Site icon Health Gujarat

આયુર્વેદ મુજબ ફળોનું સેવન કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહિં તો પાછળથી થશે સાઇડ ઇફેક્ટ

ફળો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જ્યારે તમે તેનું સેવન યોગ્ય રીતે કરો. આવો, આયુર્વેદ પ્રમાણે ફળો ખાવાના નિયમો જાણીએ …

ફળોનું સેવન સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ જો આપણે તેને યોગ્ય રીતે ખાઈશું તો જ આપણે ફળોનો પૂરો લાભ લઈ શકીએ છીએ. તેથી, યોગ્ય સમયે અને યોગ્ય રીતે ફળો ખાવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ મુજબ ફળો ખાવાના કેટલાક નિયમો છે. ચાલો અહીં જાણીએ કે ફળ ખાતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

દૂધમાં મીઠા ન હોય તેવા ફળોને મિક્સ ન કરો

image source

આયુર્વેદ અનુસાર જે ફળ મીઠા ન હોય તે દૂધમાં નાખી ન લેવાય. જે ફળોમાં થોડું એસિડ હોય છે તે દૂધને બગાડે છે. ઉદાહરણ તરીકે, તેનાં રસ ઝરતાં ફળોને દૂધમાં ઉમેરવા ન જોઈએ. કેળું મધુર હોવા છતાં, તેને દૂધમાં ભેળવવું જોઈએ નહીં, કારણ કે કેળામાં થોડી માત્રામાં એસિડ હોય છે. દૂધ સાથે, તેની અસર એવી થાય છે કે એના લીધે પેટમાં કબજિયાત થઇ જાય છે. તે પેટ માટે ભારે છે.

Advertisement

જમ્યા પછી તરત જ ફળ ન ખાઓ

image source

આયુર્વેદ અનુસાર, ફળો જમ્યા પછી તરત ન ખાવા જોઈએ. પછી ભલે તમે દિવસના કોઈપણ સમયે ખાઓ. આવા ફળોના સેવનથી ખોરાકને પચવામાં મુશ્કેલી થાય છે. જમ્યા પછી તરત ફળો ખાવાથી તમારી પાચક સિસ્ટમ પર અસર પડે છે. આ એસિડિટી, ગેસ અને અને બીજી અનેક સમસ્યાઓનું કારણ બને છે.

Advertisement

ફળો સાથે શાકભાજી ખાશો નહીં

image source

આયુર્વેદ મુજબ કાચો ખોરાક રાંધેલા ખોરાક સાથે ન ખાવો જોઈએ. એટલેજ રાંધેલા શાકભાજીની સાથે કાચા ફળો ખાવાથી નુકસાન થાય છે. ફળો અને શાકભાજી જુદી જુદી ગતિએ આપણા શરીરમાં પચે છે. તેથી બંનેને સાથે ખાવાનું સાચી રીત નથી.

Advertisement

ક્યારેય પેક કરેલા ફળોનો રસ ન લો

image source

કુદરતી મીઠાશ અને ફળોનો સ્વાદ એ તેમની સૌથી પૌષ્ટિક વસ્તુ છે. જ્યારે બજારમાં વેચાયેલા ફળોના રસમાં કૃત્રિમ સ્વીટનર્સ હોય છે. આયુર્વેદ મુજબ તમારે પેક ખોલ્યા પછી તરત જ જ્યુસનું સેવન કરવું જોઈએ. તેને સ્ટોર કરવાથી તેનું પોષણ અટકે છે અને એસિડ પણ તેમાં ઉત્પન્ન થાય છે.

Advertisement

દિવસ દરમિયાન ફળો ખાઓ

image source

આયુર્વેદ મુજબ દિવસ દરમિયાન ફળોનું સેવન કરવાનો શ્રેષ્ઠ સમય છે. સાઇટ્રસ ફળો સિવાય, મોટાભાગના ફળો ખાલી પેટ પર ખાઈ શકાય છે. તેમાં કેળા અને આલૂ વગેરેનો સમાવેશ થાય છે. સફરજન ખાસ કરીને સવારે ખવાય છે કારણ કે તે પેક્ટીનથી ભરપુર છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો જમ્યા પછી ફળોનું સેવન કરે છે. આ ના કરવું જોઈએ. ક્યારેય પણ જમતા પેહલા અને જમ્યા પછી ફળો ન ખાવા જોઈએ.

Advertisement

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version