મોમાંથી વારંવાર આવતી દુર્ગંધની સમસ્યાને દૂર કરવા આ રીતે કરો એલચીનું સેવન, સાથે આ સમસ્યાઓ પણ થશે દૂર
ભારતીય દરેક રસોડામાં એલચીનો ઉપયોગ થાય છે.તેનો ઉપયોગ સામાન્ય રીતે મીઠાઈમાં સુગંધ ઉમેરવા માટે થાય છે.રસોડામાં હાજર એલચીમાં અનેક ઔષધીય ગુણ હોય છે.એલચીની અસર ગરમ હોય છે,તેથી તેનો ઉપયોગ શરદી,ઉધરસ અને કફથી રાહત માટે થાય છે.જો શિયાળામાં દરરોજ એક એલચીનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીર પર શરદીની કોઈ અસર થતી નથી.એલચીના સ્વાસ્થ્ય માટે ઘણા લાભ છે.તો ચાલો અમે તમને અનાવીએ કે એલચીના સેવનથી શું ફાયદાઓ થાય છે.
– મોમાં આવતું દુર્ગંધ દૂર કરવા માટે એલચી એ શ્રેષ્ઠ ઉપાય છે.જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે અથવા તમને શ્વાસમાંથી આવતી ખરાબ વાસની ચિંતા છે તો પછી દરરોજ જમ્યા પછી એલચી ચાવવી,એ શ્રેષ્ઠ ઉપાય છે.એલચીના સેવનથી તમારું પાચન પણ સારું રહેશે અને દુર્ગંધથી પણ છૂટકારો મળશે.
– જો કોરોનાના ડરથી તમારા હૃદયની ધડકન ઝડપથી ચાલી રહી છે,તો તમારે એલચીનું સેવન જરૂરથી કરવું.એલચી હૃદયના ધબકારાને સામાન્ય રાખે છે.
-એલચી શરીરમાંથી ગેસની અસર દૂર કરે છે.કેટલીકવાર ગેસની સમસ્યાથી છાતી,માથા અથવા પેટમાં દુખાવો થાય છે.
-એલચી કોઈપણ પ્રકારના ગેસના દુખાવામાં રાહત આપે છે.એલચીનું સેવન એસિડિટીની સમસ્યા પણ દૂર કરે છે.જમ્યા પછી તરત જ એલચી મોમાં નાખીને ચાવો અને ઓછામાં ઓછા 100 ડગલાં ચાલો.આ ઉપાયથી તમને કોઈપણ ઉંમરે પેટની સમસ્યા નહીં થાય.
– જો તમને ગળામાં દુખાવો થાય છે,તો એલચીનું સેવન કરો.એલચીનું સેવન કરવાથી ગળામાં થતો દુખાવો તથા ગળાની દરેક સમસ્યા દૂર થશે.
-જો તમે કામના કારણે હંમેશા તણાવમાં રહો છો,તો એલચીનું સેવન જરૂરથી કરો.એલચી ચાવવાથી તરત જ હોર્મોન્સ બદલાઈ જાય છે અને તનાવથી મુક્તિ મળે છે.
-નિયમિત એલચી ખાવાથી કેન્સર જેવા ગંભીર રોગનો પરાજય થઈ શકે છે.એલચીમાં રહેલા બળતરા વિરોધી તત્વો ત્વચાના કેન્સરના કોષો સામે લડવામાં અસરકારક છે.
-જો તમે કોઈ જાતીય રોગ અથવા ગુપ્ત રોગથી પરેશાન છે,તો રાત્રે એલચીને દૂધમાં ઉકાળો અને તેમાં મધ મિક્ષ કરીને પીવો.નાની દેખાતી લીલી એલચી તમારા આ સમસ્યાને ફટાફટ દૂર કરશે.
-એલચીનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે તમારા હાઈ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે.એલચી એન્ટીઓકિસડન્ટોથી ભરપુર છે.દિવસ દરમિયાન 3 ગ્રામ એલચી ખાવાથી બ્લડ પ્રેશર એક હદ સુધી સામાન્ય રહે છે.એલચીમાં એવા તત્વો જોવા મળે છે,જે તમારા શરીરમાંથી યુરીનને યોગ્ય માત્રામાં બહાર લાવવામાં મદદ કરે છે.
-જ્યારે તમે માર્કેટમાં ટૂથપેસ્ટ ખરીદવા જાઓ છો,ત્યારે તમને ઘણી સ્વાદવાળી ટૂથપેસ્ટ્સ મળે છે.લગભગ દરેક ટૂથપેસ્ટમાં કુદરતી તત્વો તરીકે લવિંગ અને એલચી હશે જ.તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે ? કારણ કે એલચીના ફાયદાને કારણે તેનો ઉપયોગ ટૂથપેસ્ટમાં પણ થાય છે.આ તે છે કારણ કે તે તમને ખરાબ બેક્ટેરિયા અને ગંધથી દૂર રહેવામાં મદદ કરે છે.એલચીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને મોંમાં રહેલા બેક્ટેરિયાથી દૂર રાખે છે અને તમારા દાંતની દરેક સમસ્યા પણ દૂર કરે છે.
-એલચી એ એરોમાથેરાપીમાં ઉપયોગમાં લેવાતા સૌથી મહત્વપૂર્ણ તેલ છે.તેનો સ્વાદ તમને શારીરિક અને માનસિક રીતે આરામ આપે છે.વધુ ટેન્શન ધરાવતા લોકો માટે એલચીના ફાયદા કામ કરી શકે છે.જો તમે ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરવા માંગતા હો,તો સૌથી પેહલા તમારા ડોક્ટરની સલાહ લો.
-ઓપરેશન પહેલાં એનેસ્થેસિયાના ઇન્જેકશનને લીધે તમને ઓપરેશન પછી વારંવાર ચક્કર આવે છે.આવા સમયમાં એલચી તમારી મદદ કરશે.સંશોધન મુજબ આદુ,એલચી અને તારગોનનું તેલને ગળા પર લગાવવાથી ચક્કર અને ઉલ્ટી થવાના લક્ષણોથી રાહત મળે છે.
-એલચી ખાવાથી તમારા ફેફસા બરાબર રીતે કામ કરે છે અને ઓક્સિજન સુધારવામાં પણ મદદ કરે છે.એક અધ્યયનમાં ઘણા વ્યક્તિઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા.પ્રથમ જૂથને એલચી સૂંઘાડ્યા પછી ટ્રેડમિલ પર કસરત કરવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે બીજા જૂથને એલચી સૂંઘાડ્યા વગર જ ટ્રેડમિલ પર કસરત કરવાનું કહેવામાં આવ્યું હતું.કસરત પછી બંને જૂથોના ઓક્સિજન માપવામાં આવ્યા, ત્યારે પ્રથમ જૂથના લોકો દ્વારા ઓક્સિજનની માત્ર વધુ હતી,તેથી તે સ્પષ્ટ છે કે એલચી શ્વાસને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત