Site icon Health Gujarat

આ સમયમાં કોલ્ડ ડ્રિંક્સ કે પછી એનર્જી ડ્રિન્કના બદલે પીવો આ પીણું, નહિં પડો જલદી બીમાર

ઉનાળાની ઋતુમાં જો શરીરમાં પાણીનો અભાવ હોય તો સનબર્ન, ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં પોતાને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. તે આપણા શરીરમાં બાયોકેમિકલ પ્રતિક્રિયા, શરીરમાં પોષક તત્ત્વોનો યોગ્ય પુરવઠો, ગંદકી, શરીરનું તાપમાન અને રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવાનું કામ કરે છે. એટલું જ નહીં, તે પાચન, કબજિયાત, હાર્ટબીટ, ઓર્ગન અને ટીશ્યુ માટે પણ એક આવશ્યક તત્વ છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય, તો આપણે ડિહાઇડ્રેટેડ થઈ શકીએ છીએ અને ઘણી સમસ્યાઓ આવી શકે છે બધી સમસ્યાઓથી બચવા માટે પોતાને હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ગરમીના દિવસોમાં આપણે વધુ પરસેવાનો સામનો કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં પાણીનો પુરવઠો વધારવાની જરૂર છે. જો શરીરમાં પાણીનો અભાવ હોય તો આપણને સનબર્ન, સન સ્ટ્રોક વગેરેની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે અહીં જણાવી રહ્યાં છીએ કે ઉનાળાની ઋતુમાં તમે તમારી જાતને કેવી રીતે હાઇડ્રેટેડ રાખી શકો છો.

Advertisement

1. પાણીયુક્ત ફળો ખાઓ

image source

જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તેવા ફળોનું સેવન કરો, જેમાં પુષ્કળ પાણી હોય છે. ઉદાહરણ તરીકે, તમે તરબૂચ, શક્કરટેટી, દ્રાક્ષ વગેરે ફળોનું સેવન કરી શકો છો. આ સિવાય તમારે તમારા આહારમાં કાકડી, ટામેટા, જેવી શાકભાજીનો પણ સમાવેશ કરવો જોઇએ.

Advertisement

2. આ વસ્તુઓ ટાળો

image source

કેટલાક ખોરાક અને પીણાં છે જે શરીરને ડિહાઈડ્રેડ કરે છે. ઉદાહરણ તરીકે, કોફી, સુગરયુક્ત સોડા, બીયર, વાઇન, એનર્જી ડ્રિંક્સ અને સ્વીટ ટીમાં ખાંડ, મીઠું અને અન્ય વસ્તુઓ વધુ પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી પાણી ઘટાડી શકે છે. તેથી તમારે આવા પીણાંથી બચવું જોઈએ.

Advertisement

3. સ્નાન કરો

image source

ઉનાળાની ઋતુમાં અતિશય પરસેવો આવે છે, જેના કારણે શરીરમાં પાણીનો અભાવ જોવા મળે છે. જો તમે ઠંડા પાણીથી ઘણી વખત સ્નાન કરો છો, તો વધારે પરસેવો થતો નથી અને ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી.

Advertisement

4. ડિટોક્સ ડ્રિંક્સ પીવું જ જોઇએ

image source

તમે લીંબુ, નારંગી, જાંબુ, ફુદીનો, કાકડી વગેરે ફળ કાપીને બોટલમાં રાખીને ફ્રિજમાં સ્ટોર કરો. દિવસભર તેને પીતા રહો. તે સ્વાદમાં તો સારું છે જ, સાથે આ પીણાં તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.

Advertisement

5. નાળિયેર પાણી પીવું જોઈએ.

image source

નાળિયેર પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. કેલરી અને ખાંડ સિવાય તે પોટેશિયમથી ભરપૂર છે જે આપણને હાઇડ્રેટેડ રાખે છે. નાળિયેર પાણી આપણા શરીરમાં પાણીની ઉણપ દૂર કરવા સાથે, શરીરને ઉર્જાથી પણ ભરપૂર રાખે છે. તેથી નાળિયેર પાણીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version