો આ બીમારીમાં સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ

ઉનાળાના દિવસો શરુ થતા જ ગરમી ઝડપથી વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં, તાપમાન 40-45 ડિગ્રીથી ઉપર રહ્યું છે, જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં લોકોને બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ઘર ન છોડવાની સલાહ આપવામાં આવી રહી છે. આટલા તીવ્ર ઉનાળામાં સામાન્ય લોકોની હાલત ખરાબ હોય છે, તેથી વિચારો કે ઉનાળાની ઋતુ હૃદય દર્દીઓ માટે કેટલી પીડાદાયક રહેશે. ઉંઘનો અભાવ, બેચેની અને અતિશય તાપના કારણે પાણીની ઉણપ તેમના હૃદયના ધબકારામાં વધારો કરી શકે છે અને તેઓ એરિથિમિયાનો શિકાર બની શકે છે.

image soucre

તેવી જ રીતે, ખૂબ જ સૂર્ય-પ્રકાશ અને ગરમીને કારણે શરીરમાં પાણી, સોડિયમ અને પોટેશિયમનો અભાવ હોઈ શકે છે, જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે અને સ્થિતિ જીવલેણ બની શકે છે. આ સમસ્યાઓ ફક્ત હૃદયના દર્દીઓ માટે જ ગંભીર નથી, પરંતુ તંદુરસ્ત લોકો માટે પણ જોખમી બની શકે છે. તેથી ઉનાળાની ઋતુમાં તમારા હૃદયની સંભાળ રાખવા માટે, તમારે આ અહીં જણાવેલી ટીપ્સનું પાલન કરવું જોઈએ. જેથી તમે સ્વસ્થ રહો.

ઉનાળામાં ઓછું પાણી પીવું કેટલું જોખમી છે ?

image soucre

ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની જરૂરિયાતો વધે છે. તેથી જો તમે પાણી પીવામાં બેદરકારી દાખવશો, તો તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે. ડિહાઇડ્રેશન શરીરમાં સોડિયમ, પોટેશિયમ અને પાણીની ઉણપનું કારણ બની શકે છે. આ હૃદયના સ્નાયુઓમાં ખેંચાણ લાવી શકે છે. જેઓ પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે, તેમના માટે આ હવામાન વધુ જોખમી બની શકે છે. હકીકતમાં, પાણીના અભાવના કારણે, આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ બગડે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ બ્લડ પ્રેશરની દવા લે છે, તો પરિસ્થિતિ એવી થઈ જાય છે કે – એક તરફ પાણી ઓછું પીવાથી હૃદયની ધબકારા વધી જાય છે, બીજી તરફ, બ્લડ પ્રેશરની દવા અંદર જાય છે અને જે હૃદયના ધબકારા ઘટાડે છે. આનાથી વ્યક્તિને કાર્ડિયાક એરેસ્ટની સમસ્યા થઈ શકે છે.

image soucre

તેથી ઉનાળાની ઋતુમાં પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તમારે દિવસમાં ઓછામાં ઓછું 2.5 લિટર પાણી પીવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં, દિવસ દરમિયાન 1.25 લિટરથી ઓછું પાણી પીશો નહીં, નહીંતર તમારું જીવન જોખમમાં મુકાઈ શકે છે. જો તમે કોઈપણ જગ્યા પર કામકાજ કરો છો, તો પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો અને જો બોટલ પુરી થાય તો નવી ખરીદી લો, પરંતુ ઉનાળાના દિવસોમાં પાણીની બોટલ તમારી સાથે રાખવી ખુબ જ જરૂરી છે. જેમ અત્યારના સમયમાં કોઈપણ વ્યક્તિને મોબાઈલ વગર નથી ચાલતું તેમજ ઉનાળાના દિવસોમાં પાણી વગર નહીં ચાલે.

ઉનાળામાં તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આવશ્યક ટીપ્સ

  • – શરીરમાં પાણીનું સંતુલન જાળવવા માટે સતત પાણી પીવો. ખાસ કરીને કસરત સમયે અને કસરત પછી, પાણી પીવું ખૂબ મહત્વનું છે.
  • – આ ઋતુમાં ઓછી ચા અને કોફી પીવો કારણ કે તેનાથી શરીરમાં પાણીનો અભાવ જોવા મળે છે. તેના બદલે છાશ, લસ્સી, ફળોનો રસ વગેરે પીવો.
  • – બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મીઠું ખતરનાક છે, પરંતુ સામાન્ય લોકોએ પણ ઉનાળાની ઋતુમાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ.
  • – એક સમયે વધારે પ્રમાણમાં ખાવાને બદલે, થોડા-થોડા સમય પર થોડું-થોડું ખાઓ, જેથી પેટને ખોરાકને પચાવવા માટે ખૂબ મહેનત કરવી ન પડે.

    image soucre
  • – ખોરાકમાં રસદાર ફળો અને શાકભાજી ઉમેરો જેથી તમને પોષક તત્વો અને પાણી પણ મળે. આ માટે, તરબૂચ, કાકડી, ટામેટા, ડુંગળી, આદુ, નારંગી, કેળા અને અન્ય રસદાર ફળોનો સમાવેશ કરો.
  • – ડાર્ક રંગના કપડાં ન પહેરશો. તેના બદલે હળવા રંગના કપડાં પહેરો. સિન્થેટિક કપડાંને બદલે કોટન કપડા પહેરવાનો પ્રયત્ન કરો.
  • – બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળો અને શરીરને ઠંડુ રાખવા માટે પંખા, કુલર અથવા એસી વગેરે ચલાવીને ઘરે જ બેસો. તમારા ઘરની છત પર અને ઘણી બહાર પાણી છાંટીને તમારા ઘરને ઠંડુ રાખવાનો પ્રયત્ન કરો.

    image soucre
  • – જો તમે ઘરની બહાર જતા હોવ તો તમારા માથા પર કેપ રાખો અથવા છત્રી સાથે લો અને તમારા કાનને પણ ઢાંકી દો. કોરોનાના સમયમાં તમારા મોં પર માસ્ક તો હશે જ એટલા માટે તમારું મોં પણ ઢંકાય જશે. કોઈપણ જરૂરી કામથી ઘરની બહાર નીકળો તો આવી રીતે પોતાને સૂર્ય-પ્રકાશથી બચાવીને નીકળો.
  • – તમારા બ્લડ પ્રેશરને તપાસતા રહો અને કોઈ અગવડતા કે સમસ્યાની સ્થિતિમાં, વિલંબ કર્યા વગર તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

    image source
  • – આઈસ્ક્રીમ, બરફનો ટુકડો, ઠંડુ પાણી અથવા શરબત વગેરે જેવી ખૂબ જ ઠંડી વસ્તુઓ લેવાનું ટાળો. એટલે કે, તમે ઠંડા વસ્તુઓ ખાઈ શકો છો અથવા પી શકો છો, પરંતુ વધુ પ્રમાણમાં ઠંડી ચીજો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત