Site icon Health Gujarat

રાત્રે ઊંધ ના આવતી હોય તો આજથી જ કરો આ યોગ

Full length of a young woman sitting in child's pose on a yoga mat; activity; adult; balasana; beauty; bending; calm; care; casual; caucasian; child; concentration; concept; exercise; female; fit; fitness; flexibility; flooring; full; girl; gym; hand; health; healthy; horizontal; indoor; length; lifestyle; mat; meditating; meditation; one; people; person; pose; practicing; relaxation; relaxed; sit; stretching; training; wellness; women; wooden; workout; yoga; young

કેટલાક લોકો આખી રાત જાગતા રહે છે અને દિવસ દરમિયાન ઊંઘતા નથી.તે સ્પષ્ટ છે કે નબળી ઊંઘને કારણે લોકો ઘણી શારીરિક અને માનસિક રોગોથી પીડાઈ શકે છે.આવી સ્થિતિમાં,તમે અનિદ્રાની સમસ્યાથી રાહત મેળવવા માટે આ 3 યોગાસનનો કરી શકો છો.તમને જાણીને નવાઈ લાગશે,પણ હા આ સાચું છે.યોગ તમને ઊંઘ માટે પણ મદદ કરી શકે છે.ડોકટરો પણ કહે છે,કે ઊંઘથી પરેશાન લોકોએ ગોળીઓ ન ખાવી જોઈએ,કારણ કે ગોળીઓ તમને અસ્વસ્થ તો રાખે જ છે,પણ તે તમારી આદત બની જાય છે.તેથી ઊંઘ લાવવા માટે યોગ એ એક શ્રેષ્ઠ ઉપાય છે.યોગથી તમને કોઈ પણ ગેરફાયદો નથી થતો.તે ઊંઘ માટે ઉપયોગી છે અને તમારા શરીર માટે પણ લાભદાયક છે.

image source

કોરોના વાયરસને કારણે લોકો ખૂબ તણાવ અનુભવે છે.લોકોને ઘણા પ્રકારની ચિંતાઓ પણ રહે છે,જેમ કે ભવિષ્ય વિશે વધુ વિચારવું,નોકરી ગુમાવવાનો ડર અને આરોગ્ય બગડવાનો ભય,આવી ઘણી ચિંતાઓના કારણે લોકો તણાવમાં રહે છે અને લોકો દિવસ રાત ઊંઘી પણ નથી શકતા.કેટલાક લોકો આવી ચિંતાઓના કારણે આખી રાત જાગતા રહે છે.આ બધા તણાવ અને અધૂરી ઊંઘ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.તેથી તમારે આ બધી ચિંતાઓ મૂકી માત્ર તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે.તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજે અમે તમને 3 યોગ વિશે જણાવીશું.જે તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

Advertisement

ઊંઘની સમસ્યા માટે આ 3 યોગાસનનો અભ્યાસ કરો:

બાલાસન

Advertisement
image source

આ યોગ કરવાથી શરીરમાં તનાવથી થતી સમસ્યાઓમાં રાહત મળે છે.ખાસ કરીને,ઊંઘની તકલીફની સમસ્યા દૂર કરવામાં બાલાસન ખૂબ અસરકારક છે.આ એક આરામદાયક યોગ છે.તેને બાળ પોઝ પણ કહેવામાં આવે છે.જેમાં,તે યોગ દ્વારા શરીર અને મનને શાંત કરવામાં મદદ કરે છે.આ યોગ કરવાથી હિપ્સ,જાંઘ અને પગમાં ખેંચાણ પણ થાય છે.

બાલાસન યોગ કરવાની રીત

Advertisement

સૌ પ્રથમ વ્રજાસનની મુદ્રામાં બેસો.

હવે,તમારા કપાળને જમીન તરફ લઈ જવું.

Advertisement
image source

તે પછી,તમારા બંને હાથને જમીન પર મૂકો.

હવે તમારા જાંઘની મદદથી છાતી પર દબાણ કરવાનો પ્રયાસ કરો.

Advertisement

આ મુદ્રામાં 3 થી 4 મિનિટ સુધી રહેવાનો પ્રયત્ન કરો.

સુખાસન

Advertisement
image source

આ એક સરળ અને સૌથી ફાયદાકારક યોગ છે.આ યોગ કરવાથી માનસિક અને શારીરિક તાણથી રાહત મળે છે.કામના થાકને દૂર કરવા માટે આ એક સરળ યોગ છે.એટલું જ નહીં સુખાસન યોગ દ્વારા શરીરની મુદ્રામાં પણ સુધારણા કરવામાં આવે છે.અનિદ્રા અથવા અન્ય કોઈ ઊંઘની તકલીફથી રાહત મેળવવા માટે આ યોગનો અભ્યાસ કરી શકાય છે.

સુખાસન યોગ કરવાની રીત

Advertisement

સૌથી પેહલા જમીન પર બેસો.

હવે તમારા પગને ઘૂંટણથી અંદરની તરફ વાળવો.

Advertisement

જમીન પર બેઠા પછી, એવી રીતે બેસો કે ઘૂંટણ જમીનને સ્પર્શે.પગ અને પેલ્વિક વિસ્તારની વચ્ચે સરખું અંતર રાખો.

કમરનો ભાગ સરખો રાખો એટલે કરોડરજ્જુ સીધી રહે.ખંભા પણ સીધા રાખો.

Advertisement

હવે,હથેળીઓને તમારા ખોળામાં રાખો.થોડી વાર આ મુદ્રામાં જ રહો.

વિપરીત કરણી યોગ

Advertisement
image source

ઊંઘમાં તકલીફ અનુભવતા લોકોએ વિપરીત કરણી યોગનો અભ્યાસ કરવો જોઇએ.આ યોગ કરવાથી વ્યક્તિને નિંદ્રાની સમસ્યાઓથી રાહત મળે છે.આ યોગ કરવાથી તમને ડોક અને ખંભામાં થતી તકલીફ પણ દૂર થાય છે અને તણાવ પણ દૂર રહે છે.આ યોગ કરવાથી સતત કામ કરતા લોકોને જે કમરમાં વારંવાર દુખાવો રહે છે તે પણ દૂર થાય છે.

વપિરીત કરણી યોગ કરવાની રીત

Advertisement

સૌ પ્રથમ જમીન પર સૂઈ જાઓ અને રિલેક્સ રહો.

તમારા હાથ સીધા જમીન પર રાખો.પછી, ધીમે ધીમે પગને 90 ડિગ્રી સુધી રાખો.

Advertisement
image source

હવે હિપ્સને રહોડા ઉપાડો.જો તમે ઇચ્છો,તો તમે કોઈપણ વસ્તુઓનો ટેકો લઈ શકો છો,જેમ કે ઓશીકું,ચાદર અથવા કોઈ નરમ વસ્તુ.હિપ્સ ઉપાડતી વખતે સમાન મુદ્રામાં રહેવાનો પ્રયત્ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

Advertisement

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

Advertisement

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Advertisement

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Advertisement
Advertisement
Exit mobile version