ઉનાળામાં રસથી ભરપૂર તરબૂચ આપે છે એક ગજબની શાતા – જો તમે પણ તરબૂચને જોઈને લલચાઈ જતા હોવ તો જાણો તેના લાભાલાભ
દોસ્તો, ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે.ઉનાળામાં સૌથી વધુ જેની રાહ જોવામાં આવે છે તેવું આ ફળ તરબૂચ હવે હંમેશાં મળે છે. તમામ પ્રકારનાં ફળો અને શાકભાજીનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવાથી જીવનશૈલી સાથે સંબંધિત આરોગ્યની તકલીફોનું જોખમ ઘટી જાય છે. ઘણા અભ્યાસો પછી જાણવા મળ્યું છે કે તડબૂચ ના વપરાશથી મેદસ્વીતા અને ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટે છે.
ઉનાળા ની સીઝન માં શરીર માં એકંદરે પાણી ની માત્રા ઓછી થાય છે. તેની પૂરતી ઘણા ફ્રૂટ પુરી કરે છે. તેમાં નું આ એક ફ્રુટ છે. તડબૂચ આ સ્વાદ માં રસીલા લાગે છે.તો આવો જાણીએ ફાયદાઓ અને કોને ના ખવા જોઈએ.
આમ તો બજાર માં ઘણા તડબૂચ ઉપલબ્ધ હોય છે. તમારે તેને ખરીદવા માટે પહેલા દસ વખત વિચારવું પડશે. મોટા અને રસીલા દેખાવ વાળા તડબૂચ ની અંદર કઈ પણ નીકળી શકે છે. આ તડબૂચ ને ઇન્જેક્શન આપ્યું હોય શકે છે. સાઇઝ વધારવા અને ગાળ્યા કરવા માટે.
તડબૂચ એવું ફ્રુટ છે જેમાં લાઇકોપિન મળે છે. જેનાથી ત્વચા ને ચમક, મુલાયમ અને નિખાર લાવે છે.
તેની સાથે સાથે તેમાં વિટામીન E પણ જોવા મળે છે જે આંખો તેની સાથે સાથે પાચન શક્તિ માં પણ લાભદાયક નીવડે છે.
તડબૂચ ની તાસીર ઠંડક વળી હોય છે. મગજ ઠંડુ રહે છે. ક્રોધ થતો નથી.લૂ પણ લાગતી નથી.
તડબૂચ ખાલી ખાવા માં નહીં પરંતુ આના થી મસાજ કરવા માં આવે છે બ્લેકહેડ્સ દૂર કરી ત્વચા માં ચમક લાવે છે
તડબૂચ હૃદય ની બીમારી માં રાહત આપે છે જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછો કરે છે. જેથી બીમારી ટળે છે.
શરીર હાઈડ્રેટ રાખે છે. તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તે એક કુદરતી સ્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.
આ સાથે સાથે ઘણા લાભ છે જે તેને ક્રશ કરી ને મો પર ઘસવાથી ચમકીલી બનવે છે. અને એનો લેપ માથા પર લાગવાથી માથા નું દર્દ ગાયબ થઈ જાય છે.
આ ખાવા થી કબજિયાત ની પ્રોબ્લેમ દૂર થાય છે. અને પાચનશક્તિ મજબૂત કરે છે.
અને શરીર માં લોહી ની કમી દૂર થાય છે.અને અશક્તિ મહેસૂસ થતી નથી.
અને આ ફ્રુટ મોટાપો દૂર થાય છે.સૌથી પૌષ્ટિક આહાર છે. આમાં,
કેલેરી ની માત્રા : 46
વશા: 0.2 ગ્રામ
સોડિયમ: 1.5 મી. ગ્રામ
કાર્બોહાઈડ્રેટ: 11.6 ગ્રામ
ફાયબર: 0.6 ગ્રામ
શક્કર: 9.5 ગ્રામ
પ્રોટીન: 0.9 ગ્રામ
વિટામિન સી: 12.5 મી.ગ્રામ હોય છે.