Site icon Health Gujarat

આ 7 સુપર ફુડસ વિશે જાણી લો તમે પણ આજે જ, અને કરો આહારમાં સામેલ, નહિં થાય ક્યારે લોહીની ઉણપ

તમે ડોક્ટરને વારંવાર કહેતા સાંભળશો કે લોહીના અભાવના કારણે દર્દીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જી હા,જેમ ઉનાળામાં,પાણીના અભાવને લીધે શરીરને સમસ્યાઓનો અનુભવ થાય છે,તે જ રીતે લોહીના અભાવને લીધે,નબળાઇ,થાક,અનિદ્રા,ચક્કર,ત્વચા પીળી થવી વગેરે સમસ્યાઓ ઉભી થાય છે.આવી સમસ્યાઓમાં,યોગ્ય ખોરાક તમને સ્વસ્થ રાખી શકે છે.તો આજે અમે તમારા માટે આવા જ કેટલાક સુપર ફૂડ લઈને આવ્યા છીએ જે તમારા શરીરમાં લોહીનો અભાવ થવા દેતા નથી.તો ચાલો જાણીએ આ સુપર ફૂડ વિશે.

ગોળ અને મગફળી

Advertisement
image source

શરીરમાં લોહીની ખોટ પુરી થાય તે માટે ગોળ અને મગફળી સાથે ખાવાથી ફાયદો થાય છે. તેમાં આયરનની માત્રા વધારે હોવાને કારણે શરીરમાં લોહી ઝડપથી વધી જાય છે.

બીટનો રસ

Advertisement
image source

લોહી વધારવા માટે બીટરૂટ શ્રેષ્ઠ વિકલ્પ છે.તમે તેને કાચા અથવા તેનો રસ બનાવીને પણ પી શકો છો. દરરોજ 1 ગ્લાસ બીટના રસમાં 1 ચમચી મધ મેળવીને પીવાથી શરીરમાં આયરનની ખોટ ઓછી થાય છે.તમારું લોહી વધે પણ છે અને લોહીમાં સુધારો પણ આવે છે.

મકાઈના દાણા

Advertisement
image source

મકાઈના દાણા શેકીને અથવા તેને બાફીને ખાવાથી શરીરમાં લોહીની ખોટ પુરી થાય છે.તેમાં હાજર વિટામિન,આયરન,ફાઇબર,એન્ટીઓક્સિડેન્ટના ગુણો શરીરમાં લોહી ઝડપથી વધારવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણ વધુ સારું રહે છે.

આમળા અને જાંબુનો રસ

Advertisement
image source

આમળા અને જાંબુના રસમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.તેથી તેને ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનની ખોટ પુરી થાય છે.એક અઠવાડિયા સુધી સતત આમળા અનેજાંબુનો રસ સરખા પ્રમાણમાં ભેળવીને પીવાથી લોહીની ખોટ દૂર થાય છે.ઉપરાંત,બીમારીઓ પણ દૂર રહે છે.

ટમેટાંનો રસ

Advertisement
image source

લોહીની ખોટને પુરી કરવા માટે ટમેટાંનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે.તેમાં હાજર પોષક તત્વો શરીરમાં લોહી વધારે છે અને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.જો તમે ઇચ્છો,તો તમે સૂપ બનાવીને પણ પી શકો છો અને તેને કાચા પણ ખાઈ શકો છો.આ સિવાય સફરજન અને ટમેટાને મિક્સ કરીને તેનો રસ બનાવીને પીવાથી શરીરમાં લોહીની ખોટ દૂર થઈ શકે છે.

દાડમ

Advertisement
image source

દાડમમાં વિટામિન,આયરન,એન્ટીઓક્સિડેન્ટ,એન્ટી બાયોટિક જેવા ગુણધર્મો હોય છે.તેથી દરરોજ 1 ગ્લાસ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં ઝડપથી લોહીની ખોટ પુરી થાય છે.

તલના બી

Advertisement
image source

તલનાં બીમાં પણ આયરનનો મોટો જથ્થો હોય છે.તેને ખાવાથી શરીરમાં લોહી વધારવામાં મદદ થાય છે.આ માટે 2 ચમચી તલને પાણીમાં 2-3 કલાક પલાળી રાખો.તે પછી,તેને પાણીમાંથી કાઢી અને તેને પીસીને તેની એક પેસ્ટ બનાવો.તૈયાર કરેલી પેસ્ટમાં મધ નાખી તેને બરાબર રીતે મિક્સ કરી લો.પછી દિવસમાં 2 વખત તે ખાવાથી 1 અઠવાડિયામાં તમારા લોહીની ખોટ ઓછી થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version