Site icon Health Gujarat

વરિયાળીનો આ અલગ-અલગ ઉપયોગ કરીને ખાશો તો આ બીમારીઓમાંથી તરત જ મળી જશે છૂટકારો

વરિયાળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તે સારું મોં ફ્રેશનર પણ છે. આ જ કારણ છે કે હોટલો અને અન્ય સ્થળોએ જમ્યા પછી વરિયાળી આપવામાં આવે છે. તેનો ઉપયોગ મસાલા તરીકે પણ થાય છે. અથાણાં અથવા કોઈપણ સ્ટફ્ડ શાકભાજી બનાવવા માટે તૈયાર મસાલામાં વરિયાળીનો સમાવેશ થાય છે. વરિયાળીમાં ઠંડકની અસર હોય છે, તેથી તેનો વધુ ઉપયોગ થાય છે. તેમાં જોવા મળતા પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વો હોય છે, જે આપણા શરીર માટે ફાયદાકારક છે. તો ચાલો અમે તમને વરિયાળીના અઢળક ફાયદાઓ વિશે જણાવીએ.

વરિયાળી ખાવાથી થતા ફાયદા.

Advertisement
image soucre

– વરિયાળીને સાકર સાથે પણ ખાઈ શકાય છે ખાલી પેટ પર વરિયાળીનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી ચહેરા પર ગ્લો આવે છે.

– બદામ, વરિયાળી અને સાકરને સમાન માત્રામાં પીસીને, રોજ રાત્રે જમ્યા પછી અને બપોરે જમ્યા પછી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

Advertisement
image soucre

– જો સ્ત્રીઓનો પીરિયડ્સ અનિયમિત હોય તો તેમના માટે વરિયાળીનું સેવન ફાયદાકારક છે.

– જો તમારા મોમાં તીવ્ર દુર્ગંધ આવે છે, તો તેનાથી બચવા માટે નિયમિત રીતે અડધી ચમચી વરિયાળીને દિવસમાં 3-4 વખત ચાવો.

Advertisement

– – વરિયાળી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ચમત્કારિક રીતે કામ કરી શકે છે. તેમાં હાજર પોટેશિયમ લોહીમાં સોડિયમની માત્રાને નિયંત્રિત કરે છે અને તેની આડઅસરથી બચાવે છે. આ ઉપરાંત, વરિયાળીમાં નાઈટ્રેટનો જથ્થો પણ હોય છે, જે બ્લડ પ્રેશરને ઘટાડી શકે છે. આ ઉપરાંત મેગ્નેશિયમ પણ ઉચ્ચ માત્રામાં જોવા મળે છે, જે મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકે છે.

image soucre

– વરિયાળીનો ઉપયોગ પ્રાચીન કાળથી એક દવા તરીકે કરવામાં આવે છે. લીવરની સમસ્યા દૂર કરવા માટે પણ વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે. વરિયાળીમાં એન્ટીઓકિસડન્ટો અને અન્ય ખનિજો હોય છે, જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે. વરિયાળીમાં સેલેનિયમની માત્રા પણ હોય છે, જે લીવરની ક્ષમતામાં વધારો કરે છે અને શરીરમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Advertisement
image soucre

– વરિયાળીમાં રહેલા એન્ટીઓકિસડન્ટ અને એન્ટી-માઇક્રોબાયલ ગુણથી વાળની વિવિધ સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. વાળમાં ડેન્ડ્રફ, માથામાં ખંજવાળ અને વાળ ખરવા જેવી સમસ્યા થઈ શકે છે, આ દરેક સમસ્યા વરિયાળીના સેવનથી દૂર થાય છે.

image soucre

– વરિયાળી આંખની દરેક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. જો આંખોમાં બળતરા થાય છે કે ખંજવાળ આવે છે, તો આંખો પર વરિયાળીનો સેક લેવાથી રાહત મળે છે. આ માટે, વરિયાળીને કોટનના લપેટીને થોડું ગરમ કરી આંખો પર સેક કરો. સાથે ખાતરી કરો કે વરિયાળી ખુબ ગરમ ના હોવી જોઈએ. વરિયાળીમાં જોવા મળતા વિટામિન-એ અને વિટામિન-સી આંખના પ્રકાશમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરિયાળીમાં વિટામિન-એ જોવા મળે છે. તેથી વરિયાળીનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ થતી આંખોની સમસ્યામાંથી રાહત મળે છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version