શિયાળાના દિવસો દરમિયાન પેટમાં દુખાવા થવાની સમસ્યા સામાન્ય છે, તમારી આ સમસ્યા દૂર કરવા માટે અહીં જણાવેલ ઉપાય અજમાવો
કેટલીકવાર એવું બને છે કે તમે ખાલી પેટ પર ખૂબ જ મસાલેદાર અને પૌષ્ટિક ખોરાક લો છો, જેના કારણે એસિડથી તમારા પેટમાં બળતરા થાય છે. જો તમને પણ ઘણીવાર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો પછી આ ઘરેલું ઉપાયની મદદથી પેટ અને છાતીમાં બળતરાથી છુટકારો મેળવી શકો છો-
કાકડીમાં કેટલાક એવા ઘટકો છે જે પેટ અને છાતીમાં થતી બળતરાથી ત્વરિત રાહત આપે છે. જો પેટમાં એસિડ વધવાના કારણે તમને પણ પેટમાં બળતરા થાય છે, તો તરત જ કાકડી ખાઓ. તમને ઘણી રાહત મળશે.
આ ઉપરાંત વરિયાળીનો ઉપયોગ છાતીમાં થતી તીવ્ર ઉત્તેજનાને શાંત કરી શકે છે. તમારી છાતીમાં થતી કોઈપણ બળતરા દુર કરવા માટે તમને સાડી વરિયાળી અથવા વરિયાળીના શરબતનું સેવન કરી શકો છો.
જો પેટમાં કબજિયાત હોય અથવા પેટ સાફ થતું નથી અથવા પેટમાં ખુબ જ બળતરા થાય છે, તો પપૈયાના સેવનથી બીજું કંઈ સારું નથી. જો તમારા પેટમાં આવી કોઈપણ તકલીફ થાય છે તો તરત જ પપૈયાનું સેવન કરો.
દરરોજ સવારે થોડા ગરમ પાણીમાં કાળું મીઠું અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આંતરડામાં જામેલો કચરો પણ દૂર થાય છે.
મધ પેટમાં થતી કોઈપણ સમસ્યા માટેની શ્રેષ્ઠ દવા છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે એક ચમચી મધ મિક્સ કરીને રોજ પીવાથી પેટ સાફ થાય છે.
ફુદીનો અને આદુથી બનેલી ચા પીવાથી પેટમાં થતી બળતરા દૂર થાય છે આ ચા કબજિયાતને દૂર કરવા માટે પણ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે.
રાત્રે સૂતા પહેલા ગોળ ખાવાથી સવારે પેટમાં કોઈ સમસ્યા થતી નથી. વિટામિન અને ખનિજોથી ભરપૂર ગોળ ખાવાથી કબજિયાત દૂર થાય છે.
મુલેઠીમાં ફાઇબર એલિમેન્ટ હોય છે જેનો ઉપયોગ છાતીમાં થતી કોઈપણ બળતરા દૂર કરવા માટે એક કુદરતી દવા તરીકે કરવામાં આવે છે. તે કોલેસ્ટરોલને શોષી લે છે અને ગેસ્ટ્રિક એસિડ બનાવે છે તેવા બેક્ટેરિયાને મારી નાખે છે. તેમાં વિટામિન એ, બી -1, બી -2, બી -3, સી અને ઇ શામેલ છે, જે પ્રાકૃતિક એજન્ટ છે અને તે છાતીમાં થતી બળતરા દૂર કરે છે.
કેળા પાચનની શક્તિમાં વધારો કરે છે. કેળા ખાવાથી છાતીમાં અને પેટમાં થતી બળતરામાં ત્વરિત રાહત મળશે. તેનાથી કબજિયાત પણ દૂર રહે છે.
તુલસીમાં ઘણા કુદરતી ગુણધર્મો છે, જેના ઉપયોગથી અનેક રોગો ચપટીમાં અદૃશ્ય થઈ જાય છે. જો તમને છાતીમાં કોઈપણ બળતરા થતી હોય, તો પછી સવારે ઉઠીને તરત જ તુલસીના કેટલાક પાન ચાવો. તે પેટને ઠંડુ રાખે છે અને બળતરાથી રાહત આપે છે.
નાળિયેર પાણી ઉનાળામાં તો તરસ છીપાવવાનું કામ કરે જ છે, સાથે તે શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. નાળિયેર પાણી પીવાથી શરીરમાં રહેલું એસિડ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત